Lifestyle – Gujjulogy.com https://gujjulogy.com Thu, 31 Aug 2023 09:07:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Lifestyle – Gujjulogy.com https://gujjulogy.com 32 32 પ્રાણી અને પક્ષીઓ પાસેથી આ વસ્તું શીખી લો ક્યારેય બિમાર નહી પડો | Lessons to learn from birds https://gujjulogy.com/lessons-to-learn-from-birds/ https://gujjulogy.com/lessons-to-learn-from-birds/#respond Thu, 31 Aug 2023 09:07:27 +0000 https://gujjulogy.com/?p=1576

Lessons to learn from birds | કોઇ પણ દવા કે ડોક્ટર વગર…પ્રાણી-પક્ષી જગતની આ જીવનશૈલી જાણાવા જેવી છે. તેમાંથી શીખવા જેવું છે. માનવ તેમાંથી શું શીખી શકે છે? આવો જાણીએ…

Lessons to learn from birds | આ પૃથ્વી પર માનવનો જન્મ થયો ત્યારે તેની એક કુદરતી જીવનશૈલી હતી. આ જીવનશૈલી આજે બદલાઈ ગઈ છે અને જેના કારણે અનેક બિમારીએ જન્મ લીધો છે. સાજા થવા માટે આજે માનવને દવાની જરૂર પડે છે પણ પહેલા દવાની જરૂર પડતી નહી. કુદરતે પ્રાણીઓની જેમ માનવને પણ પોતાની બિમારી દવા વગર તેની જાતે દૂર કરવાની શક્તિ આપી જ હતી.
પણ આપણે કુદરતી જીવનશૈલી ભૂલી ગયા ને અને આપણું શરીર આ કુદરતી દવા પણ ભૂલી ગયું. આ શક્તિ આજે પણ પ્રાણીઓ અને પક્ષીઓ પાસે છે. કેમ કે તેમણે પોતાની કુદરતી જીવનશૈલી જાળવી રાખી છે. જંગલમાં રહેતા આ પ્રાણી-પક્ષીઓને કોઇ દવાની જરૂર પડતી નથી. તેઓ બિમાર પડે છે અને સાજા પણ થઈ જાય છે. કોઇ પણ દવા કે ડોક્ટર વગર…પ્રાણી-પક્ષી જગતની આ જીવનશૈલી જાણાવા જેવી છે. તેમાંથી શીખવા જેવું છે. માનવ તેમાંથી શું શીખી શકે છે? આવો જાણીએ…

પ્રાણી-પક્ષીઓમાંથી માનવે આ શીખવા જેવું છે…!! Lessons to learn from birds

#૧

પ્રાણી – પક્ષીઓ રાત્રે ખાતા નથી. સૂર્ય આથમી ગયા પછી તેઓ શરીરમાં એક પણ અન્નનો દાણો નાંખતા નથી. આપણે શું કરીએ છીએ? આપણે પણ સૂર્યાસ્ત પછી ન ખાવું જોઇએ

#૨

રાત્રે મોડી રાત સુધી જાગતા નથી. આપણે પણ સૂવાનો સમય નક્કી કરી દઈએ તો અદધા રોગો દૂર થઈ જાય.

#૩

ભૂખ લાગી હોય તેના કરતા વધારે ક્યારેય ખાતા નથી. ભૂખ હોય એટલું જ ખાય છે. આપણે ખૂબ વધારે ખાવાથી દૂઃખી થઈએ છીએ.

#૪

ખાવાનું ભેગુ કરતા નથી. જ્યા ખાવાનું મળે ત્યાં જઈને પેટ ભરાય એટલું ખાય છે અને પછી ઉડી જાય છે. સાથે કઈ લઈ જતા નથી. હા પોતાના બાળકો માટે લઈ જાય છે પણ તે
પણ તેમના પૂરતું જ! આપણે સંગ્રહ કરતા થઈ ગયા. વાસી ખોરાક ખાતા થઈ ગયા પરિણામે રોગો પણ વધી ગયા.

#૫

કુદરતે તેમની જે જીવનશૈલી ઘડી છે તેઓ તેવી રીતે જ જીવે છે. આપણી જીવનશૈલી પણ કુદતરે એવી જ ઘડી હતી પણ આપણે તેને ભૂલી ગયા છીએ. ઉઠવ-સૂવા-ખાવામાં કુદરતે
ધડેલા નિયમો અનુસરો, ક્યારેય બિમાર નહી પડો…

#૬

સવારે વહેલા સમય સર ઊઠી જાય છે અને રાત્રે સમયસર વહેલા ઊંઘી જાય છે. આ નિયમિતતા માનવ કેળવે તો તે હંમેશાં નિરોગી જીવન જીવી શકે. ઉજાગરાનો અર્થ
પ્રાણી-પક્ષીઓને ખબર નથી એટલે તેઓ ખુશ છે અને સ્વસ્થ છે.

#૭

સવારે તણાવમાં નથી ઊઠતા. કલરવ સાથે ગાતા-ગાતા ઉંઠે છે. આપણે તણાવમાં, ચિંતા સાથે સવારની શરૂઆત કરીએ છીએ.

#૮

પોતાના શરીર પાસેથી ખૂબ કામ લે છે, આરામ પણ કરે છે પણ જરૂર હોય એટલો જ. માનવ પણ આ કરે તો પક્ષીઓની જેમ માનવને પણ કોઇ હાર્ટ અટેક નહી આવે, કિટની ખરાબ
નહી થાય, પેટના રોગ નહી થાય…

#૯

પ્રાણી અને પક્ષી પોતાનો આહાર ક્યારે બદલતા નથી. અને માનવે શું કર્યુ? જે કોઇ ના ખાય તે પણ માનવ ખાઈ લે…હંમેશાં સ્વસ્થ રહેવું હોય તો આહારશૈલી સુધારવી જોઇએ.

#૧૦

પ્રાણીઓ કે પક્ષીઓ બિમાર પડે તો ખાવાનુ બંધ કરી દે છે. આપણે શું કરીએ છીએ? માનવે આ શીખવા જેવું છે. પ્રાણીજગત, પક્ષીજગત બિમાર પડે તો તેઓ સૌથી પહેલા ખાવાનું
બંધ કરી દે છે. થોડા દિવસ ભૂખ્યા રહે છે. આનાથી તેઓ તેની જાતે જ સાજા થઈ જાય છે. માનવ પણ આવું કરે તો ખરો ફરક પડે…નાની-નાની બિમારો માટે દવા જ ન લેવી પડે.

#૧૧

પ્રકૃતિ પાસથી એટલું જ લે છે જેટલું તેમને જરૂર હોય છે.

 

 

]]>
https://gujjulogy.com/lessons-to-learn-from-birds/feed/ 0
આ ૧૦ પાવરફૂલ સામાન્ય આદતો તમારું જીવન બદલી નાખશે । 10 Powerful Habits https://gujjulogy.com/10-powerful-habits/ https://gujjulogy.com/10-powerful-habits/#respond Sat, 29 Jul 2023 05:00:02 +0000 https://gujjulogy.com/?p=1138  

10 Powerful Habits । બિલ ગેટ્સનું એક વાક્ય છે કે તમે ગરીબ પેદા થાવ એમા તમારો વાંક નથી પણ તમે ગરીબ તરીકે મૃત્યુ પામો તેમા તમારો જ વાંક છે. આ પૃથ્વી પર જેણે માનવ તરીકે જન્મ લીધો હોય તે ધરે એ કામ કરી જ શકે છે. અહીં ૧૦ એવી આદતોની વાત કરવામાં આવી છે જેને કોઇ પણ વ્યક્તિ અપનાવી લે તો સમજો તેનું જીવન બદલાઈ ગયું. આ આદતો સાવ સામાન્ય છે. આવો જોઇએ…10 Powerful Habits

 

#૧ ઊઠો વહેલા

આ વાત બધાને ખબર છે પણ તેને જીવનમાં ઉતારવી કોઇએ નથી. આપણા વડવાઓ કહી ગયા છે કે સૂર્ય ઉગે તે પહેલા પથારી છોડી દેવી જોઇએ. પણ આપણે એવું કરી શકતા નથી. વહેલા ઊઠવું જોઇએ અને વહેલા ઊંઘવું જોઇએ. ઘણા એવું બહાનું કાઢે છે કે વહેલા ઊંધ નથી આવતી. પણ મિત્રો વહેલા ઊંઘ ન આવવાનું એક કારણ છે સવારે મોડા ઊઠવું. તમે મોડા સુધી સૂતા રહેશો તો સ્વભાવિક છે કે રાત્રે વહેલા ઊંધ ન જ આવે. બીજું કે વહેલા ઉઠશો તો તમે અનુભવશો કે તમારી પાસે સમય વધારે છે. પૂરતી ઊંઘ લીધી હોવાથી સવારે આપણું શરીર સ્ફૂર્તિમાં હોય છે તમે જે કામ કરશો તે સારી રીતે તમે પૂર્ણ કરી શકશો. બાકી વહેલી સવારે ઉઠવાન બીજા અનેક ફાયદા છે એ પણ તમે જાણો જ છો, બસ મન મક્કમ કરો અને આ ટેવ પાડી જુવો…

#૨ બોલો આરામથી…

ખાવામાં અને બોલવામાં ઉતાવળ ન કરવી જોઇએ. આરામથી બોલવાથી બે ફાયદા થાય છે. એક તો તમે જે કહેવા માંગો છો તે સરળતાથી કહી શકશો અને તમે જે કહેવા માંગો છો તે સામેવાળો સમજી પણ શકશે. બીજું આપણે ખૂબ ઉતાવળા છીએ. સામે વાળાને સમજ્યા વિના જ અડધેથી બોલવા લાગીએ છીએ. આપણે તેનો પ્રશ્ન સમજવ માટે નથી પણ તેના પશ્નનો જવાબ આપવા માટે તેને સાંભળતા હોઇએ છીએ, આનું પરિણામ ઘણીવાર એવું આવે છે કે સામેવાળાનો પ્રશ્ન કંઇક અલગ હોય અને ઉતાવળમાં આપણે બોલી કંઈક બીજું જ કાઢ્યું હોય. આનાથી સમસ્યા ઉભી થાય છે. માટે એક ટેવ પાડો આરામથી સાંભળો અને આરમથી તેનો જવાબ આપો.

#૩ પહેરો સારું

આપણે કપડા સારા જ પહેરવા જોઇએ. સારાનો મતલબ એ નથી કે આપણે બ્રાન્ડેડ કપડા જ પહેરવા જોઇએ. તમે જે કપડા પહેરો તેને સ્વચ્છ અને સુઘડ રીતે પહેરો. ખાદી પહેરો પણ તેને યોગ્ય રીતે પ્રેસ કરીને પહેરો, બીજા અન્ય સસ્તા કપડા પહેરો પણ તેને વ્યવસ્થિત ધોઈને પહેરો. આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. તમે જોયુ હશે જે દિવસે તમે ગમતા કપડા પહેર્યા હોય તે દિવસે તમન કંઇક અલગ ફીલ થાય છે. સારા કપડા ઘણીવાર વ્યક્તિનો આત્મવિશ્વસ વધારી દેતા હોય છે. તમને ફીલ થાય કે આજે હું ખૂબ સારો દેખાવ છું તો પછી એક અલગ પ્રકરનું તેજ તમારા ચહેરા પર છલકાય છે.

 

#૪ લાંબા શ્વાસ લો…

શ્વાસ હંમેશાં લાંબા અને નાભી સુધીના લેવા જોઇએ. શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવું હોય તો લાંબા શ્વાસ લેવા જોઇએ. લાંબા શ્વાસ લેશો તો શરીરના ખૂંણે – ખૂણે ઓક્સિજન પહોંચશે અને શરીરનું દરેક અંગ વ્યવસ્થિત રીતે કામ કરશે. તેન્શન, તણાવ આનાથી દુર થાય છે.

#૫ વિચારો ક્રિએટીવ

જમાનો સ્પર્ધાત્મક છે. વ્યવસાય કોઇ પણ હોય શિખર પર પહોંચવાની હોડ જામી છે. આવામાં બધાને બાજુ પર મૂકી તમારે તમારા ફિલ્ડમાં સૌથી પહેલા શિખર પર પહોંચવું હોય અને ત્યાં પહોંચ્યા પછી ત્યાં ટકી રહેવું હોય તો તમારા વિચારઅને કામ બન્ને ક્રિએટીવ હોવા જરૂરી છે. યાદ રાખો બધા કરતા અલગ વિચારીને જ તમે બધાને પાછળ મૂકી શકો છો. સામાન્ય કામ ભીડ કરે છે અને અસામાન્ય કામ ભીડથી અલગ વિચારનારો સફળ વ્યક્તિ કરે છે. માટે હંમેશાં ક્રિએટીવ વિચારો

#૬ શાંતિથી કામ કરો

જે પણ કામ કરો શાંતિથી કરો પણ બેસ્ટ કરો. કેટલાંક લોકો એવા છે કે જે જથ્થાબંધ કામ આપાવા માટે કામ કરે છે અને કેટલાંક લોકોને જથ્થાબંધ કામ સાથે કોઇ લેવા દેવા નથી તેમને તો તેમના કામની ગુણવત્તા સાથે જ લેવા દેવા હોય છે. કામ ઓછુ કરો પણ ગુણાવત્તાયુક્ત કરો. ગુણવત્તાયુક્ત કામ બધાને ગમતું હોય છે. આનાથી લાંબાગાળે ફાયદો થાય છે.

#૭ ખર્ચ કરો નહિવત

આજની આપણી જીવનશૈલી જ એવી થઈ ગઈ છે કે આપણે ન કરવાના હોય તેવા ખર્ચા કરવા લાગ્યા છીએ. મોલમાં જાવ એટલે ૧૦૦ રૂપિયાની બદલે ૧૦૦૦ રૂપિયાની ખરીદી આપણે કરી આવીએ છીએ. ઘણીવાર તો આપણને ન કામની હોય તેવી વસ્તું પણ ખરેદી આવતા હોઇએ છીએ. પરિણામે ખર્ચ વધી જાય છે. તાજેતરનો જ એક રીપોર્ટ છે કે ૭૦ ટકા ભારતીયોએ પોતાનો શોખ પૂરો કરવા લોન લીધી. આપણે ઉધારની જિંદગી જીવવા લાગ્યા છે. આમાંથી આપણે બહાર નીકળવાનું છે. બને એટલો ખર્ચ ઓછો કરો, યાદ રાખો કંજુસાઈની વાત અલગ છે. એ નથી કરવાની.

#૮ તંદુરસ્તી જાળવો

પહેલું સુખ તે જાતે નર્યા, કોરોનાકાળમાં બધાને ખબર પડી ગઈ કે તંદુરસ્તી જ સૌથી મોટી સંપત્તિ છે. માટે તંદુરસ્તી જાણાવો, યોગ્ય આહાર લો, થોડી હળવી કસરત કરો, યોગ કરો, તણાવથી દૂર રહો.

#૯ ઊંઘો સમયસર…

આગળ કહ્યું તેમ વહેલા ઊંથવું હશે તો વહેલા ઊંઘવું પડશે. શરીરને પૂરતી ઊંઘ પણ જરૂરી છે. મોટાભાગના સફળ વ્યક્તિઓ ૮ કલાકની ઊંઘ લેતા હોય છે. ઊંઘ સારી હશે તો તમે દિવસભર ફ્રેસ રહેશો અને કામ પણ સારું કરી શકશો. ઉજાગરા તમારા શરીરની અને મગજની શક્તિ ઓછી કરે છે.

#૧૦ મોજે દરિયા

આ સૌથી અગત્યનું છે. એકવાત યાદ રાખો જે થવાનું છે તે થવાનું જ છે. માટે તેનું ટેન્સન લઈ દુઃખી થવાની જરૂર નથી, બને તો હંમેશાં ખુશ રહો. મન ખુશ હશે તો કોઇ પણ પડકાર જનક સમસ્યાનો ઉપાય પણ શોધી શકશો…

બસ તમારા જીવનમાં પરિવર્તન લાવવું હોય તો આ 10 Powerful Habits પર ધ્યાન આપો. આટલું કરી જુવો, નક્કી તમને જ નહી બીજાને પણ ફરક દેખાશે. બસ આપણે આપણો થોડો અભિગમ બદલવાની જરૂર છે.

 

 

]]>
https://gujjulogy.com/10-powerful-habits/feed/ 0
ઘરની આર્થિક સ્થિતિ બગડવાના ૧૦ મુખ્ય કારણ આ કારણો પર વિચાર કરવા જેવો છે – Economic crisis in family https://gujjulogy.com/10-reasons-to-economic-crisis-in-family/ https://gujjulogy.com/10-reasons-to-economic-crisis-in-family/#respond Sun, 09 Jul 2023 06:55:30 +0000 https://gujjulogy.com/?p=1361

10 reasons to economic crisis in family | આ લેખ મધ્યવર્ગના લોકો માટે છે. દેખા-દેખીમાં જરૂરિયાત વધી રહી છે, ખર્ચ પણ વધી રહ્યો છે પણ આવક ઘટી રહી છે. અને એનું પરિણામ શું આવે છે? પરિવારની આર્થિક સ્થિતિ બગડી જાય છે.

10 reasons to economic crisis in family |

૧ ઘરના બધા જ સભ્યો પાસે મોંઘા સ્માર્ટ ફોન હોવા

આજે સ્થિતિ કેવી છે? પહેલા આખા વિસ્તારમાં એક ફોન હતો આજે ઘરના સભ્ય હોય એટલા મોબાઇલ હોય છે. જરા વિચાર કરો. આજે સ્માર્ટ ફોન ૧૦ હજાર રૂપિયા કરતા નીચેની કિંમતનો સારો આવતો નથી. ઘરમાં ૬ સભ્યો હોય તો પણ ૬૦,૦૦૦ રૂપિયાના તો માત્ર મોબાઇલ જ આવે. આ મોબાઇલ પણ બે વર્ષે બદલવો પડે એટલે વર્ષે – બે વર્ષે આ ખર્ચો આવતો જ રહે. વળી તેને રીચાર્જ કરાવવાનો પણ ખર્ચો…આમ જરા વિચાર કરો…શું આ ફાલતું ખર્ચ નથી. એક ઘરમાં એક અથવા બે મોબાઇલ પૂરતા છે છતાં આપણે અર્થ વગર કેટલો ખર્ચ કરીએ છીએ…આની મધ્યમવર્ગીય પરિવારોના વાર્ષિક બજેટમાં ઘણી મોટી અસર થવા લાગી છે.

૨ દેખાદેખીમાં ક્ષમતા ન હોવા છતાં બહાર ફરવા જવાનો ટ્રેન્ડ

પહેલા આપણે ફરવા જતા હતા હવે આપણે સોશિયલ મીડિયા માટે ફોટા પાડવા જઈએ છીએ. પૈસા હોય કે ન હોય સ્ટેટસ દેખાડવા ફરવા જવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. દેખાડા કરવા કોઇને બતાવી દેવા આપણે કંઇક વધારે જ ફરવા લાગ્યા છીએ. ફરવું સારીવાત છે પણ તમારામાં બજેટમાં રહીને ફરવું જોઇએ. માત્ર કોઇને દેખાડી દેવા કે સ્ટેટસ દેખાડવા ફરવા જવાનું થાય તો તેના પર વિચાર કરવો જોઇએ. કેમ કે તેનાથી કોઇ ફાયદો થવાનો નથી, ખર્ચરૂપી નુકસાન જ થવાનું છે.

૩ બાઇકથી ચાલતું હોય છતાં સ્ટેટસ માટે કાર લેવાનો ટ્રેન્ડ

પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે છાતા ખૂબ ઓછી એવરેજ આપતી કારનું વેચાણ પણ વધી રહ્યું છે. આજે ખૂબ સરળતાથી હપ્તા કે લોનના આધારે મોંધી કાર કોઇ પણ ખરીદી શકે છે. જેના કારણે જરૂર ન હોવા છતા લોકો કાર ખરીદી લે છે અને પછી પછતાય છે. યાદ રાખવા જેવું છે કે તમારું બજેટ ઓછુ હોય તો કાર ખરીદવાની જરૂર શું છે. આજે ઉબેર કેવી અનેક સેવાઓ છે, મહિને એકવાર કે વર્ષે એક-બે વાર કારની જરૂર પડે તો આ સેવાનો ઉપયોગ આપણે કરીજ શકીએ છીએ. માત્ર અમારી પાસે કાર છે એવું બતાવવા તમે કાર ખરીદતા હોવ તો આ સંદર્ભે વિચાર કરવાની જરૂર છે.

૪ અઠવાડિયામાં એકવાર બહાર જમવા જવાનો ટ્રેન્ડ

વીકએન્ડમાં તો બહાર જ જમાવું…આવી હોસિયારી મારતા અનેક લોકો તમે જોયા હશે. તમારી સ્થિતિ હોય તો કોઇ વાંધો નથી, તમે કમાઓ અને મોજથી જીવન જીવો એક મોટી વાત છે પણ માત્ર દેખા-દેખીમાં તમે વહાર જમવા જાવ એ ખોટું છે. આજે ટ્રેન્ડ જ એવો છે કે શનિવારે કે રવિવારે તમે બહાર નીકળો એટલે દરેક હોટલે તમને ભીડ જોવા મળે. આ ટ્રેન્ડ ચિંતા જનક છે. બહારનું ખાવાની ના નથી પણ નિયમિત ખાવું આરોગ્ય માટે પણ જોખમ કારક છે. પૈસા પણ બગડે છે અને આરોગ્ય પણ બગડે છે. એટલે આ ટ્રેન્ડ પર કાબૂ મેળવવાની જરૂર છે

૫ બ્યુટી પાર્લર, સલૂન, બ્રાન્ડેડ કપડાનું સાથે જીવવાનો ટ્રેન્ડ

અપણે બહુ ફિલ્મી થઈ ગયા છીએ. પૈસા હોય કે ન હોય ફેસન કરવાની જ. જેના કારણે બ્યુટી પાર્લર, સલૂન અને મોંઘા બ્રાન્ડેડ કપડાની માંગ વધી ગઈ છે. આપણે દેખાડી દેવા આવી ખોટી જગ્યાએ જરૂર કરતા વધારે ખર્ચ કરતા થઈ ગયા છીએ. મધ્યમવર્ગના લોકો પણ આ તરફ વળ્યા છે જેના કારણે તેમનું વાર્ષિક બજેટ બગડી જાય છે. જેના પર ધ્યાન રાખવાની જરૂર છે

 

૬ જન્મદિવસ અને લગ્નની તિથિને ઉજવી ખોટો ખર્ચ કરવાનો ટ્રેન્ડ

દર વર્ષે જન્મદિવસ હોય કે લગ્નની કે સગાઈની તિથિ હોય ઉજવાવાની જ…લોકો વાતવાતમાં ઉજવણી કરતા થઈ ગયા છે. ઉજવણી કરવી આનંદમામ રહેવું સારી વાત છે પણ તમારું આર્થિક બજેટ ન ખોરવાઈ તો. તમે કરોડ પતિ છો તો ખર્ચ કરવામાં કોઇ વાંધો નથી. આમ પણ આવી ઉજવણી પૈસાવાળાઓ માટે હોય છે મધ્યમવર્ગ માટે નહી.

૭ સગાઈ અને લગ્નમાં ભભકો દેખાડવા ગજા બહારનો ખર્ચ કરવો ટ્રેન્ડ

આહીં દેખાદેખીનો ટ્રેન્ડ ગજબનો વધ્યો છે. પહેલા જે ખૂબ ઓછા ખર્ચમાં પતી જતું હતું તે માટે આજે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. સગાઈ કે લગનમાં એક કરતા વધારે ખાવાના કાઉન્ટર રાખી આપણે આપણો મોભો દેખાડવાની કોશિશ કરીએ છીએ. આ ઉપરાંત ડીજે થી લઈને ફાર્મ હાઉસની ઉજવણી સુધીનો જે ટ્રેન્ડ આજે આગળ વધ્યો છે તે ચિંતા જનક છે. દેખા-દેખીમાં કે કોઇને બતાવી દેવામાં ગજા બહારનો ખર્ચ થઈ જાય છે અને પછી પછતાવાનો વારો આવે છે. આવા અનેક કિસ્સા સમાજમાં સામે આવ્યા છે. માટે આ દેખાડાની દુનિયામાંથી બહાર આવી આપણે આ સંદર્ભે સાદગી અપનાવવાની જરૂર છે!

 

૮ બાળકોને ખાનગી અને સ્ટેટસવાળી અંગ્રેજી શાળાઓમાં ભણાવાનો ટ્રેન્ડ

બાળાકોને સારી શાળામાં ભણાવવા સારીવાત છે. આ ટ્રેન્ડ યોગ્ય લાગે પણ આપણી આર્થિક કેપેસિટી ન હોય તો એકવાત સમજી લો સારું શિક્ષણ આપનારી અનેક સામાન્ય શાળાઓ પણ છે જ. અને ભણાવાનું બાળકને છે, તેનામાં ભણવાની ઘગસ હશે તો તેને આગળ વધતા કોઇ રોકી શકશે નહી. માટે સ્ટેટસનું ન વિચારો સ્ટેટસવાળી શાળા કરતા બાળક પર ધ્યાન આપો. આર્થિક બજેટ પણ સચવાઈ જશે અને બાળક પણ હોશિયાર જ બનશે.

૯ ક્રેડિટ કાર્ડ, ઇ-કોમર્સ અને મોલના જમાનામાં જરૂર ન હોય તે ખરીદી લેવાનો ટ્રેન્ડ

આ વાત તમને સાચી લાગશે. ક્રેડિટ કાર્ડ, ઇ-કોમર્સ અને મોલના જમાનામાં આપણૅ જરૂર ન હોય તો પણ તે વસ્તુ ખરીદતા થઈ ગયા છીએ. આ લોકોની લોભામણી સ્કિમમાં આપણે ફસાઈ જઈએ છીએ અને સસ્તું લેવાની ગણતરીમાં ન ખરીદવાનું પણ ખરીદી લઈએ છીએ. પછી ભલેને એ વસ્તુ ઘરે આવીને કોઇ ખૂણામાં પડી રહે. આવું આજે બધા સાથે થાય છે. પરિણામે વાર્ષિક ખર્ચ વધી જાય છે અને આર્થિક બજેટ ખોરવાઈ જાય છે. માટે સચેત થઈ જાવ જરૂર ન હોય તે વસ્તું ખરીદવાનું બંધ કરી દો. જરૂર હોય તે જ વસ્તું ખરીદવાનો આગ્રહ રાખો.

૧૦ ખોટી જીવનશૈલીના કારણે મેડિકલ બીલ વધવાના કારણે

એક રીપોર્ટ પ્રમાણે ૨૧મી સદીમાં આપણું મેડિકલ બીલ ખૂબ વધી ગયુ છે. આના માટે આપણી ખરાબ જીવનશૈલી પણ વધારે જવાબદાર છે. માટે થોડું ધ્યાન આપણે આરોગ્યનું રાખીએ તો આ વધેલા મેડિકલ બીલને ઘટાડી શકાય છે. બસ માત્ર જીવનશૈલી થોડી સુધારવાની છે…

 

દેખા-દેખીમાં જરૂરિયાત વધી રહી છે, ખર્ચ પણ વધી રહ્યો છે પણ આવક ઘટી રહી છે. અને એનું પરિણામ શું આવે છે? પરિવારની આર્થિક સ્થિતિ બગડી જાય છે. માણસની જરૂરિયાત રોટી, કપડા, મકાન છે અને રહેશે. હજી

સમય છે ચેતી જવ અને ખોટા ખર્ચ બંધ કરી દો. જરૂરિયાતને ઘડાડો અને કુદરતના સાંનિધ્યમાં સરળ જીવન જીવવાનો પ્રયાસ કરો…તમારા જીવનમાં અશાંતિનું સ્થાન નહી હોય, બધે જ શાંતિ જ શાંતિ હશે!

 

 

]]>
https://gujjulogy.com/10-reasons-to-economic-crisis-in-family/feed/ 0
10 bad habits to leave | આ ૧૦ કુટેવોને તરત બદલી નાંખો….નક્કી તમારું જીવન બદલાઈ જશે….. https://gujjulogy.com/10-bad-habits-to-leave/ https://gujjulogy.com/10-bad-habits-to-leave/#respond Mon, 03 Jul 2023 06:39:38 +0000 https://gujjulogy.com/?p=1376 10 Bad Habits to Leave

શું તમારે જીવનમાં આગળ વધવું છે?
શું તમારા જીવનમાં બધું બરાબર નથી ચાલી રહ્યું?
શું તમને ખબર છે તમારી કુટેવો વિશે?
શું તમારે તમારા જીવનમાં પરિવર્તન લાવવું છે?
શું તમારે તમારે જીવનશૈલી બદલવી છે?
જો જવાબ હા હોય તો આ વીડિઓ તમારા માટે છે

 

આજે વાત કરવી છે કેટલીક સામાન્ય કુટેવો વિશે…આ કુટેવો ખૂબ સામાન્ય છે પણ જો તેના પર કામ કરવામાં આવે તો નક્કી બદલી શકાય છે. અહીં આવી જ ખૂબ સામાન્ય કુટેઓ વિશે વાત કરવાની છે…10 bad habits to leave

નંબર ૧
શું તમે દર પાંચ મિનિટે મોબાઈલ જુવો છો?

વારંવાર થોડા-થોડા સમયે મોબાઇલની સ્ક્રીન જોવી કે સોશિયલ મીડિયા ચેક કરવું એક પ્રકારની ખૂબ મોટી કુટેવ છે. આ કુટેવ તમારી એકાગ્રતાને તોડે છે. તમે એકાગ્રતાથી કામ નહી કરી શકો અને તમારું કામ પણ બગડશે… જો તમે આવું કરતા હોવ તો આ કુટેવ તરત બદલી નાંખો.

નંબર ૨
શું તમે સવારનો નાસ્તો નથી કરતા?

ના કરતા હોવ તો તમે ખૂબ મોટી ભૂલ કરો છો? આખી રાતના આરામ પછી શરીરને શક્તિ માટે આહારની જરૂર પડે છે. શરીરને ચુસ્ત અને મસ્ત રાખવું હોય તો સવારે નાસ્તો ન કરવાની કુટેવને બદલી નાંખો. સારો આહાર તમારા આરોગ્યની સાથે કામ પ્રત્યેનું તમારુ ફોકસ પણ વધારશે…

નંબર ૩
શું તમે ખૂબ જંકફૂડ ખાવ છો?

ખાતા હોવ તો ચેતી જાવ અને તરત જંકફૂડ ખાવાનું ખૂબ ઓછું કે બંધ કરી દો. શરીરને ઉર્જાવાન રાખવા મલ્ટી વિટામિનની જરૂર પડે છે અને જંકફૂડમાંથી શરીરને કશું મળતું નથી. જંકફૂડ શરીરને શક્તિ આપવાને બદલતે શરીરને નબળું પાડે છે. કંકફૂડમાં ખાવાથી શરીરમાં આળસ વધે છે. જીવનમાં આગળવ વધવા માંગતા હોવ અને શરીરને સાચવવા માંગતા હોવ તો જંકફૂડ ખાવાની આદત તરત છોડી દો…

નંબર ૪
શું તમે ખૂબ ઉત્સાહી છો?

ઉત્સાહમાં રહેવું સારી વાત છે પણ ઉત્સાહમાં આવીને નિર્ણય લેવાથી દૂર રહેવું જોઇએ. ચાણક્યએ કહ્યું છે કે તમે જ્યારે ખૂબ ઉત્સાહમાં કે આનંદમાં હોવ ત્યારે કોઇ નિર્ણય ન લેવો જોઇએ કે કોઇ વચન ન આપવું જોઇએ. અતિ ઉત્સાહમાં ભૂલ થવાની સંભાવના વધી જાય છે

નંબર ૫
શું તમને ગમે ત્યારે કોઇ પણ મળી શકે છે?

જો હા હોય તો નક્કી તમારો સમય ખૂબ બગડતો હશે…ઓફિસમાં આવું થવાથી કામ પર તમારું ફોકસ ઓછુ થાય છે અને કામ સમયસર પૂર્ણ થતું નથી. સમયની કિંમત કરો. મળો બધાને પણ મળવાનો સમય નિશ્ચિત રાખો…

નંબર ૬
શું તમને કોઇની ઇર્ષા આવે છે?

આવતી હોય તો આવું કરવાનું તરત બંધ કરી દો…ઇર્શાના કારણે તમે તમારા કામ પર ધ્યાન નહી આપી શકો અને તમારું જ કામ બગડશે. ઇર્શાની જગ્યાએ તમારા કામ પર ધ્યાન આપો આમાં ફાયદો વધારે છે…

નંબર ૭
શું તમે પૂરતી ઊંઘ લો છો?

ન લેતા હોવ તો આ ખૂબ ગંભીર કુટેવ છે. આ કુટેવ તરત બદલી નાંખો. આખો દિવસ સ્ફૂર્તિમાં રહેવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. શરીરને સ્વસ્થ રાખવા યોગ્ય આહારની સાથે યોગ્ય ઊંઘ પણ જરૂરી છે. નિયમિત ૭ કલાકની ઊંઘ લો…

નંબર ૮
શું તમે એક સાથે અનેક કામ કરો છો?

આજના જમાના પ્રમાણે મલ્ટિટાસ્કિંગ જરૂરી છે પણ લાંબા ગાળે તે નુકશાન કારક સાબિત થાય છે. એક સાથે અનેક કામ કરવાથી બધી જગ્યાએ પૂરતું ધ્યાન આપી શકવું અશક્ય છે. પરિણામે કામ બગડી શકે છે. મલ્ટીટાસ્ક લો પણ એક સમયે એક જ કામ કરો. એક પૂરુ થાય પછી બીજું કામ હાથમાં લો…

નંબર ૯
શું તમે રોજ મેડિટેશન, પ્રાણાયામ, હળવી કસરત કરો છો?

ન કરતા હોવ તો આ કુટેવને તરત બદલી નાંખો. મેડિટેશન, પ્રાણાયામ, હળવી કસરત રોજ કરો. આવું કરવાથી કામ પર તમારું ફોકસ વધશે, તમે હંમેશાં આનંદમાં રહેશો, માટૅ મેડિટેશન, પ્રાણાયામ, હળવી કસરત કરવની ટૅવ પાડો

નંબર ૧૦
શું તમે ખૂબ વિચારો છો?

તમને ખૂબ વિચારવની ટેવ હોય તો આ ટેવ તરત બદલી નાંખો. ખૂબ વિચારનારા ખૂબ કામ કરી શકતા નથી. તેઓ માત્ર વિચાર્યા જ રાખે છે. ખૂબ વિચાર્યા વગર કામ શરૂ કરી દો. યાદ રાખો વિચારવાથી નથી પણ કામની શરૂઆત કરવાથી જ કામ ઝડપથી પૂર્ણ થાય છે…

10 bad habits to leave in gujarati | માટે જો જીવનમાં આગળ વધવું હોય, શરીરને સ્વસ્થ રાખવું હોય તો આ ૧૦ કુટેવોને તરફ બદલી નાંખો. નક્કી તમારા જીવનમાં ખૂબ સકારાત્મક પરિવર્તન આવશે….

 

]]>
https://gujjulogy.com/10-bad-habits-to-leave/feed/ 0
Most honest rashi આ પાંચ રાશિવાળા લોકો ખૂબ ઇમાનાદાર હોય છે, કોઇને દગો આપતા નથી https://gujjulogy.com/most-honest-rashi/ https://gujjulogy.com/most-honest-rashi/#respond Wed, 29 Sep 2021 06:09:46 +0000 https://gujjulogy.com/?p=1348  

Most honest rashi  | રાશિફળમાં કે જ્યોતિષીમાં માનતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. જ્યોતિષશાસ્ત્ર સાથે પણ વિજ્ઞાન જોડાયેલું છે. આનું એક અલગ ગણિત છે. આ ગણિતના આધારે કહી શકાય કે આ પાંચ રાશિઓના લોકો ઇમાનદાર હોય છે. ઝડપથી કોઇને દગો દેતા નથી. આવો જાણીએ તે રાશિઓ કઈ છે.

 

મેષ (Aries)

જ્યોતિષશાસ્ત્ર મુજબ આ રાશિના લોકો ઇમાનદાર હોય છે. સંબંધોને તેઓ ઇમાનદારીની નિભાવે છે અને સાચવે છે. ઇમાનદાર લોકોના સંબંધ બધા સાથે સારા હોય છે અને લોકો પણ આવા ઇમાનદાર વ્યક્તિ સાથે સંબંધ સારા રહે તેની સાવચેતી રાખતા હોય છે. આ રાશિના લોકોનું માનવું હોય છે કે સત્ય ગમે એટલું કડવું હોય પોતાના સાથીને તે બધુ જ સત્ય જણાવે છે. ખોટું બોલવું એના કરતા કડવું સત્ય જણાવવું તેમને વધારે પસંદ પડે છે. બને એટલા સંબંધો સાચવતા તેમને આવડે છે.

સિંહ (Leo)

આ રાશિના લોકો સિંહ જેવા હોય છે પણ શક્ય હોય ત્યાં સુધી તેઓ બીજાની ભાવનાઓને ઠેસ નથી પહોંચાડતા. તેમની ભાવનાઓની કદર કરે છે. આ લોકોની એક ખાસિયત હોય છે કે આ રાશિના લોકો કોઇના ખોટા વખાણ કરી શકતા નથી. સિંહ રાશિના લોકોનું માનવું હોય છે કે વખાણ કરવા તો તે સાચા હોવા જોઇએ નહીંતર ન કરવા જોઇએ.

કન્યા (Virgo)

કન્યારાશિના લોકો ખૂબ જ આદર્શવાદી હોય છે. આદર્શ તેમના માટે પ્રથમ હોય છે. આ રાશિના લોકો દરેક સાથે ન્યાય કરવામાં માનતા હોય છે. હંમેશાં સત્ય બોલવું તેમને ગમે છે. શબ્દોની ફૂલગુંથણી કરી સારી-સારી વાતો કરવી તેમને ગમતી નથી. સ્પષ્ટ વાત કરવી તેમને ગમે છે. આ રાશિના લોકો જે અનુભવે છે તેને સ્પષ્ટ રીતે રજૂ પણ કરી દે છે.

ધન (Sagittarius)

આ રાશિના લોકો પણ ખૂબ ઇમાનદાર ગણાય છે. જો કે તે બોલવામાં બહુ વિચારતા નથી. તેમની તાસિર જ એવી હોય છે કે તે ગમે ત્યારે ગમે તે બોલી દે છે. તેઓ ભોળા હોય છે. કોઇને નુકસાન પહોંચાડવાની તેમની ભાવના ક્યારેય હોતી નથી. વિશ્વાસ સાથે બોલવાની તેમની હિંમત હોય છે.

મકર ( Capricorn )

મકર રાશિના લોકોને ઇમાનદારી સૌથી વધારે પ્રિય હોય છે. આવા લોકો હંમેશાં સત્ય બોલે છે. તેઓ ક્યારેય કોઇને ઠેસ પહોંચાડવામાં માનતા નથી. આ રાશિના લોકો સામેની વ્યક્તિ માટે જે અનુભવે તે સ્પષ્ટ રીતે તેમને જણાવી દે છે. આ રાશિના લોકોને લાગે છે કે ખોટું બોલવાથી સંબંધ બગડે છે માટે ખોટું ક્યારેય ન બોલવું જોઇએ….

 

નોંધ – આગળ જણાવ્યું તેમ આ એક ગણિત છે, વિજ્ઞાન છે. સમય અને સંજોગો પ્રમાણે માણસની પ્રકૃતિ બદલાતી હોય છે. અહીં આ રાશિના જ્યોતિષશાસ્ત્રના વિજ્ઞાન પ્રમાણે જે સરેરાશ ગુણ હોય છે તેની અહીં ચર્ચા કરવામાં આવી છે.

]]>
https://gujjulogy.com/most-honest-rashi/feed/ 0
Health | દુનિયાના સાત સૌથી મોટા ડોક્ટર જે તમારી પાસે જ છે! જાણો અને સમજો https://gujjulogy.com/health-in-gujarati/ https://gujjulogy.com/health-in-gujarati/#respond Sat, 29 May 2021 06:54:56 +0000 https://gujjulogy.com/?p=1164  

Health | ભારતીય સંસ્કૃતિના વિશ્વમાં કેમ સ્વીકાર્ય છે? તેના કારણ અનેક છે, તે માનવીને આત્મનિર્ભર બનાવે છે. જીવન પોતાની જાતે એ પણ કોઇની મદદ લીધા વગર કેવી રીતે જીવી શકાય તેના દર્શન તમને ભારતીય સંસ્કૃતિ સિવાય બીજે ક્યાંય જોવા નહી મળે. આ મહામારીનો સમય છે ત્યારે ડોક્ટરો ભગવાનરૂપ સાબિત થયા છે. પણ અહીં વાત એવા સાત ડોક્ટરની કરવી છે જે તમારી પાસે જ છે. જે આપણી સંસ્કૃતિની દેન છે. થોડી કાળજી રાખો તો જીવન તંદુરસ્ત રીતે જીવી શકાય છે. કેમ કે આ સાત ડોકટરો તમારી પાસે જ છે. જે દવા વગર તમને રોગથી દૂર રાખે છે. આવો જોઇએ…

#૧ સૂર્યના કિરણો

આયુર્વેદ કહે છે કે સૂર્યના વહેલી સવારના કિરણો અનેક રોગો ને દૂર કરી શકે છે. નેચરોપેથીથી લઈને આયુર્વેદ સુધી બધે જ સૂર્યના તડકા નીચે હરવા ફરવાનું કહેવામાં આવે છે. સુર્યના કિરણો શરીર માટે ફાયદા કારક છે. વહેલી સવારે સુર્યનમસ્કાર કરવાથી ફાયદો થાય છે એનું કારણ પણ આ જ છે. સુર્યના સીધા કિરણો શરીર પણ પડવાથી શરીર અનેક હાનિકારક બેક્ટેરિયાથી મુક્ત થઈ જાય છે. સુર્યના કિરણથી શરીરને નવી ઉર્જા પ્રાપ્ત થાય છે.

#૨ રોજની ૭ થી ૮ કલાકની ગાઢ ઊંઘ

તંદુરસ્તીનું રહસ્ય યોગ્ય અને પૂરતી ઊંઘમાં છુપાયેલું છે. શરીરને આરામ જરૂરી છે. જો તમારે આખો દિવસ સ્ફ્રુર્તિમાં પસાર કરવો હોય તો પૂરતી ઊંઘ જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી ઊંઘથી ઘટી જાય છે. એટલે જ ઉજાગરા ન કરવાની સલાહ આપવામાં આવે છે. માટે શરીરને તંદુરસ્ત રાખવા રોજ ૭ થી ૮ કલાકની ગાઢ ઊંઘ જરૂરી છે. આપણા જીવનમાં ઊંઘનું પણ મહત્વ છે તેને સમજવું ખૂબ જરૂરી છે.

#૩ શુદ્ધ અને સાત્વિક ભોજન

માનવ તરીકે આપણે હંમેશાં શુદ્ધ અને સાત્વિક આહાર જ લેવો જોઇએ. માંસાહારનો ત્યાગ કરવો જોઇએ. ભગવાને આપણી હોજરી જેના માટે બનાવી છે તેવો આહાર જ આપણે આરોગવો જોઇએ. જેનાથી આપણું પાચન સારુ રહે છે. આપને જે ભોજન શરીરને આપીએ છીએ તેમાથી ઊર્જા મળે છે. આપણે ભોજન ઊર્જા મેળવવા કરીએ છીએ પણ ખરેખર વિચારો ભોજન કર્યા પછી તમારી ઊર્જા વધે છે કે ઘટી જાય છે? હાલની જીવનશૈલી પ્રમાણે ઘટે જ જાય છે. કેમ કે આપણે શરીરને જે આહર જોઇએ છે એ આપતા નથી જ. હોજરીનું પર આ વણજોયતા આહારથી કામ વધી જાય છે અને આપણને ભોજનથી ઊર્જાની જગ્યાએ આળસ મળે છે. માટે થોડો દિવસ શુદ્ધ, સાત્વિક અને ભૂખ કરતા થોડું ઓછુ ખાઈ જુવો, નક્કી તમારા શરીરમાં તમને ફરક દેખાશે…

#૪ પૂરતું પાણી

બધાને ખબર છે કે આપણા શરીરમાં ૭૦ ટકા પાણી છે. આપણા શરીરમાં પૂરતું પાણી હોવું ખૂબ જરૂરી છે. માટે જ ડોક્ટરો વધારે પાણી પીવાનું કહે છે. વધારે પાણી પીવાથી આપણા શરીરનો કચરો સાફ થાય છે. શરીરના ઝેરી તત્વોની મુક્તિ આપણે પાણી અપાવે છે. શરીરમાં પાણીનું સંતુલન જાળવી રાખવું ખૂબ જરૂરી છે. માટે રોજ પૂરતું પાણી પીવો..પાણી ઘુંટડે ઘુંટડે પીવો.

#૫ યોગ, પ્રણાયામ, હળવી કસરત

શરીરને જેમ આરામની જરૂર છે તેમ પરિશ્રમની પણ જરૂર છે. આપણે રોજ જે ભોજન આરોગીએ છીએ તેને પચાવવા માટે થોડી કસરત જરૂરી છે, ચાલો, દોડો, પરિશ્રમ કરો. આ ખૂબ જરૂરી છે. આનાથી તમારા શરીરના અંગો બરોબર કામ કરશે. શરીરની સાથે મનની શુદ્ધી પણ જરૂરી છે. આ માટે યોગ કરો, પ્રાણાયામ કરો. કોરોનાકાળમાં યોગ, પ્રાણાયામની શક્તિ આખી દુનિયાએ સ્વીકારી છે.

#૬ સ્વયં પર વિશ્વાસ

જો તમને તમારા પર વિશ્વાસ હશે તો જ જીવનમાં તમે કંઇક કરી શકશો. તમને તમારામાં જ વિશ્વસ નહી હોય તો લોકો તમારા પર વિશ્વાસ કઈ રીતે કરી શકે. માટે સૌથી પહેલા સ્વયં પર વિશ્વાસ રાખો. આ ખૂબ જરૂરી છે

#૭ સારા સંબંધ, સારા મિત્રો

અમેરિકામાં સૌથી લાંબા સમય સુધી ચાલેલા એક સર્વેનું તારણ એવું નીકળ્યું છે કે જે વ્યક્તિના સંબંધો સારા હતા તે તંદુરસ્ત અને લાંબુ જીવનારા હતા. સંબંધ સારા હશે તો તમે તણાવમાં નહી આવો અને તમને તો ખબર છે તણાવ અનેક રોગોનું મૂળ છે. માટે તંદુરસ્ત રહેવું હોય તો સંબંધ સુધારો. અને વાત મિત્રોની તો તેના વિશે તો તમે જાણો જ છો. મિત્રો વિનાનું જીવન નકામું. તણાવ વગર અને મસ્તીમાં જીવન જીવવું હોય તો સારા મિત્રો બનાવો. જીવનમાં આ ખૂબ જરૂરી છે. મિત્રો જીવનના ઓક્સિજન જેવા હોય છે. જેમ જિવવા ઓક્સિજનની જરૂરે પડે છે તેમ મિત્રોની પણ એટલી જ જરૂર પડે છે.

]]>
https://gujjulogy.com/health-in-gujarati/feed/ 0
નિષ્ફળતાથી ડર લાગે છે? તમે અનેકવાર નિષ્ફળ ગયા છો?તો આ લેખ તમારા માટે છે. https://gujjulogy.com/%e0%aa%a8%e0%aa%bf%e0%aa%b7%e0%ab%8d%e0%aa%ab%e0%aa%b3%e0%aa%a4%e0%aa%be%e0%aa%a5%e0%ab%80-%e0%aa%a1%e0%aa%b0-%e0%aa%b2%e0%aa%be%e0%aa%97%e0%ab%87-%e0%aa%9b%e0%ab%87/ https://gujjulogy.com/%e0%aa%a8%e0%aa%bf%e0%aa%b7%e0%ab%8d%e0%aa%ab%e0%aa%b3%e0%aa%a4%e0%aa%be%e0%aa%a5%e0%ab%80-%e0%aa%a1%e0%aa%b0-%e0%aa%b2%e0%aa%be%e0%aa%97%e0%ab%87-%e0%aa%9b%e0%ab%87/#respond Fri, 21 May 2021 12:29:13 +0000 https://gujjulogy.com/?p=1117  

નિષ્ફળતાથી ડર લાગે છે? | નિષ્ફળતા માંથી જે અનુભવ મળે છે તે દુનિયાની કોઇ યુનિવર્સિટી તમને ભણાવી શકશે નહી. અને હા યાદ રાખો જીવન માત્ર સફળતા અને નિષ્ફળતા આ બે જ શબ્દનું બનેલું નથી, સેંકડો શબ્દ છે જે તમેન આના કરતા પણ વધારે સુખી રાખશે…માટે આ લેખમાં નિષ્ફળતાની કેટલીક એવી વાતો જે વાંચશો તો તમને લગભગ નિષ્ફળતાથી ડર નહી લાગે…આ જીવનનો એક ભાગ છે

 

હારવાનો ડર લાગે છે?

 

જો હારવાનો ડર લાગતો હોય તો જીતવાની ઇચ્છા ન રાખવી જોઇએ । આપણે જેવુમ વિચારીએ છીએ એવુ જ થાય છે. આ વાક્ય તમે અનેક મોટિવેશનલ સ્પીકરના મુખેથી સાંભળ્યું હશે. આ વાત વિજ્ઞાનીક સંદર્ભે સાબિત થઈ છે. એક સિક્રેટ્સ નામની ડોક્યુમેન્ટ્રી પણ છે. જોઇ લેજો. માટે કોઇ પણ શરૂઆત કરો નિષ્ફળતાના ભય સાથે ન કરો, પોઝિટિવ રહો. ભારતીય ટીમનો કેપ્ટન જો આઉટ થવાના ભય સાથે મેદાને ઉતરે તો એ એક પણ પરફેક્ટ શોટ મારી જ નહી શકે કેમ કે તેના મનમાં આઉટ થવાનો ભય રહે છે. એટલે જ મોટાભાગના કોચ કહેતા હોય છે કે ખુલીને રમો. આ સત્ય છે. માટે કોઇ પણ ફિલ્ડ હોય ડરને બાજુ પર મૂકી માત્ર પોઝિટિવ વિચાર સાથે અને જીતવા મેદાને ઉતરો…

એસી વાણી બોલીએ…

જો તમારે ખૂબ સુંદર જવાબ જોઇતો હોય તો ખૂબ ખૂબ સુંદર રીતે પ્રશ્ન પૂછો | આ તો બહું સ્પષ્ટ વાત છે તમે જેવો વ્યવહાર કરશો તેવો વ્યવહાર જ સામેવાળો કરશે. એટલે તમારી વાણી ઉપર છે કે તમારે કેવો જવાબ જોઇએ છે. તોછડો જવાબ ન જોયતો હોય તો પ્રેમથી પુછો, પ્રેમથી જ સાચો અને ગમે એવો જવાબ મળી શકે છે…

વિચારો અને તમારો દેખાવ

યાદ રાખો તમે એવા જ દેખાવ છો જેવું તમે વિચારો છો । ક્યાંકને ક્યાંક આપણા જે વોચારો હોય છે તે આપણા કાર્યમાં દેખાતા હોય છે. એવી જ રીતે ચહેરો પણ બોલે છે. ઘણીવાર તમારી આંખો બધુ કહી દે છે. બોડી લેગ્વેજની વાત તમે સાંભળી હશે. બસ આ બોડી લેગ્વેજના માસ્ટરો તમારા દેખાવ અને હાવભાવથી જ તમને પરખવાની કોશિશ કરે છે. એ મોટે ભાગે સાચા એટલા માટે પડે છે કારણ કે તમે જ તમારા હાવ-ભાવથી તેને કહી દો છો. આપણા વિચાર આપણી બોડી લેગ્વેજ થકી પણ બહાર આવતા હોય છે.

નિષ્ફળ પ્રયત્નો…

દરેક સફળતાની પાછળ અનેકવાર કરેલા નિષ્ફળ પ્રયત્નો કારણરૂપ હોય છે । એવું કહેવાય છે કે જે માણસ નિષ્ફળ ઘણીવાર ગયો હોય તેની સલાહ માનવી જોઇએ કેમ કે તેણે તે માર્ગ પર ચાલવાનો અનુભવ મેળવ્યો છે. મોટિવેશનલ સ્પીકરો પણ વારંવાર પ્રયત્નો કરતા રહેવાનું એટલા માટે જ કહે છે. ભૂલ એકવાર થાય વારંવાર ન થાય. અને થયેલી ભૂલમાંથી શીખવા જ મળે. માટે યાદ રાખો તમે ખૂબવાર નિષ્ફળ ગયા પછી જે સફળતા મળે છે તે લાંબો સમય સુધી તમારી સાથે રહે છે કેમ કે તેમે નિષ્ફળતાને પચાવીને પણ તમે તમારો રસ્તો જાતે બનાવ્યો છે. આ રસ્તાની તમને બધી જ સમજણ છે. માટે સફળતા કરતા નિષ્ફળતામાંથી તમે ઘણું બધું શીખી શકો છો, માટે નિષ્ફતાની હારો નહી નિષ્ફળતાથી તમારું ઘડતર થાય છે

તમે નિષ્ફળ કેમ જાવ છો?

નિષ્ફળતાની ચિંતા ન કરો, નિષ્ફળતા કેમ મળી તેના પર વિચારો, શું ન કર્યુ જેનાથી નિષ્ફળતા મળી…ઘણીવાર આપણે નિષ્ફળતાથી હારી જઈ પ્રયત્ન કરવાનું જ બંધ કરી દઈએ છીએ. પણ એવું કરવાનું નથી. આપણે તો મળેલી નિષ્ફળતાનો અનુભવરૂપી ફાયદો લેવાનો છે અને આગળ વધવાનું છે. નિષ્ફળ ગયા પછી વિચારો કે આવું કેમ થયું? ક્યા કચાશ રહી ગઈ. બસ એ મુદ્દાને પકડો અને બીજા પ્રયત્નમાં એ ભૂલ ન થાય તેનુમ ધ્યાન રાખો.

નિષ્ફળ જાવ તો પહેલા આ વિચારો

નિષ્ફળ જાવ તો પોતાની જાતને એક પ્રશ્ન પૂછો કે મે કઈ કઈ જગ્યાએ આળસ કરી છે, શું કરવા જેવું હતું પણ મે કર્યુ નથી । નિષ્ફળતા પાછળ મોટે ભાગે આળસ જવાબદાર હોય છે બાકી આ દુનિયામાં એક્વાત નક્કી છે કે માનવ ધારે એ કરી જ શકે છે. માટે જો નિષ્ફળ ગયા હોવ તો પોતાની જાતને પૂછો કે મેં આળસ કરી હતી. સમજાય જશે.

મહેનત…મહનત અને મહેનત

જીવનમાં કશું સરળતાથી નથી મળતું, નિષ્ફળતા માટે પણ નક્કી તમે ખૂબ મહેનત કરી હશે, એ મહેનતમાંથી શીખો । એકવાત સમજી લો સફળતા માટે અથાક પરિશ્રમનો સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. મહેનત વગર અહીં કશું જ મળતું નથી. હા મહેનત સાચી દિશામાં કરવાની છે.

પ્રયત્નથી જ નસીબ બદલી શકાય છે

સફળતા કે નિષ્ફળતા તમારા હાથમાં હોતી નથી માત્ર અને માત્ર અથક મહેનત અને અણથક પ્રયત્ન જ તમારા હાથમાં હોય છે. દરેક સફળતા પાછળ થોડું નસીબ પણ હોય છે પણ એ આપણા હાથમાં નથી આપણા હાથમાં માત્ર મહેનત છે તો આપણે એના પર જ ધ્યાન આપવાનું રહે છે. એક સુવિચાર છે કે માણસ પોતાના અણથક પ્રયત્નોથી અને મહેનથી ધારે તે પોતાનું નસીબ બદલી શકે છે.

પોઝિટિવ રહો…

જીવનમાં ગમે તેટલું અંધારું કેમ ન હોય, પોતાની બાજુ અજવાળું કરો અને તેમાથી સફળ થવાની સંભાવનાઓ તપાસો, નક્કી અંધારું અજવાળું લાગશે । આ ગ્લાસ અડધો ખાલી છે કે ભરેલો તેના જેવી વાત છે. પોઝિટિવ વાત સાથે આગળ વધશો તો સફળ થવાના ચાન્સ વધારે છે બાકી નેગિટિવ વિચાર સાથે જીવશો તો તમે કોઇ કામ જ શરૂ નહી કરી શકો. માટે જીવનમાં તમારી પાસે જે છે તેને ચકાસો અને તેને જ અજવાળું ગણી આગળ વધો. જીત તમારી જ થશે.

જીવન અને બે શબ્દો

યાદ રાખો જીવન માત્ર સફળતા અને નિષ્ફળ આ બે જ શબ્દનું બનેલું નથી, સેંકડો શબ્દ છે જે તમેન આના કરતા પણ વધારે સુખી રાખશે…સાચુ કે નહી. માર્કેટિંગની આ દુનિયાએ આ બે શબ્દોને જ મહત્વ આપ્યું છે માટે તેનું મહત્વ આપણા માટે વધી ગયું છે. તમારી જે માતૃભાષા હોય તેનો શબ્દકોશ લઈને જોઇ લો અનેક શબ્દો છે જે તમારા જીવનને બદલી નાંખશે.

અગવડતામાં જ સફળતા…

જ્યારે તમે અગવડમાં હો, અભાવમાં જીવતા હોવ ત્યારે યાદ રાખો કે એ જ સમય તમારા માટે કઈક કરી બતાવવાનો છે, યાદ રાખો અગવડતા જ વ્યક્તિને કંઇક કરી બતાવવાની ઘગશ આપે છે. અગવડાજ વ્યક્તિનું સાચુ ઘડતર કરે છે. બાકી જો બધી જ સગવડ હોય તો માનવ સ્વભાવ મુજબ એ પછી આળસુ જ બને છે. માટે વિચારો અને આગળ વધો.

]]>
https://gujjulogy.com/%e0%aa%a8%e0%aa%bf%e0%aa%b7%e0%ab%8d%e0%aa%ab%e0%aa%b3%e0%aa%a4%e0%aa%be%e0%aa%a5%e0%ab%80-%e0%aa%a1%e0%aa%b0-%e0%aa%b2%e0%aa%be%e0%aa%97%e0%ab%87-%e0%aa%9b%e0%ab%87/feed/ 0
સદગુરૂ જગ્ગી વાસુદેવ જણાવે છે શક્તિશાળી વ્યક્તિત્વ ઉભું કરવાની ત્રણ પાવરફુલ વાત https://gujjulogy.com/%e0%aa%b8%e0%aa%a6%e0%aa%97%e0%ab%81%e0%aa%b0%e0%ab%82-%e0%aa%9c%e0%aa%97%e0%ab%8d%e0%aa%97%e0%ab%80-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b8%e0%ab%81%e0%aa%a6%e0%ab%87%e0%aa%b5/ https://gujjulogy.com/%e0%aa%b8%e0%aa%a6%e0%aa%97%e0%ab%81%e0%aa%b0%e0%ab%82-%e0%aa%9c%e0%aa%97%e0%ab%8d%e0%aa%97%e0%ab%80-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b8%e0%ab%81%e0%aa%a6%e0%ab%87%e0%aa%b5/#respond Sat, 15 May 2021 16:06:35 +0000 https://gujjulogy.com/?p=1087

સદગુરૂ જગ્ગી વાસુદેવ – આ ત્રણ વાત તમને પ્રભાવશાળી વ્યક્તિ બનાવી શકે છે 

 

વ્યક્તિ ભૌતિક, આધ્યાત્મિક અથવા બીજા કોઈ પણ ક્ષેત્રે તે કેટલો આગળ આવશે એ તેના વ્યક્તિત્વ પર નિર્ભર હોય છે. વ્યક્તિએ એનામાં રહેલી અપાર ઉર્જાનો સદુપયોગ કરવો જોઈએ. આપણા બધામાં ન ખૂટે એટલી ઉર્જાનો ભંડાર રહેલો છે. તમારા વ્યક્તિત્વની છાપ તમારા જીવનને એક આયામ આપે છે તથા તમે જે પણ કાર્ય કરશો તેમાં કેટલા પ્રભાવી શાબિત થશો એ નકકી કરે છે.

આ વ્યક્તિગત શક્તિનો ખરેખર સદુપયોગ કરવા તમારે શરીરમાં રહેલ ઉર્જાનો બુદ્ધિમાનીથી ઉપયોગ કરવો પડે. આપણી અંદર રહેલ ઉર્જાને જરૂરી જ્ઞાન તથા સાધનોની મદદ વડે શક્તિમાં પરિવર્તિત કરી શકાય છે. હાલ આપણે પ્રતિક્રિયાઓ અને ચિંતાઓથી આપણી ઉર્જાને માત્ર નષ્ટ કરી રહ્યા છીએ. આવા સમયે આવો જાણીએ કે એવી થોડી વાત જે તમને પ્રભાવશાળી બનાવી શકે છે

1. તમારા શબ્દોને ૫૦ ટકા ઓછા કરી નાખો

તમે તમારા દૈનિક જીવન પર ધ્યાન રાખો તથા તમે રોજ કેટલા શબ્દો બોલો છો તેની નોંધ લો. ત્યારબાદ બીજા દિવસથી રોજ બોલતા હોવ તેનાથી ૫૦ ટકા ઓછા શબ્દો બોલવાનો પ્રયત્ન કરો. યાદ રાખો બોલવાનું બંધ નથી કરવાનું. તમે લોકો સાથે વાતચીત બંધ નથી કરી રહ્યા તમે વાતચીત તો કરોજ છો પરંતુ ૫૦ ટકા ઓછા શબ્દો સાથે. આવું કરવાથી તમારી ભાષા પર તમારું કૌશલ્ય ખુબ જ વધી જશે. થોડા દિવસમાં તમને લાગશે કે તમારી અંદર વ્યક્તિગત શક્તિ વિકસીત થઈ રહી છે.

2. હલનચલનને ૫૦ ટાકા ઓછું કરી નાખો

આ વાતના વૈજ્ઞાનિક પ્રમાણ છે કે જયારે તમે સ્થિર બેઠા હોવ ત્યારે કમસેકમ ૨૦ ટકા ઉર્જાનો ઉપયોગ તમારું મગજ કરે છે. જો તમારું મગજ સ્થિર રહેતા શીખી લે તથા એજ કામ કરે જે જરૂરી છે, તો અપાર માત્રામાં વ્યક્તિગત ઉર્જા ઉત્પન્ન થશે તથા મગજનો કોન્સન્ટ્રેશન પાવર પણ વધશે.

3. કોઈ મંત્રનો જાપ કરો

આપણું મન ૨૪ કલાક સતત કંઈક ને કંઈક વિચારતું રહે છે. આવી પરિસ્થિતિમાં મનને શાંત કરવા કોઈ પણ એક મંત્રનો આંખ બંધ કરી જાપ કરવો. પછી તે મંત્ર ગાયત્રિ મંત્ર પણ હોઈ શકે, તે મંત્ર ૐ નમઃ શિવાય પણ હોઈ શકે, તે કૃષ્ણ ભગવાનનો મંત્ર પણ હોઈ શકે. મંત્રોના જાપથી તમારું મન એકાગ્ર તથા શાંત થશે.

થોડા દિવસ આટલું કરી જુવો તમારું પ્રભુત્વ ખીલી ઉઠશે.

 

 

]]>
https://gujjulogy.com/%e0%aa%b8%e0%aa%a6%e0%aa%97%e0%ab%81%e0%aa%b0%e0%ab%82-%e0%aa%9c%e0%aa%97%e0%ab%8d%e0%aa%97%e0%ab%80-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b8%e0%ab%81%e0%aa%a6%e0%ab%87%e0%aa%b5/feed/ 0
સલમાન ખાનની રાધે ફિલ્મ કોરોનાકાળમાં રિલીજ થઈ! આવા થયા હાલ https://gujjulogy.com/%e0%aa%b8%e0%aa%b2%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8-%e0%aa%96%e0%aa%be%e0%aa%a8%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b0%e0%aa%be%e0%aa%a7%e0%ab%87-%e0%aa%ab%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%ae/ https://gujjulogy.com/%e0%aa%b8%e0%aa%b2%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8-%e0%aa%96%e0%aa%be%e0%aa%a8%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b0%e0%aa%be%e0%aa%a7%e0%ab%87-%e0%aa%ab%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%ae/#respond Sat, 15 May 2021 15:39:12 +0000 https://gujjulogy.com/?p=1082  

સલમાન ખાનની રાધે ફિલ્મ આવી ગઈ છે. તેના આ ફિલ્મને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કારણ કે આ ફિલ્મ માત્ર સિનેમાઘરોમાં જ નહી પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ રિલીજ થઈ છે…

 

ઇદ હોય એટલ ભાઇનું નવું ફિલ્મ રિલીજ ન થાય એવું બને? સલમાન ખાનની ઇદની તારીખ ફિલ્મ રિલીજ માટે ફિક્સ જ હોય છે. સલમાન ખાનના ફિલ્મની તેના ફેન રાહ જોતા હોય છે. ગયા વર્ષે એટલે કે ૨૦૨૦માં કોરોનાના કારણે ઇદના દિવસે સલમાનનું કોઇ ફિલ્મ ના આવ્યું પણ આ વર્ષે આવું થયું નહી. કોરોનાની બીજી લહેર હોવા છતાં સલમાન ખાનનું ફિલ્મ રિલીજ થયું છે. ફિલ્મનું નામ છે રાધે- યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ…

અહીં પ્રશ્ન થાય કે હાલ કયું સિનેમાઘર ખુલ્લુ હશે? સિનેમાઘર ખુલ્લા પણ હોય તો લોકો આ કપરાકાળમાં ફિલ્મ જોવા આવે? આ બધા પ્રશ્નો સલમાન ખાનને પણ થયા હશે એટલે જ એણે એક નવો પ્રયોગ કર્યો છે. રાધે ફિલ્મ થીયેટર સહિત ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ રિલીજ કર્યું છે. આ ફિલ્મ સિનેમાઘરો સહિત Airtel Digital TV, Dish TV, D2H, Zee5 ના ZEEPlex, Tata Sky પર પણ રિલીજ થઈ છે. ઉલ્લેખનીય છે કે અહીં તમારે દર વખતે ફિલ્મ જોવા નવી ટિકિટ લેવી પડશે. એટલે કે જેટલીવાર ફિલ્મ નિહાળશો એટલી વાર પૈસા કપાશે.

કુલ મિલાકે પહેલા સલમાન ખાનની ફિલ્મને જે પ્રતિસાદ મળતો હતો તેવો પ્રતિસાદ તો નહી મળે કેમ કે હાલ લોકો કોરોના સામે લડી રહ્યા છે. જો કે વિદેશમાં ફિલ્મને વકરો થઈ શકે છે. તેના માટે થોડી રાહ જોવી પડે.

આ ફિલ્મની કથા કંઇક આવી છે

કથાની શરૂઆત થાય છે મુંબઈથી. અહીંના બાળકો તડપી રહ્યા છે, આત્મહત્યા કરવા મજબૂર છે. કારણ છે ડ્રગ્સનું વ્યસન. નાના નાના શાળાએ જતા બાળકોને આ ડ્રગ્સની લત કોણ લગાડી રહ્યું છે? આ પ્રશ્નનો જવાબ કોઇની પાસે નથી. પોલીસને પણ કંઇ ખબર પડતી નથી. કોઇ હિંટ પણ મળતી નથી. પોલીસ મૂંજવણમાં પડે છે. હવે શું કરવું? આવામાં પોલીસ દ્વારા નક્કી કરવામાં આવે છે કે આ કામ એક એવા પોલીસવાળાને આપવું કે જેનું માઈન્ડ ક્રિમિનલ જેવું હોય. એટલે કે જેવા સાથે તેવું કરી શકે તેવો હોય…બસ આ ઓફિસર કોણ હોય એ કહેવાનો અર્થ નથી. કોણ હોય? વન એન્ડ ઓનલી સલમાન ખાન. બસ અહીંથી રાધેની એન્ટ્રી થાય છે અને આખું ફિલ્મ પછી તે આગળ ચલાવે છે. ઉલ્લેખનીય વાત એ છે કે સોશિયલ મીડિયા પર સલમાન ખાન કરતા વિલન રણદીપ હુડ્ડાના વખાણ વધારે થઈ રહ્યા છે. લોકો તેની એક્ટિંગના વખાણા કરી રહ્યા છે. રહી વાત દિશા પટણીની તો ફિલ્મમાં ગ્લેમર ઉમેરવા તેનો ઉપયોગ થયો છે. ફિલ્મમાં તેને કરવા જેવું બીજું કોઇ કામ હતું નહી…

ટૂંકમાં હાલ તો રાધે ફિલ્મને કોરોનાકાળ હોવાથી દર્શક ઓછા મળ્યા છે. મળ્યા પણ હોય તો સલમાન ખાનની ફિલ્મને જેવા મળે છે એવા તો નથી જ મળ્યા. પણ હજી સમય છે. થોડા સમય પછી જ ખબર પડે કે ફિલ્મનું શું થયું અને આ નવો પ્રયોગ કેટલો સફળ રહ્યો?

 

 

]]>
https://gujjulogy.com/%e0%aa%b8%e0%aa%b2%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8-%e0%aa%96%e0%aa%be%e0%aa%a8%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b0%e0%aa%be%e0%aa%a7%e0%ab%87-%e0%aa%ab%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%ae/feed/ 0
આટલું કરશો તો ઇમ્યુનિટિ વધારવાની કોઇ ગોળી ખાવી નહી પડે| Strengthen Your Immunity Naturally https://gujjulogy.com/strengthen-your-immunity-naturally/ https://gujjulogy.com/strengthen-your-immunity-naturally/#respond Thu, 22 Apr 2021 10:28:37 +0000 https://gujjulogy.com/?p=991  

 Strengthen Your Immunity Naturally | માત્ર જીવનશૈલી બદલો, ઇમ્યુનિટિ આપો આપ વધી જશે, યાદ રાખો જંગલના પ્રાણીઓના કોઇ ડોક્ટર નથી હોતા, તેમની જીવનશૈલી જ તેમને સ્વસ્થ રાખે છે.

 

 

માનવ તરીકે સ્વસ્થ રહેવાની સીધીસાદી સરળ ટીપ્સ આપણને બધાને ખબર છે પણ આપણે તેને અનુસરતા જ નથી. આપણને બધાને ખબર છે કે ભૂખ કરતા વધારે ન ખવાય, છતાં આપણે ભરપેટ નહી પણ ભૂખ કરતા વધારે ખાઇ લઇએ છીએ અને પછી પછતાઈએ છીએ. શું ખાવું જોઇએ? શું ના ખાવું જોઇએ એ પણ આપણને બરાબર ખબર છે પણ સ્વાદના આ જમાનામાં આપણે સ્વાસ્થ (Health) ને બાજુ પર મૂકી આપણે ન ખાવાનું પણ ખાવા લાગ્યા છીએ. આપણે માનવ તરીકે આપણી જીવનશૈલી ( Lifestyle ) બદલી નાખી છે એટલે જ માનવને આજે ડોક્ટરની જરૂર પડે છે, બાકી વિચારો જ્યારે માનવ પ્રાણી હતો એટલે કે આદિમાનવની જિંદગી એ પણ કરોડો વાઇરસની વચ્ચે ખુલ્લા શરીરે જંગલમાં જીવતો હતો ત્યારે તે માદો નહી પડતો હોય? માદા બધા જ પડે છે, માનવ પણ અને પ્રાણી પણ…પણ પ્રાણીઓ પોતાની જીવનશૈલી જાળવી રાખી છે માટે તેમને ડોક્ટરની જરૂર નથી પડતી. અહીં કહેવાનો અર્થ એ છે કે આપણે પણ થોડું આપણી માનવ જીવનશૈલી વિશે વિચારીએ એટલે કે જેથી આપણને પણ ડોક્ટરની જરૂર નહિવત પડે…આ માટે આયુર્વેદથી લઈને નેચરોપથી સુધી અનેક સીધા સાદા નિયમો છે. જેને આપણે પાળવા જોઇએ….જેમ કે…

Eat Healthy

# હેલ્દી ખાવાનું રાખો, જે હાથમાં આવે તે ખાઇ લેવું યોગ્ય નથી. ઓછુ ખાવ પણ સારું અને સ્વાસ્થ્ય વર્ધક ખાવ. તમે જે ભોજન કરો તેમાંથી શરીરને પોષણ મળવું જોઇએ. શરીરનો ભાર વધારે એવું, પચી ન શકે એવું ન ખાવું જોઇએ. | Eat Healthy

 

Fix Food Timing

# આપણે ત્યાં કહેવાય છે કે શિરામણ તો સવારે જ…એટલે કે ખાવું જ હોય તો સવારે પેટ ભરીને ખાવું જોઇએ. કેમ કે તેને પચાવવા માટે આપણી સિસ્ટમ પાસે આખો દિવસ હોય છે. એટલે જ સવારે જેટલું અને જે ખાવું હોય એટલું, બપોરે ઓછુ અને સાંજે ખૂબ ઓછુ ખાવાની સલાહ આપવામાં આવે છે. બને તો ૮ વાગ્યા પછી ભારે ખોરાક ન લો, રાતના ૮ થી સવારના ૮ પેટમાં કઈ ના નાખો. | Fix Food Timing

Natural immunity booster

# આપણું શરીર જ ઇમ્યુનિટિ જાતે વધારી શકે છે પણ આપણે ઓછુ ખાઇએ અને શરીરને પચાવવામાંથી મુક્તિ આપીએ ત્યારે. તમને ખબર છે કે ભગવાને આપણી સિસ્ટમ જ એવી બનાવી છે કે કોઇ પણ રોગ તે જાતે જ મટાડી શકે છે. દવા તો આપણે બનાવી છે, કુદરતે તો શરીર રચના જ એવી કરી છે કે બધુ જાતે જ થાય. બસ કુદરતે આપણા માટે જે જીવનશૈલી ( Lifestyle ) નક્કી કરી છે તે પ્રમાણે જીવવાનું છે.

Naturopathy and 16 hours fast

# નેચરોપથી કહે છે કે દરરોજ ૧૬ કલાકનો ઉપવાસ ( Intermittent Fasting ) કરવો જોઇએ. આ શક્ય ના હોય તો આપણે ૧૪ કલાકનો ઉપવાસ પણ કરી શકીએ. આપણે ત્યા ઉપવાસનું મહત્વ છે. ઉપવાસથી શરીરની જે અંદરની સિસ્ટમ છે તેને આરામ મળે છે. માટે ઉપવાસ કરવો જોઇએ. નેચરોપેથી તો રોજ ઉપવાસ કરવાનું કહે છે. તમને પ્રશ્ન થાય તો રોજ ઉપવાસ કેવી રીતે થઈ શકે? વાત પણ સાચી છે. પણ આ આપણે જે રીતે ઉપવાસ કરીએ છીએ તે રીતે ઉપવાસ કરવાની વાત નથી. અહીં વાત થોડી જુદી છે. વાત સંળગ ૧૬ કલાક ઉપવાસ કરવાની છે. એટલે કે આ ૧૬ કલાકના ઉપવાસ (Naturopathy and 16 hours fast ) દરમિયાન કઈ પણ નહી ખાવાનું અને આ ૧૬ કલાક તમે દિવસના ૨૪ કલાકમાંથી ગમે તે પસંદ કરી શકો છો. તમે કહેશો એનાથી શું થશે તો જવાબ છે તમે દુનિયાના હેલ્દી વ્યક્તિ બની જશો.

 

The immune system

# તમને જણાવી દઈએ કે આપણી જે ઇમ્યુનલ સિસ્ટમ (The immune system )છે તે એક સમયે એક જ કામ કરી શકે છે. એટલે કે જો તમે ભોજન કર્યું હોય તો તે ભોજન પચાવવામાં લાગી જશે. આ ભોજન પચાવવ્યા પછી તેની પાસે સમય રહે આપણા શરીરના રોગ દૂર કરવાના કામે લાગે છે. પણ આ બીજો સમય તેને મળતો જ નથી. આપણે ખા-ખા કરીએ છીએ અને આપણી ઇમ્યુનલ સિસ્ટમને ભોજન પચાવવાના કામમાં જ વ્યસ્ત રાખીએ છીએ. પરિણામે જે રોગ દવા વગર દૂર થઈ શકતા હોય તેના માટે દવા લેવી પડે છે. તો દિવસ દરમિયાન ૧૬ કલાકનો ઉપવાસ કરો. આ ૧૬ કલાકમાં આપણી ઇમ્યુનલ સિસ્ટમ ( The immune system ) શરીરને રોગમુક્ત કરવાના કામે લાગે છે અને અને આપણી ઇમ્યુનિટિ વધારે છે

Hot water benefits

# આ ઉપરાંત પાણી ઉકાળીને હુંફાળું ગરમ પીવો (Hot water benefits ), રાત કરતા સવારે વધારે પાણી પીવો, પાણી આપણા શરીરનો કચરો સરળતાથી બહાર ફેંકી શકે છે. પાણી ખૂબ પીવું જોઇએ અને એ પણ ધૂંટડે – ઘૂંટડે પીવું જોઇએ. ઠંડુ પાણી ન પીવું જોઇએ. યાદ રાખો પ્રાણીઓ ઠંડું પાણી પીતા નથી. આપણે પણ પીતા ન હતા. આપણી જીવનશૈલીમાં કુદરતે નહી પણ આપણે જાતે આ ઠંડુ પાણી અને ભોજન ઉમેર્યુ છે, જેનું ખરાબ પરિણામ આપણને મળી રહ્યું છે.

Fix sleep wake time

# ઊંઘવાનો સૌથી ઉત્તમ સમય રાત્રીના ૧૦થી સવારના ૬ સુધીનો છે, આટલું જ સૂવો. ( Fix sleep wake time) કોઇ પણ પ્રાણી, પંખીને જોઇએ લો. તેમના સૂવાનો સમય નક્કી જ છે. પણ આપણો સમય નક્કી નથી. આપણે મોડા સૂતા અને મોડા ઉઠતા થઈ ગયા છે. પરિણામે આપણી જીવનશૈલી સાવ ખરાબ થઈ ગઈ છે.

# જમ્યા પછી તરત સૂઈ ન જાવ, સાંજે કે સવારે થોડી હળવી કસરત કરો. જમ્યા પછી ડાબી બાજુ આડા પડવું જોઇએ પણ નિરાતે સૂઈ ન જવું જોઇએ.

Take time to eat

# ખૂબ એટલે ખૂબ ચાવીને ખાવ, એક કોળિયો ૩૨ વાર ચાવવાની ટેવ પાડો. દાંતને ચાવવાનું અને પેટને પચાવવાનુ કામ જ આપો (Take time to eat ). આપણે આ બન્ને કામ પેટને આપીએ છીએ. ભગવાને જે કામ માટે જે અંગ આપ્યા હોય તેને તેજ કામ આપવું જોઇએ. આવું માનવ જીવનમાં થતું નથી એટલે સમસ્યા પેદા થઈ છે.

 

Say no to junk food

# જંકફૂડ ખાવાનું બંધ કરવું જોઇએ ( Say no to junk food ) છતાં ખાવાનું મન થાય તો કોઇવાર અને એ પણ સાવ ઓછું અને સવારે ખાવું જોઇએ. આમ તો ન જ ખાવું જોઇએ. પ્રાણીઓ જંકફૂડ ખાતા નથી પણ માનવ જ ખાય છે. આજની લાઇફમાં જંકફૂડથી દૂર રહેવું શક્ય નથી એ વાત પણ સચી છે પણ જો તંદુરસ્ત રહેવું હશે તો આ કરવું પડશે.

# બને એટલું કુદરતી જીવન જીવો અને બને એટલું તણાવથી દૂર રહો. ભૈતિકવાદથી દૂર રહેશો તો આ શક્ય છે.

# એટલે જ કહેવાય છે કે માત્ર જીવનશૈલી બદલો, ઇમ્યુનિટિ આપો આપ વધી જશે, યાદ રાખો જંગલના પ્રાણીઓના કોઇ ડોક્ટર નથી હોતા, તેમની જીવનશૈલી જ તેમને સ્વસ્થ રાખે છે. કહેવાય છે કે કુદરતનું શ્રેષ્ઠ સર્જન માનવ છે માટે કુદરતના સર્જન પર ભરોશો રાખો

 

 

 

]]>
https://gujjulogy.com/strengthen-your-immunity-naturally/feed/ 0