જુના અમદાવાદના કેટલાંક જોવાલાયક સ્થળો | BEST Places to Visit in Ahmedabad

 

BEST Places to Visit in Ahmedabad

જુના અમદાવાદના કેટલાંક જોવાલાયક સ્થળો : આજે અમદાવાદનો ૬૧૦મો જન્મદિવસ છે

 

 

અમદાવાદ (Amadavad) એટલે અમદાવાદ (Amadavad). એક સતત ઉત્સાહ સાથે ઘબકતું શહેર. અનેક લોકોનું પ્રિય શહેર. ચાની ચુસ્કીનું શહેર, હરવા, ફરવા, મજા કરવાનું શહેર. આજે તેનો ૬૧૦મો જન્મદિવસ છે. આટલા વર્ષોમાં અમદાવાદ (Amadavad) અનેક રીતે બદલાઈ ગયું છે પણ આજે આપણે આ બદલાયેલા એટલે કે વિકાસ પામેલા શહેરના કેટલાંક જુના જોવાલાયક સ્થળો વિશે વાત કરીશું જે આજે હયાત તો છે પણ વર્તમાનના નવા જોવાલાયક સ્થળો જેટલા ફેમસ રહ્યા નથી. છતાં તેનું મહત્વ છે.

૧. ભદ્રનો કિલ્લો : Bhadra no killo

આ એક ઐતિહાસિક કિલ્લો (Bhadra no killo) છે, આજે એ કિલ્લો અડીખમ છે. અમદાવાદ (Amadavad) ના જિલ્લા પરંચાયતની ઓફિસ નીચે ઉભા રહો એટલે તમારી સીધી નજર જે ફોટ, દિવાલ પર પડે એ ભદ્રનો કિલ્લો (Bhadra no killo). અહીં હાલની સ્થિતિ તો ખરાબ છે પણ કોઇવાર અહીંથી પસાર થાવ તો કિલ્લા ઉપર જઈને એક નજર ફેરવજો. આખું ભદ્રનું બજાર જોવાની મજા પડશે.

૨, ભદ્રકાળી મંદિર : ( Bhadrakali Mandir )

આ મંદિર ( Bhadrakali Mandir ) મરાઠીઓના શાસનકાળ દરમિયાન બંધાયું હતું. આ મંદિર ( Bhadrakali Mandir ) ભદ્રના કિલ્લામાં જ આવેલું છે અને તે એક મહત્વનું યાત્રાધામ જેવું બની ગયું છે. તેમાં મા ભદ્રકાળીની મૂર્તિ છે. અમદાવાદીઓ સહીત અનેક લોકોની આસ્થા મા ભદ્રકાળી સાથે જોડાયેલી છે.

૩. સીદી સૈયદની જાળી : ( Sidi Saiyyed ni jali )

ભદ્રના કિલ્લાથી તમે એકાદ કિલોમીટર ચાલો એટલે આ સીદી સૈયદની જાળી ( Sidi Saiyyed ni jali ) તમને જોવા મળે. અમદાવાદની ઓળખ બનેલી ઐતિહાસિક સીદી સૈયદની મસ્જિદની જાળી વિશ્વ પ્રખ્યાત છે. આ જાળી ( Sidi Saiyyed ni jali )ની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એક જ પથ્થરમાંથી બનેલી છે. આ જાળી નકશીકામનો બેજોડ નમુનો ગણાય છે. અમદાવાદ (Amadavad) ની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવા ઉપરાંત સીદી સૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય છે. અહીં એક બજાર પણ છે જેનું નામ છે પાલિકા બજાર. આની ખાસિયત એ છે કે ઉપર રોડ છે અને રોડની નીચે ભોયરામાં બજાર ભરાય છે. કપડા મળે છે અહીં.

૪. લાલ દરવાજા : Lal Darawaja

સાબરમતી નદીની પૂર્વ બાજુના કિનારે આવેલો વિસ્તાર છે લાલ દરવાજા (Lal Darawaja). હવે આ વિસ્તાર AMTS ના મુખ્ય બસસ્ટેશન તરીકે વધારે ઓળખાય છે. અહીં બાજુમાં જ ભદ્રનો કિલ્લો છે, અપના બજાર અને જિલ્લા પંચાયતની ઓફિસ પણ છે. હાલ આ ભારે ટ્રાફિકવાળો વિસ્તાર છે.

૫ ઝૂલતા મિનારા : ( Jhulta Minara )

ઝૂલતા મિનારા ( Jhulta Minara ) અથવા મૂળ નામ સીદી બશીર મસ્જિદ. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની બહાર ઉભા રહો એટલે તેમને આ બે મિનારા દેખાય. આ શહેરમાં આવેલું પુરાતન સ્થાપત્ય છે. આ સ્થાપત્યનું નિર્માણ મોગલ શૈલીમાં કરવામાં આવેલું છે. આપણે એક મિનારા પર ચડીને તેને હલાવીએ તો બાજુનો બીજો મિનારો પણ એની જાતે થોડીવાર માટે હલે છે એટલે જ આ મિનારાનું નામ ઝૂલતા મિનારા પડ્યું છે. જોકે ઝૂલતા મિનારા ( Jhulta Minara ) અમદાવાદમાં સારંગપુર-ગોમતીપુરમાં રેલ્વે સ્ટેશનની બહારનાં ભાગે પણ છે. પણ આ મિનારા ત્રણ માળનાં બનેલા છે અને તેના છજાઓમાં બારીક નકશીકામ કરવામાં આવ્યું છે.

આ મિનારા ( Jhulta Minara ) અમદાવાદ (Amadavad) ના કાલુપુર રેલવે સ્ટેશન પાસે આવેલા છે. આ મિનારા ત્રણ માળના એટલે કે, ૭૫ ફૂટ ઊંચા છે. મિનારામાં ફ૨તા દાદરા છે. મિનારા છાલવાનું રહસ્ય હજી શોધાયું નથી. હાલમાં આ મિના૨ની મુલાકાત પ્રવાસીઓ માટે બંધ છે. જોકે હવે તે હલતા પણ નથી.

૬. ગીતા મંદિર : ( Gita Mandir )

અમદાવાદ (Amadavad) શહેરના આસ્ટોડિયા દરવાજાથી વળો એટલે એસ.ટી.સેન્ટ્રલ બસ સ્ટેશન આવે એ જે રોડ છે તે સીધો શાહઆલમ તરફ જાય છે. આ રોડને જ ગીતા મંદિર રોડ ( Gita Mandir Road )કહેવાય છે. આસ્ટોડિયા દરવાજાથી વળો એટલે થોડે જ દૂર જમણી બાજુ એક ભવ્ય ઉંચા ટાવરવાળી ઇમારત છે. આજ છે ગીતા મંદિર ( Gita Mandir ). જેની સ્થાપના ૧૯૪૦માં થઈ હતી. શ્રીમદ ભગવદ ગીતાનું મહત્વ સમજીને આ ગીતામાતાનું મંદિર બનાવેલું છે. આ મંદિરનો ઇતિહાસ જાણવા જેવો છે. અમદાવાદમાં હોવ તો એકવાર આ મંદિર ( Gita Mandir ) ની મુલાકાત જરૂર લેજો

૭ કાંકરિયા તળાવ ( kankaria Lake )

આ ( kankaria Lake ) તળાવ તો હવે અમદાવાદ (Amadavad) ની ઓળખ છે. એક દિવસની પરિવાર સાથીની પીકનિક તમે આરામથી કરી શકો. બાળકો માટે અહીં ઘણું બધું છે. પ્રાણી સંગ્રાહલય પણ છે, ખાણીપીણી બજાર પણ છે. નગીનાવાડી, બાળવાટિકા, માછલીઘર છે. ઉપરાંત હવે તેને સારું એવું વિકસિત કરવામાં આવ્યું છે. અહીં જે નામ લખ્યા એ જુના કાંકરિયાની વાત છે બાકી નવું પણ અહીં ઘણું બઘું છે ફરવા માટે.

૮ દરિયાખાનનો ઘુમ્મટ ( Dariyakhan Ghummat )

ગુજરાત (Gujarat) નો તે ( Dariyakhan Ghummat ) સૌથી ઊંચો ઘુમ્મટ ગણાય છે, હાલ સ્થિતિ અલગ છે, ગીચતાની વચ્ચે હવે તે શાનથી ઊંભો છે. ઇ.સ. ૧૪૫૩માં દરિયાખાન નામના સેનામપિતએ આ (Dariyakhan Ghummat ) ઘુમ્મટ બંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તેના બાંધકામમાં ઈંટા,ચૂનો, રેતી અને પાણીનો જ ઉપયોગ થયો છે.

૯. સાબરમતી આશ્રમ : ( Sabarmati Ashram)

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhi) એ આ ( Sabarmati Ashram) આશ્રમની સ્થાપના સાબરમતી નદીને કિનારે ઈ.સ. ૧૯૧૫માં કરી હતી અને ઈ.સ. ૧૯૩૦માં દાંડીકૂચ અહીથી શરૂ થઈ હતી. આઝાદીની ચળવળનું આ કેન્દ્રસ્થાન હતું. ગાંધીજીનું નિવાસસ્થાન, મ્યુઝિયમ, છાત્રાલય, શાળાઓ, ખાદીહાટ, ગૃહઉદ્યોગો, વગેરે અહીં જોવા જેવો છે. હવે આ આશ્રમ ડિજિટલ થઈ ગયો છે. એક એપ પણ છે અહીં પહોંચી તમે તેને ડાઉનલોડ કરો એટલે એ એપ પછી તમને આશ્રમ ( Sabarmati Ashram) વિશેનું માર્ગદર્શન આપશે.

૧૦ હઠીસીંગના દેરાં : (Hathisingh Dera)

દિલ્લી દરવાજા બહાર આ (Hathisingh Dera) દેરાં આવેલાં છે. તે પણ સુંદર છે. ઈ.સ. ૧૮૦૮માં તે શેઠ હઠીસીંગ કેસરીસીંગે બંધાવ્યાં હતાં. આ દેરું ૫૦ મીટર લાંબું અને ૪૦ મીટર પહોળું છે. તેની આજુબાજુ જિનાલયો આવેલાં છે. દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા હઠીસીંગના દેરાં (Hathisingh Dera) જૈન ધર્મના શ્રદ્ધા સ્થળ તરીકે પૂજાય છે. હઠીસીંગના દેરાનું નિર્માણ શુદ્ધ આરસમાંથી કરવામાં આવ્યું છે. જેને જોઈને કોઈને પણ એવો વિચાર આવ્યા વિના ન રહે કે આશરે દોઢ સદી પહેલા આટલા વિશાળ બાંધકામ માટે આટલો બધો આરસ ક્યાંથી અને કેવી રીતે લાવવામાં આવ્યો હશે.

અન્ય જોવાલાયક સ્થળો   BEST Places to Visit in Ahmedabad

સરદાર પટેલ સ્મારક ભવન, સાયન્સ સીટી, અડાલજની વાવ, જામા મસ્જિદ, જુમ્મા મસ્જિદ, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, ઇસ્કોન મંદિર, સ્મૃતિ મંદિર, ઘોડાસર, વૈષ્ણોદેવી મંદિર, ભાગવત વિદ્યાપીઠ, વસ્ત્રાપુર તળાવ, કેમ્પ હનુમાન, સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, આદિવાસી સંગ્રહાલય, ગુજરાત વિદ્યાપીઠ, સરખેજનો રોઝો, માણેક ચોક, રાણીનો હજીરો, સાબરમતી રિવર ફ્રન્ટ, તિરૂપતિ બાલાજી મંદિર, એસ. જી. માર્ગ, વિક્રમ સારાભાઈ અવકાશ પ્રદર્શન, ઈસરો, ત્રિ મંદિર, અડાલજ, ઓટોવર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *