Life Mantra – Gujjulogy.com https://gujjulogy.com Tue, 07 May 2024 12:56:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Life Mantra – Gujjulogy.com https://gujjulogy.com 32 32 ૧૬ થી ૨૭ વર્ષના યુવાનો માટે ખાસ સલાહ | Motivational For Youth https://gujjulogy.com/motivational-for-youth-in-gujarati/ https://gujjulogy.com/motivational-for-youth-in-gujarati/#respond Tue, 07 May 2024 12:56:33 +0000 https://gujjulogy.com/?p=1786

 

Motivational For Youth | ૧૬ થી ૨૭ વર્ષના યુવાનો માટે ખાસ સલાહ  | જીવનમાં પછતાવું ન હોય તો આ સલાહ પર ધ્યાન આપો

 

#૧ આ સમય તમારો છે, માત્ર લક્ષ્ય પર ધ્યાન આપો

આ યુવાનીનો સમય છે. આપાણું તન અને મન શક્તિથી ભરપૂર હોય છે. આ સમય એવો હોય છે જેમાં તમે ધારો એ કામ કરી શકો છો. આ સમયમાં ઊંચું લક્ષ્ય બનાવો અને તેના પર કામ કરો. નક્કી તમે સફળ થશો.

 

#૨ યુવાનીમાં સમય બર્બાદ ન કરો

આ સમય નિકળી ગયો તો પછતાવા સિવાય તમારી પાસે કંઇ નહી બચે. આ સમય કંઇક મેળવવાનો, કંઇક એચિવ કરવાનો છે. હંમેશાં કામમાં વ્યસ્ત રહો, ફાલતું જગ્યાએ સમય બર્બાદ ન કરો. તમારા આ સમયની કિંમત અમૂલ્ય છે. તેનું ફાલતું જગ્યાએ રોકાણ ન કરો.

#૩ નવું નવું શીખતા રહો

જેટલું શીખશો એટલો જ ફાયદો થશે. આ ઉંમરે આપણું મન-મગજ ઉર્જાથી ભરેલું હોય છે. જે શીખશો તે યાદ રહેશે. સ્કીલ ડેવલપ કરો, કોઇ કામમાં મહારથ હાંશલ કરો. યાદ રાખો જીવનમાં શીખેલું કામ આવે જ છે.

#૪ સારા શ્રોતા બનો

જીવનમાં આગળ વધવું હોય તો સાંભળતા શીખો, સારા શ્રોતા બનો. ચારે બાજુ લોકો જ્ઞાન આપવા બેઠા જ છે. ખૂબ સાંભળો. નક્કી અનેક નવા વિચાર, આઈડિયા મળશે. કોઇને જવાબ આપવા નહીં પણ તે શું કહેવા માંગે છે તેને સમજવા સાંભળો. ખૂબ જાણાવા મળશે.

#૫ ખૂબ વાંચન કરો

આજની દુનિયામાં પુસ્તક તમારો સર્વશ્રેષ્ઠ શિક્ષક બની શકે છે. તમને ગમતા પુસ્તકો વાંચો, માહિતીના આ યુગમાં અપડેટ રહેવું જરૂરી છે. વાંચવાથી કલ્પના શક્તિનો વિકાસ થાય છે. જે દરેક જગ્યાએ કામ લાગે છે. તમે દુનિયા કરતા અલગ વિચારી શકશો. માટે આગળ વધવું હોય તો ખૂબ વાંચો.

#૬ સ્વચ્છ અને સુઘડ કપડા પહેરો

હંમેશાં કોન્ફિડન્સથી ભરપૂર રહો, આ ઉંમરે આત્મવિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. આ માટે સારા કપડાં પહેરવા ખૂબ જરૂરી છે. સારા કપડા એટલે મોંધા અને બ્રાન્ડેડ નહી પણ સ્વચ્છ અને સુઘડ કપડા. સારા કપડા પહેરવાથી આત્મવિશ્વાસ વધી જાય છે.

#૭ નકારાત્મક લોકોથી દૂર રહો

આ ખૂબ જરૂરી છે. આ તારાથી નહિ થાય, આ ખૂબ અઘરું કામ છે, રિસ્ક વધારે છે…આવું બધુ બોલનારા લોકોથી દૂર રહો. હંમેશાં તણાવમાં, ગુસ્સામાં રહેનારા લોકોથી દૂર રહો. જે લોકો તમારામાં નકારાત્મકતા ફેંલાવાની વાત કરે તેનાથી દૂર રહો. હંમેશા હકારાત્મક વિચારો

#૮ સ્વયં પર વિશ્વાસ રાખો

આ ઉંમરે સૌથી અગત્યની વાત એ છે કે શરીર તમને સાથ આપતું હશે. આ ઉંમર એવી છે કે દુનિયાનું કોઇ પણ લક્ષ્ય તમે મેળવી શકો છો. બસ સ્વયં પર વિશ્વાસ રાખો અને લક્ષ્યને મેળવવા પર ધ્યાન આપો. નક્કી સફળ થશો.

#૯ શરીર અને સ્વાસ્થ્યને સાચવો

શરીરને સાચવવું પણ જરૂરી છે. ખોરાક પર ધ્યાન આપો, ગમે તેવો કચરો પેટમાં ન નાખો. ખડતલ શરીર બનાવો, થોડી કસરત કરો અને પોષણયુક્ત આહાર લો. જીવનમાં સફળતા મેળવવા શરીરને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે. શરીર સ્વસ્થ નહી હોય તો સફળતા મેળવીને પણ તેનો આનંદ માણી શકશો નહી. માટે શરીર પર ધ્યાન આપો.

#૧૦ મનને શાંત રાખો, ધીરજ રાખો…

મનને શાંત રાખો. પડકાર જનક સમયમાં પણ જો તમે મનને શાંત રાખી શકો અને થોડી ધીરજ રાખશો તો સમજી લો કે તમારું અડધું કામ સરળ થઈ જશે. ધીરજ અને શાંત મન કળયુગના ગુણ છે. આ બે ગુણ તમારામાં હોવા જોઇએ. જીવનમાં ખૂબ અગળ વધશો…

 

]]>
https://gujjulogy.com/motivational-for-youth-in-gujarati/feed/ 0
દરેક પતિ-પત્નીએ વાંચવા જેવો લેખ! Pati Patni Ni Vat https://gujjulogy.com/pati-patni-ni-vat/ https://gujjulogy.com/pati-patni-ni-vat/#respond Thu, 21 Sep 2023 15:34:19 +0000 https://gujjulogy.com/?p=1668
Pati Patni Ni Vat । ખૂબ સમજવા જેવી વાત…
મહેશ અને માલતીનું લગ્ન જીવન સુંદર રીતે ચાલી રહ્યું છે. બંને પોત પોતાની ફરજો નિભાવતા જાય છે. કોઈને કોઈની સાથે કોઈ જ પ્રકારની ફરિયાદ નથી. બંને સુખેથી ખાય છે, પીવે છે, ફરે છે અને જીવે છે. પણ કોણ જાણે કેમ બંનેના જીવનમાં કોઈ ઉષ્મા જ નથી. બંને ક્યારેક એકલાં બેઠાં હોય ત્યારે વિચારે છે કે, સાલું કોઈ મુશ્કેલી કે મન મોટાવ નથી તેમ છતાં જિંદગીમાં રોમાંચ કેમ નથી આવતો? બંને વિચારોના ચકરાવે ચડી જાય છે પણ કોઈને ઉત્તર જડતો નથી.
આવામાં એક દિવસ મહેશનો એક મિત્ર એના ઘરે રહેવા આવે છે. રાત્રે બંને મિત્રો અને માલતી વાતો કરતાં બેઠા હોય છે ત્યારે મહેશ એને લગ્ન જીવનની આ મુંઝવણ કહે છે, ‘દોસ્ત, અમારી વચ્ચે પ્રેમ ખૂબ છે અને કોઈ તકલીફ પણ નથી, છતાં અમને જીવનમાં રોમાંચ નથી આવતો. અમે બહું વિચાર્યુ પણ કારણ જડતું નથી.’
મિત્ર બહું જ વિચારશીલ હતો. એણે કહ્યુ, ‘હું બે જ દિવસમાં તમને આનો જવાબ આપી દઈશ. તમે બંને જે રીતે જીવો છો એ જ રીતે જીવજો. તમારા જીવનમાંથી જ મને આનો જવાબ મળી જશે.’
બીજા દિવસથી બંને પતિ પત્ની પોત – પોતાની રૂટીન લાઈટ જીવવા માંડ્યા. મિત્ર આનંદ એક રૂમમાં રહી પોતાનું કામ કરતો હતો. જાણે એ છે જ નહીં એમ બંને જીવવા લાગ્યા. મહેશ રોજ જેમ ઓફિસ જવા-આવવા લાગ્યો. માલતી સુંદર ભોજન બનાવી એને જમાડતી. બંને એકબીજાનો પડ્યો બોલ જીલતા અને જીવતા.
ત્રણ દિવસ પછી આનંદ સાથે બંને બેઠા, ‘બોલો મિત્ર કંઈ જવાબ મળ્યો આપને!’
‘હા, મળ્યો!’
‘તો જણાવો!’
આનંદે ખોંખારો ખાઈને બંને સમક્ષ રજુઆત કરી, ‘દોસ્ત તમને એક બીજા માટે પ્રેમ ખૂબ જ છે. પણ તમારા જીવનમાં આભારની કમી છે એટલે તમને રોમાંચ નથી આવતો.’
બંને પતિ પત્નીએ આશ્ચર્યથી કહ્યુ, ‘આભારની કમી? એ વળી કઈ બલાનું નામ છે?’
આનંદે સમજાવ્યુ, ‘જો મહેશ, તું રોજ સવારે સાડા સાત વાગે ઉઠે. એટલાં વાગે પાણી ગરમ હોય, તું સાડા આઠ વાગે ચા પીવા ટેબલ પર બેસે તરત જ ચા-નાસ્તો આવી જાય. એ પછી તું નહાવા જાય ત્યારે તારા કપડાં, મોજા, બૂટ, બેગ બધું જ જે તે સ્થાને તૈયાર હોય અને તું નીકળે એટલે તારા હાથમાં ભોજનનું ટીફીન પણ આવી જાય. ભાભી વરસોથી આ સેવા કરે છે. પણ તારા ધ્યાનમાં જ નથી. વરસો સુધી આ રીતે અવિરત ભુલ્યા વિના, કે ચુક્યા વિના એણે તારુ કામ કર્યુ. પણ તને એમ છે કે એ તો કરે, એમાં વળી શું? એ તો એની ફરજ છે! હા, ફરજ ચોક્કસ પણ એનો ય આભાર માનવાનો હોય. તેં કદી રોમેંટિક મુડમાં એને થેંક યુ કહ્યુ નથી. એટલે સામેથી પણ રોમાંચ નથી ઉદ્‌ભવતો.
એવી જ રીતે તું થોડા દિવસ પહેલાં ભાભી માટે સાડી લાગ્યો હતો. ભાભીએ કહ્યુ, સરસ છે. અને મુકી દીધી. ન તો એમણે ઉત્સાહિત થઈને તારો આભાર માન્યો કે ન તો કોઈ રોમાંચ બતાવ્યો. એના કારણે તારા તરફથી પણ કોઈ રોમાંચ નથી આવતો.
રસોઈ બનાવવી અને સાડી લાવવી એ માત્ર નિમિત છે. આવી તો દરેક પતિ-પત્નીની ફરજ છે. પણ એ ફરજનો પણ આભાર હોય. જીવનસાથીને એમ લાગે કે પોતે ગધા વૈતરું નથી કરી રહ્યાં એ માટે એમને આભારથી ચાર્જ કરવા પડે. તમારા જીવનમાં પ્રેમ છે પણ આભારની લાગણી નથી એટલે જીવન નિરસ છે.’
આનંદની વાત બંનેએ સ્વીકારી લીધી. એ પછી બંને તરફથી આભારના ઝરણાં વહેતા થયા અને જીવન રસમય બની ગયું.
]]>
https://gujjulogy.com/pati-patni-ni-vat/feed/ 0
બોધકથા । ઉંદર હીરો ગળી ગયો । Gujarati Bodh katha https://gujjulogy.com/gujarati-bodh-katha/ https://gujjulogy.com/gujarati-bodh-katha/#respond Mon, 18 Sep 2023 11:55:40 +0000 https://gujjulogy.com/?p=1643

 

Gujarati Bodh katha | Gujarati Short Story | ઉંદર હીરો ગળી ગયો 

એક્વાર એક ધનવાન શેઠના ઘરે એક ઉંદેડો શેઠનો કીંમતી હીરો ગળી ગયો. શેઠ ટેન્શનમાં. શેઠની હવેલીમાં અનેક ઉંદરો છે. તેને પકડી હીરો મેળવવો કેવી રીતે?

આથી આ શેઠે એક ઉંદર મારવાવાળાને આ કામ સોપ્યું. આ ઉંદરનો શિકાર કરવા આવેલ વ્યક્તિ શેઠની હવેલી પહોંચ્યો ત્યાં સુધીમાં શેઠે હવેલીના મોટાભાગના ઉંદરો પકડી એક મોટા પાજમાં પૂરી દીધા હતા. પણ હીરો કયો ઉંદર ગળી ગયો છે તે શોધવો મુશ્કેલ કામ હતું.
પણ ઉંદર પકડનારને માટે આ મોટી વાત ન લાગી. સેકડો ઉંદરોમાંથી જે ઉંદર હીરો ગળી ગયો હતો શિકારીએ તેને જ પકડી લીધો.
આ જોઇ બધા ચકિત થઈ ગયા. શેઠે પેલા વ્યક્તિને પ્રશ્ન કર્યો કે આટલા બધા ઉંદરમાંથી તને કેવી રીતે ખબર પડી કે હીરો આ ઉંદરે જ ગળ્યો છે?

શેઠની આ વાત સાંભળી પેલા વ્યક્તિએ જે કહ્યું તેમાં ખૂબ મોટો બોધ છે…

પેલા વ્યક્તિએ હતું કે આ કામ ખૂબ સરળ છે. જ્યારે કોઇ મુર્ખ ધનવાન બની જાય છે તો સૌથી પહેલા પોતાના લોકોનો સાથ છોડી દે છે. પોતાના લોકોને મળવાનું ઓછુ કરી દે છે. આ ઉંદર હીરાનો ભાર પેટમાં ઊંચકીને બધાથી અલગ બેઠો હતો.

]]>
https://gujjulogy.com/gujarati-bodh-katha/feed/ 0
પ્રયાસ કરો – એક નાનકડી પહેલ | Gujarati Short Story Both katha https://gujjulogy.com/gujarati-short-story-both-katha/ https://gujjulogy.com/gujarati-short-story-both-katha/#respond Sun, 10 Sep 2023 07:47:06 +0000 https://gujjulogy.com/?p=1612

Gujarati Short Story Both katha | બોધકથા

એક ગામમાં આગ લાગી હતી. આગ વધતી જતી હતી અને ગામના લોકો આગને રોકવા આમ તેમ દોડા-દોડી કરી રહ્યા હતા. મોટાભાગના લોકો માત્ર ઉભા હતા. આગને જોતા હતા. વાતો કરતા હતા. હજારોની ભીડમાંથી માત્ર બે-ચાર લોકો જ આગ ઓલવવાની કોશિશ કરતા હતા.

આવામાં એક ચકલી ઉડીને ત્યાં આવી. ચકલીએ આ બધું જોયું. તે પણ આગને રોકવાનો પ્રયત્ન કરવા લાગી. પોતાની નાનકડી ચાંચમાં પાણી ભરીને તે આગ પર છાંટવા લાગી. ચકલીનું આ કામ જોઇને કાગડો તો હંસવા જ લાગ્યો.

આથી ચકલીએ પૂછ્યું કેમ હશો છો કાગડાભાઈ…!

કાગડાએ કહ્યું કે તું જે કરી રહી છે તેનાથી શું ફરક પડશે?

કાગડાની આ વાત સાંભળી ચકલીએ જે કહ્યું અને પછી જે થયું તે વાંચવા જેવું છે…!

ચકલી કહ્યું કે મારા આ નાનકડા કામથી કોઇ ફરક પડે કે ન પડે પણ મને એ વાતનો ગર્વ છે કે આ આગ ઓલવનારા લોકોમાં મારી ગણતરી થશે આગ જોવાવાળા કે લગાવવાવાળમાં નહી…!

આટલું કહી ચકલી પાછી પોતાના કામમાં લાગી ગઈ. ચકલીની આ નાનકડી પહેલ ગામના લોકોએ જોઇએ. આથી ગામના અન્ય લોકોને પણ લાગ્યું કે એક નાનકડી ચકલી આગ રોકવામાં મદદ કરી શકે છે તો આપણે આ રીતે માત્ર ઉભા રહેવું જોઇએ…

ગામના બધા જ લોકો આગ ઓલવવામાં લાગી ગયા. અને આગ ઓલવાઇ ગઈ…એક નાનકડા પ્રયાસથી પણ ઘણીવાર મોટા પરિણામ મળતા હોય છે…!!

]]>
https://gujjulogy.com/gujarati-short-story-both-katha/feed/ 0
આવી પ્રગતિ કદી ન કરશો, નહિંતર જીવનમાં ખૂબ દુઃખી થશો! Pramanikta sathe karo pragti https://gujjulogy.com/pramanikta-sathe-karo-pragti/ https://gujjulogy.com/pramanikta-sathe-karo-pragti/#respond Sun, 10 Sep 2023 07:08:52 +0000 https://gujjulogy.com/?p=1608
જીવનમાં સુખી થવું હોય તો આ છ પ્રકારના કામથી દૂર જ રહેજો! Pramanikta sathe karo pragti
પ્રગતિ માટે માણસ કોઈ વખત જ્યારે આડા પાટે ચડે છે ત્યારે એનું પતન થતું હોય છે. પ્રગતિ માટે જ્યારે કોઈ માણસ ખોટો રસ્તો પસંદ કરે છે ત્યારે, પ્રગતિની ભાવનાને બદલે કોઈ અન્ય લોભ કે લાલચથી આગળ વધે છે ત્યારે એની પડતી થાય છે.
પ્રગતિ માટે કદી સ્વાર્થ, ક્ષણિક સુખને વશ થવું ના જોઈએ.  પ્રગતિ માટે કયા કયા ખોટા રસ્તા ના અપનાવવા એની થોડીક વાત કરીએ..
બીજાને દુઃખી કરીને…
બીજાને દુઃખ પહોંચાડીને કદી પ્રગતિ ના કરવી જોઈએ. કારણ કે જ્યારે આપણે કોઈને દુઃખ પહોંચાડીએ છીએ ત્યારે સામેના માણસની આંતરડી કકડળતી હોય છે. એનું હૃદય બળતું હોય છે એની જ્વાળા આપણને લાગતી હોય છે. એ જ્વાળામાં આપણે આપણી પ્રગતિની ઈમારત સળગી જતી હોય છે.
બીજાના હકનું છીનવીને…
ચોરી, લૂંટ કે કોઈનું પડાવી લઈને કદી પ્રગતિ ના કરવી જોઈએ. કારણ કે જ્યારે આ પ્રકારના કૃત્યોથી આપણે બીજાના હકનું ઝૂંટવી લેતા હોઈએ છીએ. બીજાના હકનું ખાય એને કદી એ પચતું નથી. બીજા ભુખ્યા રહે અને આપણે છીનવીને ખાઈ જઈએ એ તો મોટુ પાપ ગણાય અને પાપ કરનારાને એની સજા મળે છે.
દગો કરીને…
સગા – સંબંધીઓ કે મિત્રો સાથે દગો કરીને ક્યારેય પ્રગતિના શિખરો સર ના કરવા. પોતાના ફાયદા માટે આપણી સાથે સંકળાયેલા લોકોને કદી હાની ના પહોંચાડી, એનો દુરુપયોગ ના કરો. આ રીતે  સ્વજનો અને મિત્રોને દગો કરીને મેળવેલી પ્રગતિની જ્યોત બહું જ જલ્દી બુઝાઈ જતી હોય છે.
પાપ કે અનીતિથી…
પાપ કરીને, લોકો પર અત્યાચાર કરીને પણ પ્રગતિ શકાય છે. ભૂખે મરી જવું અને દુઃખે છીન્ન – ભીન્ન થઈ જવું પણ આ પ્રકારની પ્રગતિ કદી કરવી નહીં. આવી પ્રગતિમાં બીજાની પીડાની દુર્ગંધ હોય છે. જે તમારુ આખુ જીવન બરબાદ કરી નાંખે છે. પાપ કરીને કરેલી પ્રગતિમાં ભગવાન રાજી નથી રહેતો. પાપ એ ભગવાનના આદર્શોનું અપમાન છે. આવી રીતે પ્રગતિ સાધીને હરખાતા લોકોને રડવા માટે ખભો પણ નથી મળતો.
કોઇને દગો આપીને..
બીજાને ઉલ્લુ બનાવીને, બીજા – સાથે છળકપટ કરીને કદી પ્રગતિ થતી હોય તો એને સ્વીકારવી નહીં. છળ એ મળ જેવું છે. આખુ જીવન ગંદુ કરી નાંખે છે. પ્રગતિમાં તો પોતીકી હોવી જાેઈએ. બીજાને છેતરીને કરેલી પ્રગતિની કોઈ કિંમત નથી હોતી
અપ્રામાણિકતાથી…
બેઈમાની અને અપ્રમાણિકતાથી ઝડપથી પ્રગતિ થતી હોય છે. પણ ખરેખર એ પ્રગતિ બહું ટકતી નથી. કારણ કે એના પાયામાં બેઈમાનીના જીવડા ખદબદતા હોય છે. બેઈમાની અને અપ્રામાણિકતાના પાયા પર ચણેલી પ્રગતિની ઈમારતને ઉધઈ લાગી જાય છે અને જમીન દોસ્ત થઈ જાય છે. માટે એવી પ્રગતિ ના કરવી.
પ્રગતિમાં પાપની દૂર્ગંધ ના હોવી જાેઈએ
]]>
https://gujjulogy.com/pramanikta-sathe-karo-pragti/feed/ 0
Bodh katha Gujarati | આંધળો અનુભવ – જ્યારે શિવજીએ એક ગરીબ વૃદ્ધની મદદ કરવાની ના પાડી!? https://gujjulogy.com/bodh-katha-gujarati/ https://gujjulogy.com/bodh-katha-gujarati/#respond Sat, 02 Sep 2023 11:20:02 +0000 https://gujjulogy.com/?p=1595

 

Bodh katha Gujarati । જ્યારે પાર્વતીજીએ ભગવાન શિવને કહ્યું કે આ ગરીબની મદદ કેમ નથી કરતા? ત્યારે શંકર ભગવાને જે જવાબ આપ્યો તે દરેકે વાંચવા જેવો છે

 

Bodh katha Gujarati । એક વખત ભગવાન શંકર અને પાર્વતીજી અકાશ માર્ગે જઈ રહ્યાં હતા. પુષ્પક વિમાનમાં બેઠા બેઠા પાર્વતીજી પૃથ્વી પરના લોકોને જાેઈ રહ્યાં હતા. અચાનક એમની નજર જંગલમાંથી પસાર થઈ રહેલા એક ગરીબ વૃદ્ધ માણસ પર પડી.

એ વૃદ્ધ માણસ ચીંથરેહાલ હતો. ઘણા દિવસથી એણે ખાધુ ના હોય એવું લાગતું હતું. એને જાેઈને પાર્વતીજીને દયા આવી ગઈ. એમણે ભગવાન શંકરને કહ્યુ, ‘ભગવાન, આ માણસ બહું જ ગરીબ લાગે છે. એ ભુખ્યો પણ લાગે છે. મહેરબાની કરી એને કોઈક મદદ કરો.’
શંકર ભગવાને કહ્યુ, ‘ના, પાર્વતીજી એને કોઈ જ પ્રકારની મદદ કરાય તેમ નથી.’

પાર્વતીજીએ પૂછ્યુ, ‘પણ શા માટે એને મદદ ના થઈ શકે?’

ભગવાને સમજાવ્યુ, ‘પાર્વતીજી, સુખ, દુઃખ, સંપતિ એ બધું જ માણસના નસીબ મુજબ જ મળે છે. અને નસીબ કામ કરે છે કર્મના આધારે. એના કર્મો એવા ખરાબ હશે એટલે જ એના આવા નસીબ લખાયા હશે. કર્મ કરે એના જ નસીબ ખુલે છે. બાકી ક્યારેય કોઈ ચમત્કાર એને કામ લાગતો નથી. આ માણસ એક નંબરનો કામચોર છે. એણે આખી જિંદગી આળસ જ કરી છે. માટે આજે એ ગરીબી અને ભુખ સહન કરી રહ્યો છે. હું એને કશું જ આપી નહીં શકું. આપીશ તો પણ એના નસીબમાં નહીં લખેલું હોય તો એ નહીં જ ભોગવી શકે. નસીબથી વધારે અને સમયથી પહેલાં કદી કોઈને કંઈ મળી શકતું નથી. અને નસીબ ઘડાય છે કર્મથી.’

ભગવાન શંકરનું લાંબુ લચ્ચ ભાષણ સાંભળીને પાર્વતીજી ગુસ્સે થઈ ગયા, ‘આ બધી તમારી સુફિયાણી વાતોથી મને ભરમાવો નહીં. બસ એની મદદ કરો જ કરો. મારે બીજું કાંઈ નથી સાંભળવું. હું પણ જાેઉં છું કે એને કેમ નથી મળતું. તમે એક કામ કરો. એક સાચુ રત્ન એના રસ્તામાં ફેંકી દો. જેથી એ માણસનું નસીબ બદલાઈ જાય. એ રત્ન વેચીને એ એની જિંદગીના બાકીના દિવસો શાંતિથી વિતાવી શકે. તમે પણ જુઓ. એના નસીબ હું કેવા ચમત્કારથી બદલું છું. ’

ભગવાન શંકરે મર્માળુ હસતા એમની વાત સ્વીકારી લીધી અને પેલો ગરીબ જ્યાંથી ચાલ્યો જતો હતો ત્યાંજ થોડે જ દૂર એક સારુ રત્ન ફેંક્યુ. કરોડોની કિંમતનું એ રત્ન એના નસીબ ફેરવી નાંખવાનું હતું.

એ ગરીબ એ રત્નથી માંડ દસેક ડગલાં જ દૂર હતો. પણ એકલા ચાલતા ચાલતા એને વિચાર આવ્યો કે, આ દુનિયામાં આંધળા માણસોને તો બહું તકલીફ પડતી હશે. એ લોકો બીચારા કેવી રીતે અવર જવર કરતાં હશે. લાવને જાેઉં તો ખરો કે આંધળા બની કેવી રીતે ચલાય છે. આમ વિચારીને એણે આંખો બંદ કરી આંધળાની જિંદગીનો અનુભવ કરતાં ચાલવા માંડ્યું. એ વીસેક ડગલાં એવી રીતે ચાલ્યો. એના કારણે રસ્તામાં પડેલું પેલું રત્ન એના ધ્યાનમાં ના આવ્યુ.

પાર્વતીજી આધાતથી દિગ્મૂઢ બની ગયા. ભગવાન શંકર મર્માળુ હસતા બોલ્યા, ‘દેવી, જાેઈ લીધું ને. જે નસીબમાં નથી હોતું એ નથી જ મળતું. કર્મ કર્યા વિના નસીબ પણ સાથ નથી આપતું. માટે દુનિયામાં જેટલાં દુઃખી જીવો છે એ પોતાના કર્મના અધારે છે. નસીબના અધારે નહીં. એ લોકો જાે કર્મ કરે તો નસીબ તો અજવાળુ બનીને ઉભુ જ છે.’

આખરે પાર્વતીજીએ પણ એમની વાત માનવી પડી.

સાર એ છે કે નસીબ કર્મથી ઘડાય છે.

નસીબથી વધારે અને સમયથી પહેલાં કદી કોઈને કાંઈ જ મળતું નથી.

]]>
https://gujjulogy.com/bodh-katha-gujarati/feed/ 0
પતિ-પત્ની | દરેલ પતિ-પત્નીએ અચૂક વાંચવા જેવી વાત |  Gujarati Short Story Pati Patni https://gujjulogy.com/gujarati-short-story-pati-patni/ https://gujjulogy.com/gujarati-short-story-pati-patni/#respond Sat, 12 Aug 2023 16:02:40 +0000 https://gujjulogy.com/?p=1534  

Gujarati Short Story Pati Patni | દરેલ પતિ-પત્નીએ અચૂક વાંચવા જેવી વાત..

Gujarati Short Story Pati Patni | એક દંપતી હતું. એકબીજાને દિલ ફાડીને ચાહે. લગ્નનાં પચ્ચીસ-પચ્ચીસ વર્ષ થયાં હતાં પણ પ્રેમ એમનો આભને આંબતો હતો. એક દિવસ પત્નીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. પતિ એને તાત્કાલિક હાસ્પિટલ લઈ ગયો. થોડા દિવસ દવાખાનામાં રાખ્યા બાદ ડાક્ટરે જાહેર કર્યું કે એમની પત્ની અલ્ઝાઈમરનો ભોગ બની છે. એને હવે કશું જ યાદ નથી. એ એની પાછલી જિંદગીની તમામ પળો, લોકો, સંબંધીઓ બધું જ ભૂલી ગઈ છે. એના સાજા થવાના કોઈ ચાન્સ નથી. પતિ આઘાતથી સ્તબ્ધ થઈ ગયો.

પત્ની હાસ્પિટલમાં જ હતી. પતિ રોજ હાસ્પિટલ જતો. એને પ્રેમથી જમાડતો. એની સાથે વાતો કરતો, જૂના સંસ્મરણો તાજાં કર્યા કરતો. પણ પત્ની અજાણ્યાની જેમ સાંભળ્યા કરતી. કંઈ પ્રતિભાવ ન આપતી. આવું લગભગ બે વર્ષ ચાલ્યું. એક દિવસ નર્સે પતિને કહ્યું…
‘અંકલ, તમે નાહકના ધક્કા ખાવ છો અને તમારું ગળું દુખાડો છો. તમારી પત્નીમાં હવે કોઈ ફર્ક નથી પડવાનો. એ તમને નથી ઓખળતી. તમારી સાથેનો સંબંધ પણ એને ખબર નથી.
નર્સની આ વાત સાંભળી પતિએ જે કહ્યું તે વાક્ય ખૂબ પ્રેરણાત્મક છે…
આખી વાત વાંચવા માટે ઉપર આપેલી લિંક પર ક્લિક કરો…

પતિએ જવાબ આપ્યો, ‘એ ભલે મને ના ઓળખતી હોય પણ હું તો એને ઓળખું છું ને! મને એની સાથેનો સંબંધ ખબર છે એટલું પૂરતું છે.

બસ આગળ કંઈ કહેવું નથી. પતિ-પત્નીના સંબંધની આ ચરમસીમા છે.

લગ્નસંબંધ – મખમલને મુલાયમ રાખવાનો સંબંધ

લોહીના ના હોય એવા સંબંધોમાં બંધાતો શ્રેષ્ઠ સંબંધ છે પ્રેમસંબંધ. અને આ પ્રેમસંબંધ ક્યાંક ને ક્યાંક લગ્નસંબંધ સાથે જોડાયેલો છે. લગ્ન એટલે પતિ અને પત્નીનો સંબંધ. પ્રેમ બાદ વ્યક્તિઓ લગ્નથી જોડાય છે અથવા લગ્ન બાદ પ્રેમના તાંતણે બંધાય છે. આ સંબંધમાં પ્રેમ એ લ.સા.અ. છે.

પતિ અને પત્નીનો સંબંધ એ એવો સંબંધ છે જે જોડાય છે તો લાગણીથી પણ એ લોહીના સંબંધને જન્મ આપે છે. બહુ સામાન્ય પણ માર્મિક વાત છે. આ વાત જ આ સંબંધની તાકાતની સાક્ષી પૂરે છે. આખી દુનિયામાં જેટલા પણ લોહીના સંબંધો છે એ લગ્નસંબંધથી જોડાયેલા છે. લગ્ન દ્વારા જ પતિ અને પત્ની સંતાનને જન્મ આપે છે અને એમાંથી પછી દીકરો, દીકરી, ભાઈ, બહેન, કાકા, કાકી વગેરે લોહીના સંબંધોનો જન્મ થાય છે.

શ્રેષ્ઠતાની પણ ટોચે મૂકી શકાય એવા પતિ-પત્નીના સંબંધનો પિંડ વિશ્ર્વાસ, હૂંફ, દોસ્તી અને આકર્ષણથી બંધાયેલો હોય છે. આ સંબંધમાં હોય છે તો મૂળ લાગણી જ પણ એના જેવો રંગ બીજે ક્યાંય જોવા નથી મળતો. જુદા જ રંગના આ સંબંધને જાળવવો સાવ સહેલો પણ છે અને બહુ અઘરો પણ. ઘણા લગ્નસંબંધો તૂટતા પણ હોય છે પણ તેમ છતાં એક વાત જો કહેવી હોય તો જરૂર કહી શકાય કે લગ્ન એ એક એવો સંબંધ છે જેમાં શરીર બે હોય છે પણ આત્મા એક જ. આ મખમલને મુલાયમ રાખવાનો સંબંધ છે…

રાજભોગ……………………………………..

તમારે તમારા સંબંધોને ગાઢ અને આત્મીય બનાવવા છે ને ?
તો તમે તમારી સાથે સંબંધ ધરાવતા તમામ લોકોના
શ્ર્વેત-શ્યામ ચહેરાને માત્ર જોયા ન કરો.
તેમાં થોડા નવા રંગો ભરવાના ભરપૂર પ્રયાસો કરો.

– માર્ક બ્રાયન

 

]]>
https://gujjulogy.com/gujarati-short-story-pati-patni/feed/ 0
બોધકથા | Bodh Katha | સૌથી મોટો ગરીબ! Gujarati Short Varta https://gujjulogy.com/bodh-katha-raja-and-bhikhari/ https://gujjulogy.com/bodh-katha-raja-and-bhikhari/#respond Sat, 29 Jul 2023 06:21:59 +0000 https://gujjulogy.com/?p=1523

Gujarati Short Varta | એક ફકીરે રાજાને થોડા રૂપિયા દાનમાં આપ્યા અને પછી શું થયું વાંચો…

Gujarati Short Varta | બહું જ જુના જમાનાની વાત છે. એક સામાન્ય માણસ હતો. બહું ધનવાન પણ નહીં અને સાવ ગરીબ પણ નહીં. એ દાન – ધર્મમાં ખૂબ જ માનતો હતો. એ કમાય એનો વીસ ટકા હિસ્સો એ દાનમાં આપી દેતો હતો. પોતાને સુખ-સગવડોનો બહું મોહ નહોતો.

એક દિવસ એ કેટલાંક ગરીબોને રૂપિયા દાનમાં આપી રહ્યો હતો. એની આસપાસ ભારે ભીડ હતી. લોકો એક એક રૂપીયા માટે એની સામે હાથ લંબાવી રહ્યાં હતા. એ માણસે બધાને એક તરફ ઉભા રાખી દીધા અને દાન આપવા માંડ્યો.

એક પછી એક વ્યક્તિને એ દાન આપી રહ્યો હતો. ત્યાંજ ત્યાંથી એ નગરનો રાજા પસાર થયો. આ ફકિર જેવા માણસે રાજાને ઉભો રાખ્યો અને એના હાથમાં પણ રૂપીયાના સિક્કા મુકી દીધા. રાજાને ગુસ્સો પણ ચડ્યો અને આશ્ચર્ય પણ થયું.

રાજાએ ફકિરને ઉભો રાખ્યો અને પૂછ્યુ, ‘ભાઈ, તને ખબર છે હું કોણ છુ?’

ફકીરે કહ્યુ, ‘હા, તમે આ નગરના રાજા છો.’

‘તો પણ મને તું આ રૂપીયાના ચંદ સિક્કાઓ દાનમાં આપે છે? તને ખબર છે મારી સંપતિ કેટલી છે? મારી પાસે આવા સોનાના સિક્કાઓના ઓરડાં ભર્યા છે. હું આ નગરનો જ નહીં પણ આસપાસના તમામ નગરનો ધનવાનમાં ધનવાન વ્યક્તિ છું. આ રીતે મને આ રૂપીયાઓ આપીને તે જાણી જાેઈને મારું અપમાન કર્યુ હોય એવું લાગે છે. આ માટે તને સજા કરવી પડશે.’

ફકિર જેવો માણસ બોલ્યો, ‘આપની વાત સાચી છે! મેં જાણી જોઈને જ આ સિક્કાઓ તમને દાનમાં આપ્યા છે. કારણ કે આપને ભ્રમ છે કે તમે ધનવાનમાં ધનવાન વ્યક્તિ છો. તમે ધનવાન નથી રાજન! તમે તો આ નગર અને આસપાસના તમામ નગરના ગરીબમાં ગરીબ વ્યક્તિ છો. ’

રાજા ગુસ્સે ભરાયો, ‘અરે, ગુસ્તાખ ફકીર! તું ચાલ મારી સાથે, તને હું મારા રૂપીયા બતાવું.’

ફકીર હસ્યો, ‘રાજા, તમારી પાસે રૂપીયા ભલે હોય. પણ તમે એમાંથી એક પણ રૂપીયો કદી કોઈને દાનમાં આપ્યો નથી. તમારી પાસે ભલે ગમે તેટલું ધન હોય, પણ તમે હજુ તૃપ્ત થયા નથી એટલે તમે ગરીબ જ કહેવાવ. તમારી સંપતિ ગમે તેટલી હોય પણ તમને હજુ લોભ અને લાલચ છે, માટે તમે ગરીબ છો. રાજન તમારી તૃષ્ણાએ તમને ગરીબ કરી મુક્યા છે. જે માણસનું ધન દાન ધર્મમાં નથી વપરાતું અને જે માણસને અતિશય ધન હોવા છતાં પણ એ બીજાને દાન નથી આપતો એ ગરીબ છે. માટે મેં તમને પણ દાન આપ્યુ.’

ફકીરની વાત સાંભળીને રાજા શરમાઈ ગયો. એની માફી માંગી અને કહ્યુ, ‘ફકીર આજે તમેં મારી આંખો ખોલી દીધી છે. આજથી હું સંકલ્પ કરું છું કે ધનની લાલચ છોડી દઈશ અને દાન ધર્મમાં રૂપીયા વાપરીશ.’

ફકીર બોલ્યો, ‘તો હવે તમે ખરા ધનવાન!’

 

દુનિયામાં લાખો કરોડો ગરીબો છે, પણ આપણને દેખાતા નથી. કારણ કે આપણી ઈચ્છા નથી!

 

]]>
https://gujjulogy.com/bodh-katha-raja-and-bhikhari/feed/ 0
મહાજ્ઞાની રાવણ પાસે લક્ષ્મણજી રાજનીતિના પાઠ ભણવા ગયા…!! અને રાવણે માત્ર એક લીટીમાં આ જ્ઞાન આપ્યુ…!! Ravan Laxman Samvad https://gujjulogy.com/ravan-laxman-samvad/ https://gujjulogy.com/ravan-laxman-samvad/#respond Fri, 21 Jul 2023 16:35:44 +0000 https://gujjulogy.com/?p=1493
રાવણનો માત્ર એક લીટીનો સંદેશ | Ravan Laxman Samvad | મહાજ્ઞાની રાવણે માત્ર એક લીટીમાં લક્ષ્મણજીને જે સંદેશ આપ્યો તે કળયુગમાં દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે
ભગવાન શ્રી રામ અને રાવણનું યુદ્ધ થયું. રાવણ હણાયો અને શ્રી રામનો વિજય થયો.
શ્રી રામે એમની છાવણીમાં આવીને લક્ષ્મણને સૂચના આપી, ‘ભાઈ, રાવણ એના આખરી શ્વાસ ગણી રહ્યો છે. એની આ છેલ્લી ઘડી છે. હવે એની પાસે સમય ખૂબ ઓછો છે. એ ભલે આપણો શત્રુ હોય પણ એનું જ્ઞાન વંદન યોગ્ય છે. રાવણ પાસે રાજનીતિનું અદ્‌ભુત જ્ઞાન છે. તું અત્યારે જ એની પાસે જા અને રાજનીતિના મહત્વના પાઠ અને રાજાના કર્તવ્યો વિશે એની પાસેથી શીખી લે. એ ના નહીં પાડે એની મને ખાતરી છે.’
લક્ષ્મણજી તરત જ રાવણ પાસે ગયા. બે હાથ જોડી એમને વંદન કર્યા અને કહ્યુ, ‘આપને વંદન. આપનું જ્ઞાન અભૂતપૂર્વ છે. હું આપની પાસેથી રાજનીતિનું જ્ઞાન લેવા આવ્યો છું. મહેરબાની કરી આપ મને જ્ઞાન આપો.’
રાવણનો શ્વાસ લથડી રહ્યો હતો. એણે તૂટક તૂટક અવાજે કહ્યુ, ‘ભાઈ, હવે તો મારાથી સરખું બોલતાનું પણ નથી. અને રાજનીતિ વિષય ખૂબ જ ઉંડો છે. હું આપને શું કહું?’
‘કંઈક જ્ઞાન તો આપો!’
‘તો સાંભળ, હું જીવનનું મહત્વનું જ્ઞાન તને આપું છું. ચાહે સંબંધો હોય, રાજનીતિ હોય કે જીવનનું બીજું કોઈ પાસુ. વર્તમાન સમય ક્યારેય બગાડશો નહીં. આજની ઘડી સૌથી મુલ્યવાન હોય છે. આજનો ઉપયોગ કરજો. આજે થઈ શકે એવું કોઈ પણ કામ ક્યારેય કાલ પર મુલતવી ના રાખશો. આજનું કામ આજે જ પુરું કરજો, નહીંતર જીવન પુરું થઈ જશે.
હું તને મારી જ વાત કરું. મારી પાસે અદ્‌ભુત શક્તિ અને જ્ઞાન હતા. પણ મેં આજની ઘડીનો ઉપયોગ ના કર્યો. દરેક કામ હું પાછું ઠેલતો ગયો એના કારણે મારા વિચારેલા કોઈ કાર્યો પૂર્ણ થયા નહીં. મારે ખારા વખ સમુદ્રને મીઠો કરવો હતો અને ઢીંચણ સમાણો કરવો હતો. મારે જગતમાંથી નરક અને એની યાતનાઓ દૂર કરવી હતી. હું બધું જ કરવા શક્તિમાન પણ હતો. અને એના કારણે જ મેં એવું વિચાર્યુ કે, થશે બધું. આજે શું ઉતાવળ છે, આવતીકાલે કરીશ. પણ એ આવતીકાલ કદી આવી જ નહીં. આમ આવતીકાલની રાહ જોતા જોતા બધી જ ‘આજ’ વેડફાઈ ગઈ. મેં આજનો ઉપયોગ ન કરીને સમય જ નહીં મારી જિંદગી પણ બગાડી નાંખી. હવે જ્યારે હું મરવા પડ્યો છું ત્યારે મને ખૂબ જ પસ્તાવો થાય છે. માટે હું પણ તને એક જ સલાહ આપું છું કે વર્તમાન સમયને બગાડશો નહીં. જો તમને આજની ઘડીનો ઉપયોગ કરતા આવડી જશે તો જીવનના દરેક ક્ષેત્રમાં તમારો વિજય થશે. ’
રાવણ પાસેથી રાજનીતિનું જ નહીં પણ જીવનનું અમુલ્ય જ્ઞાન લઈને લક્ષમણજી પરત ફર્યા. એમણે જિંદગીભર રાવણની શિખામણનું પાલન કર્યુ. આજે થઈ શકે એવું કોઈ કામ આવતીકાલ પર મુલતવી ના રાખ્યુ. અને તેઓ જીવનને જીતી ગયા.
આપણે પણ મહાજ્ઞાની રાવણની આ શીખામણ ધ્યાનમાં રાખીએ અને આજના બધા જ કાર્યો આજે જ કરીએ. અને જીવનને ઉજ્જવળ બનાવીએ.
ભવિષ્ય સુધારવું હોય તો આજ,  એટલે કે વર્તમાન ન બગાડશો
]]>
https://gujjulogy.com/ravan-laxman-samvad/feed/ 0
Gujarati Short Story | અનુકરણ એટલે મરણ । એક ખૂબ ટૂંકી બોધકથા https://gujjulogy.com/gujarati-short-story/ https://gujjulogy.com/gujarati-short-story/#respond Tue, 18 Jul 2023 10:08:57 +0000 https://gujjulogy.com/?p=1460 Gujarati Short Story |

 

Gujarati Short Story | એક આશ્રમ હતો. અહીં એક ગુરૂ હતા જેમની ઉંમર ખૂબ મોટી હતી. આ ગુરૂને કેટલાંક શિષ્યો પણ હતા. એક દિવસ ગુરૂને લાગ્યું કે હવે આ દેહ છોડવાનો સમય નજીક આવી ગયો છે. એટલે તેમણે તેમના બધા જ શિષ્યોને બોલાવ્યા.

તેમણે શિષ્યોમાંથી એક શિષ્યને કહ્યું કે મારા બધા જ લખેલા પુસ્તકો (હસ્તપ્રત) અહીં લઈ આવ. શિષ્ય એ એવું જ કર્યું. થોડીવારમાં જ શિષ્ય ગુરૂના લખેલા બધા જ પુસ્તકો લઈ આવ્યો અને તેમની સામે મુકી દીધા.

બધા શિષ્યોને લાગતું હતું કે ગુરૂનો જવાનો સમય આવી ગયો છે એટલે ગુરૂજી પોતાનો છેલ્લો સંદેશ આપવા માંગે છે. બધા વિચારતા હતા કે ગુરૂનો છેલ્લો સંદેશ શું હશે? એટલામાં ગુરૂજી ઊભા થયા અને તેમના લખેલા પુસ્તકોને સળગાવી દીધા.

બધા શિષ્યો જોતા જ રહી ગયા. બધાને દુઃખ થયું. ગુરૂજીએ આ શું કર્યું? હવે શું થશે? એક શિષ્યએ પુછ્યું પણ ખરું કે ગુરૂજી આવા અમૂલ્ય ગ્રંથો કેમ સળગાવ્યા? હવે તમારા વિચારોવાળા ગ્રંથો ક્યાંથી લાવીશું? બધા હાથથી લખેલા ગંથો હતા. હવે તેની નકલ પણ નહીં મળે?

આ સાંભળી ગુરૂજીએ જે છેલ્લો સંદેશ આપ્યો તે આજે દરેકે સમજવા જેવો છે…!!

ગુરૂએ કહ્યું કે હવે હું વિદાય લવ છું. હું મારા વિચારો અને અભિપ્રાયો અહીં શું કામ મૂકીને જવ. તમને મારો છેલ્લો સંદેશ એ જ છે કે કોઇનું અનુકરણ કરતા નહીં. મારું પણ નહી. મારા વિચારોને સમજતા પહેલા તમે સ્વયંને પહેલા ઓળખો તો બહુ છે! મને કે મારા વિચારોને નહી પણ તમારા ભીતરમાં ઊતરી “સ્વ” ની ખોજ કરો. મારો શિષ્ય પોતાનું કલ્યાણ જાતે જ કરી શકે છે. તેમને મારા ગ્રંથોની જરૂર નથી. માટે મેં તેમને આગ ચાપી છે…!!

 

]]>
https://gujjulogy.com/gujarati-short-story/feed/ 0