Heart attack diet food | સિદ્ધાર્થ શુક્લાને ૪૦ વર્ષની ઉમરે હાર્ટઅટેક આવ્યો અને ચર્ચાનો મુદ્દો બન્યો કે ભારતમાં કેમ નાની ઉમરના લોકોને હાર્ટ અટેક આવી રહ્યો છે. આના કારણ ઘણા છે પણ જો દરેક વ્યક્તિ ખાવાપીવામાં થોડું ધ્યાન રાખે તો નક્કી હાર્ટઅટેકથી બચી શકાય છે. આ ફૂડ ખાવ અને હાર્ટ એટેકનું જોખમ ઘડાડો…
1 ઓટર્સ :
ઓટસમાંથી પૂરતા પ્રમાણમાં ફાઇબર્સ મળી રહે છે તથા તે હાનિકારક કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને પાચનશક્તિને વધારે છે.
2. સ્ટ્રોબેરી
સ્ટ્રોબેરી તથા બ્લુબેરી બ્લડ પ્રેશરને ઘટાડે છે તથા રુધિરવાહિનીઓને ક્લિન રાખે છે. સ્ટ્રોબેરીમાંથી ફાઇબર, એન્ટિઓક્સિડન્ટ્સ, અને પોટેશિયમ જરૂરી પ્રમાણમાં મળી રહે છે. સ્ટ્રોબેરીમાં વિટામિન C તથા E ભરપૂર પ્રમાણમાં હોય છે. સ્ટ્રોબેરીથી આંખને પણ ખુબ ફાયદો થાય છે.
3. ડાર્ક ચોકલેટ
ડાર્ક ચોકલૅટ બ્લડ પ્રેશરને નોર્મલ કરવા, રુધિરવાહિનીઓમાં લોહી જામતા અટકાવે છે. ચોકલૅટથી તણાવ પણ ઓછો થાય છે. કોકો જેમાંથી ચોકલૅટ બને છે તે યાદશક્તિ વધારે છે. ચોકલૅટ ત્વચાને અલ્ટ્રાવાયોલેટે કિરણોથી પણ રક્ષણ પ્રદાન કરે છે.
4. ડ્રાયફ્રુટ (કાજુ, બદામ વગેરે )
ડ્રાયફ્રૂઇટમાં એક પ્રકારના પ્રોટીન ફાઈબર હોય છે જે હ્રદયને ખુબ ફાયદો પોંહચાડે છે. બદામમાંથી વિટામિન E ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. ડ્રાયફ્રુઇટને શરીર માટે યોગ્ય આહાર માનવામાં આવે છે
5. ગ્રીન ટી
ગ્રીન ટી મગજની કામ કરવાની ગતિને વધારે છે. ચરબીને ઘટાડવામાં તથા મેટાબોલિઝમ રેટને વધારવામાં મદદરૂપ થાય છે. કેટલાક પ્રકારના કેન્સરનો રિસ્ક પણ ગ્રીન ટી ઓછો કરે છે. રોજની એક કપ ગ્રીન ટી પીવાથી કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે.
6. બ્રોકોલી અને પાલક
બ્રોકોલી તથા પાલકમાં ભરપૂર પ્રમાણમાં વિટામિનો, મીનેરલ્સ, ફાઈબર અને એન્ટિઓક્સિડન્ટ હોય છે. તે બ્લડ પ્રેશરને પણ નોર્મલ કરવામાં મદદરૂપ થાય છે. બ્રોકોલી ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી રક્ષણ આપે છે, આંખોની જોવાની ક્ષમતાને સુધરે છે, એલરજીક રિએક્શનોથી પણ રક્ષણ આપે છે. પાલકમાંથી મૅન્ગેનીઝ, આર્યન, પોટાશિયમ, અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળે છે. વિટામિન A, વિટામિન C, વિટામિન B6 જેવા કેટલાય વિટામિન પાલક અને બ્રોકોલીમાંથી મળી રહે છે. જે આપણા હ્રદયને મજબૂત રાખે છે.
7. દાડમ
દાડમમાં એન્ટિઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. તે બ્લડપ્રેશરને સામાન્ય કરે છે, બ્લડસર્ક્યુલેશન સુધારે છે તથા હિમોગ્લોબીનની માત્રા વધારે છે.
8. તરબૂચ
તરબૂચ કોલેસ્ટ્રોલ લેવલને નોર્મલ કરે છે. તેમાંથી એન્ટિઓક્સિડન્ટ્સ પણ મળી રહે છે. તરબૂચ વાળ તથા ત્વચા માટે ખુબજ ફાયદકારક સાબિત થાય છે.
9. લસણ
લસણ રક્તવાહિનીઓને પોહળી કરે છે, બ્લડપ્રેશરને ઘટાડે છે, પાચનશક્તિ વધારે છે. હ્રદયરોગના દર્દીઓને લસણા ખાવાની સલાહ આપવામાં આવે છે.
10. સફરજન અને બાબુપોચા
સફરજન તથા બાબુપોચામાંથી ફાઈબર ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. સફરજન દાંત ને સફેદ તથા મજબૂત બનાવે છે. બાબુપોચા રોગપ્રતિકારક શક્તિને વધારે છે, પાચનશક્તિ પણ વધારે છે, તથા ઉર્જામાં પણ વધારો કરે છે.
ટૂંકમાં ઋતુગત ફળ ખાવા જોઇએ. ફળ ઝડપથી પચી જાય છે અને આપણા શરીરને શક્તિ આપે છે. એટલે જ ડોકટરો પણ રોજ એક ઋતુગત ફળ ખાવાની સલાહ આપે છે.
ઉલ્લેખનીય વાત એ છે કે આ બીમારી ખતરનાક છે. ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શરીરમાં કોઇ ફેરફારનો અંદાજો તમને આવે અથવા તો હાર્ટ અટેકની સંભાવના તમને લાગે તો જરા પણ સમય બગાડ્યા વગર ડોક્ટર પાસે પહોંચી યોગ્ય તપાસ કરાવવી ખૂબ જરૂરી છે.