આમિર પછી હવે 3 idiots નો આ કલાકાર પણ થયો Corona પોઝિટવ

 

3 idiots ના સ્ટાર્સને ઉલ્લેખીને રમૂજી અંદાજે મૂકી પોસ્ટ

 

કોરોના ( Corona ) સંક્રમણે દેશભરમાં જ્યાં માથું ઉંચક્યું છે ત્યારે કોરોના ( Corona ) ની ઝપેટમાંથી સેલિબ્રિટિઝ પણ બાકાત રહ્યાં નથી. તાજેતરમાં આમિરખાન ( Amir Khan ) કોરોના (Covid 19) થી સંક્રમિત થયા હોવાના અહેવાલ હતા…તો એક્ટર આર.માધવ (R Madhavan) ને પણ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર પોતાના ફેન્સને આપ્યા છે. એક તરફ આમિરખાન ( Amir Khan ) ના સત્તાવાર પ્રવક્તાએ આમિર કોરોના પોઝિટિવ (Corona Positive ) હોવાનું જણાવ્યું હતું. ત્યાં બીજી તરફ થ્રી ઇડિયટ્સ (3 idiots) ફેમ ફરહાન એટલે કે આર.માધવ (R Madhavan) ને ટિ્વટર પર ક્રિએટિવ પોસ્ટ મારફતે પોતાના ફેન્સને માહિતી આપી હતી.

થ્રી ઇડિયટ્સ (3 idiots) ફિલ્મ (Film) ના રેન્ચો એટલે કે આમિરના સંક્રમિત થવાના ઉલ્લેખ સાથે માધવને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ફરહાન રેન્ચોની પાછળ તેને અનુસરતો રહે છે અને વાયરસ ( ફિલ્મમાં બોમન ઇરાનીએ વાયરસ (Virus) નું પાત્ર ભજવ્યું હતું અને કોલેજના ડીનની ભૂમિકા ભજવી હતી) હંમેશા અમારા પાછળ અમને અનુસરતો પરંતુ આખરે,વાયરસે (Corona Virus) રેન્ચો અને ફરહાનને પોતાની ઝપેટમાં લઇ લીધા છે. જોકે, આ સાથે તેણે ફેન્સને આશ્વાસન સાથે રમૂજી સંદેશો આપતા કહ્યું કે ઓલ ઇઝ વેલ…ઓલ ઇઝ વેલ…. (All is Well ) વાયરસ પોતે જ જલ્દી ઠીક થઇ જશે. જોકે, તે સાથે તેણે થ્રી ઇડિયટ્સ (3 idiots) ની ત્રણ ભાઇબંધોની જોડીમાં આ વાયરસ (Virus) રાજૂથી દૂર રહે તેવું તે ઇચ્છે છે તેમ જણાવ્યું હતું.

 

 

આ સાથે તેણે પોતાના ફેન્સને પોતાની તબિયત સારી હોવાનું જણાવી તેમના પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હજી માત્ર બે દિવસ પહેલાં માધવને તેના ટિ્વટર એકાઉન્ટ પરથી ભોપાલમાં અમરિકી પંડિત ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હોવાની વાત જણાવી હતી. તેમજ સેટ પર દરેક લોકો કોરોના સંક્રમણથી બચવા કડક રીતે કોવિડ-૧૯ (Covid19) માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા હોવાની માહિતી આપી હતી. જોકે, બદ્નસીબે શૂટિંગ કરતા માત્ર બે દિવસના ગાળામાં તે કોરોનાથી સંક્રમિત થયા હતા. તો બીજી તરફ આમિરખાન (Amir Khan) કોરોના સંક્રમણને કારણે ઘરમાં ક્વોરેન્ટાઇન થયા છે. આશા રાખીએ કે, ફરહાન અને રેન્ચોની જોડી જલ્દી સાજા થઇને દર્શકોને મજા કરાવે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *