પ્રાણી અને પક્ષીઓ પાસેથી આ વસ્તું શીખી લો ક્યારેય બિમાર નહી પડો | Lessons to learn from birds

Lessons to learn from birds | કોઇ પણ દવા કે ડોક્ટર વગર…પ્રાણી-પક્ષી જગતની આ જીવનશૈલી જાણાવા જેવી છે. તેમાંથી શીખવા જેવું છે. માનવ તેમાંથી શું શીખી શકે છે? આવો જાણીએ…

Lessons to learn from birds | આ પૃથ્વી પર માનવનો જન્મ થયો ત્યારે તેની એક કુદરતી જીવનશૈલી હતી. આ જીવનશૈલી આજે બદલાઈ ગઈ છે અને જેના કારણે અનેક બિમારીએ જન્મ લીધો છે. સાજા થવા માટે આજે માનવને દવાની જરૂર પડે છે પણ પહેલા દવાની જરૂર પડતી નહી. કુદરતે પ્રાણીઓની જેમ માનવને પણ પોતાની બિમારી દવા વગર તેની જાતે દૂર કરવાની શક્તિ આપી જ હતી.
પણ આપણે કુદરતી જીવનશૈલી ભૂલી ગયા ને અને આપણું શરીર આ કુદરતી દવા પણ ભૂલી ગયું. આ શક્તિ આજે પણ પ્રાણીઓ અને પક્ષીઓ પાસે છે. કેમ કે તેમણે પોતાની કુદરતી જીવનશૈલી જાળવી રાખી છે. જંગલમાં રહેતા આ પ્રાણી-પક્ષીઓને કોઇ દવાની જરૂર પડતી નથી. તેઓ બિમાર પડે છે અને સાજા પણ થઈ જાય છે. કોઇ પણ દવા કે ડોક્ટર વગર…પ્રાણી-પક્ષી જગતની આ જીવનશૈલી જાણાવા જેવી છે. તેમાંથી શીખવા જેવું છે. માનવ તેમાંથી શું શીખી શકે છે? આવો જાણીએ…

પ્રાણી-પક્ષીઓમાંથી માનવે આ શીખવા જેવું છે…!! Lessons to learn from birds

#૧

પ્રાણી – પક્ષીઓ રાત્રે ખાતા નથી. સૂર્ય આથમી ગયા પછી તેઓ શરીરમાં એક પણ અન્નનો દાણો નાંખતા નથી. આપણે શું કરીએ છીએ? આપણે પણ સૂર્યાસ્ત પછી ન ખાવું જોઇએ

#૨

રાત્રે મોડી રાત સુધી જાગતા નથી. આપણે પણ સૂવાનો સમય નક્કી કરી દઈએ તો અદધા રોગો દૂર થઈ જાય.

#૩

ભૂખ લાગી હોય તેના કરતા વધારે ક્યારેય ખાતા નથી. ભૂખ હોય એટલું જ ખાય છે. આપણે ખૂબ વધારે ખાવાથી દૂઃખી થઈએ છીએ.

#૪

ખાવાનું ભેગુ કરતા નથી. જ્યા ખાવાનું મળે ત્યાં જઈને પેટ ભરાય એટલું ખાય છે અને પછી ઉડી જાય છે. સાથે કઈ લઈ જતા નથી. હા પોતાના બાળકો માટે લઈ જાય છે પણ તે
પણ તેમના પૂરતું જ! આપણે સંગ્રહ કરતા થઈ ગયા. વાસી ખોરાક ખાતા થઈ ગયા પરિણામે રોગો પણ વધી ગયા.

#૫

કુદરતે તેમની જે જીવનશૈલી ઘડી છે તેઓ તેવી રીતે જ જીવે છે. આપણી જીવનશૈલી પણ કુદતરે એવી જ ઘડી હતી પણ આપણે તેને ભૂલી ગયા છીએ. ઉઠવ-સૂવા-ખાવામાં કુદરતે
ધડેલા નિયમો અનુસરો, ક્યારેય બિમાર નહી પડો…

#૬

સવારે વહેલા સમય સર ઊઠી જાય છે અને રાત્રે સમયસર વહેલા ઊંઘી જાય છે. આ નિયમિતતા માનવ કેળવે તો તે હંમેશાં નિરોગી જીવન જીવી શકે. ઉજાગરાનો અર્થ
પ્રાણી-પક્ષીઓને ખબર નથી એટલે તેઓ ખુશ છે અને સ્વસ્થ છે.

#૭

સવારે તણાવમાં નથી ઊઠતા. કલરવ સાથે ગાતા-ગાતા ઉંઠે છે. આપણે તણાવમાં, ચિંતા સાથે સવારની શરૂઆત કરીએ છીએ.

#૮

પોતાના શરીર પાસેથી ખૂબ કામ લે છે, આરામ પણ કરે છે પણ જરૂર હોય એટલો જ. માનવ પણ આ કરે તો પક્ષીઓની જેમ માનવને પણ કોઇ હાર્ટ અટેક નહી આવે, કિટની ખરાબ
નહી થાય, પેટના રોગ નહી થાય…

#૯

પ્રાણી અને પક્ષી પોતાનો આહાર ક્યારે બદલતા નથી. અને માનવે શું કર્યુ? જે કોઇ ના ખાય તે પણ માનવ ખાઈ લે…હંમેશાં સ્વસ્થ રહેવું હોય તો આહારશૈલી સુધારવી જોઇએ.

#૧૦

પ્રાણીઓ કે પક્ષીઓ બિમાર પડે તો ખાવાનુ બંધ કરી દે છે. આપણે શું કરીએ છીએ? માનવે આ શીખવા જેવું છે. પ્રાણીજગત, પક્ષીજગત બિમાર પડે તો તેઓ સૌથી પહેલા ખાવાનું
બંધ કરી દે છે. થોડા દિવસ ભૂખ્યા રહે છે. આનાથી તેઓ તેની જાતે જ સાજા થઈ જાય છે. માનવ પણ આવું કરે તો ખરો ફરક પડે…નાની-નાની બિમારો માટે દવા જ ન લેવી પડે.

#૧૧

પ્રકૃતિ પાસથી એટલું જ લે છે જેટલું તેમને જરૂર હોય છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *