દૂધમાં વિટામિન સી સિવાયના બધા જ વિટામિન છે. જે શરીર માટે ખૂબ જરૂરી છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે દરોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ જરૂર પીવું જોઇએ. પણ આયુર્વેદમાં દૂધ સાથે અને દૂધ પીધા બાદ, કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવાની સલાહ પણ આપવામાં આવી છે. માછલી સિવાય પણ કેટલીક એવી વસ્તુઓ છે, જેને દૂધ પીતાં પહેલાં કે દૂધ પીધા બાદ ન લેવી જોઇએ.

દૂધ સાથે કે પછી કે પહેલા આ વસ્તું ન ખાવી જોઇએ
અડદની દાળ ખાધા બાદ કે સાથે દૂધનું સેવન ન કરવું જોઇએ.
દૂધ અને છાશને ભેગા કરીએ તો શું થાય? દૂધ ફાટી જાય. એવું પેટમાં પણ થાયને? દૂધના સેવનની સાથે દહીંનું સેવન નુકસાનકારક નીવડી શકે છે. બંન્નેનું સેવન સાથે કરવાથી ત્વચા સંબંધિત બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે.
દૂધ સાથે તલનું સેવન ક્યારેય ન કરવું જોઇએ.
દૂધ સાથે ચેરી, સંતરાં જેવાં ખાટાં ફળનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. ટૂંકમાં ખાટા ફળો ન ખાવા જોઇએ. દૂધ સાથે ફળ ખાવાથી ફૂડ પોયજનિંગ થઇ શકે છે. માટે જ વૈદ્ય ફ્રુટસલાડથી દૂર રહેવાની સલાહ આપે છે.
મીઠું અને મીઠાવાળી વસ્તુઓની સાથે દૂધનું સેવન ન કરવું જોઇએ.
સૌથી છેલ્લે ડુંગળીની વાત. દૂધ સાથે કે પછી કે પહેલા ન જ ખાવી જોઇએ…
દૂધ સાથે ખાવું જ હોય તો સૂકો મેવો કે હળદર ખાવ…રોગ પ્રતિકારક શક્તિ વધશે અને તંદુરસ્ત રહેશો…