Site icon Gujjulogy.com

અંખડિત રહી મહેશ-નરેશની જોડી, મૃત્યુ પણ આ ભાઈઓની જોડી તોડી શક્યું નહી

 

બે દિવસ પહેલા ગુજરાતી ફિલ્મ જગતના પ્રખ્યાત ગાયક અને પૂર્વ સાંસદ મહેશ કનોડિયા ( Mahesh Kanodiya ) નું અવસાન થયું અને તેના ત્રીજા જ દિવસે તેમના નામા ભાઈ ગુજરાતી ફિલ્મ ( Gujarati Film Industry ) જગતના સુપરસ્ટાર નરેશ કનુડિયાનું ( Naresh Kanodiya ) પણ કોરોનાના કારણે દુઃખદ અવસાન થયું છે.

છેલ્લા બે-દિવસથી કનોડિયા પરિવારના સમાચાર મીડિયામાં આવી રહ્યા છે. પહેલા કોરોનાની સારવાર લઈ રહેલા નરેશ કનુડિયાનો એક ફોટો વાઈરલ થયો આ ફોટોની થોડા સમય પછી એક સમાચાર સોશિયલ મીડિયામાં વાઈરલ થયા કે કોરોનાના કારણે નરેશ કનુડિયાનું અવસાન થયું. પણ આ સમાચાર ફેક હતા. તેમના પુત્ર હિતુ કનુડિયાએ ખુદ સોશિયલ મીડિયા ( Social Media ) પર આવી ને કહેવું પડ્યું કે મારા પપ્પા જીવે છે અને સ્થિતિ સુધારા પર છે.

હિતુ કનુડિયાના ( Hitu Kanodiya ) આ બહાન પછી બીજા એક સમાચાર આવ્યા કે લાંબી માંદગી બાદ ગુજરાતી ફિલ્મ જગતના પ્રખ્યાત ગાયક અને પૂર્વ સાંસદ મહેશ કનુડિયાનું અવસાન થયું છે. આ સમાચાર પહેલાતો ફેક લાગ્યા પણ તે સાચા હતા. સાચે જ નરેશ કનુડિયાના મોટાભાઈ મહેશ કનુડિયાનું અવસાન થયું હતું. બીજા દિવસે સમાચાર પાત્રોમાં અહેવાલ પણ છપાયા કે મહેશ-નરેશની જોડી થઈ ખંડિત… મહેશ કનુડિયાનું અવસાન.

આ બન્ને ભાઇએ તેમના સંઘર્ષનું એક પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે જેનું નામ છે સૌના દિલમાં હર હંમેશ – મહેશ- નરેશ…તેમણે સાથે જ જીવવા મરવાનો સંકલ્પ લીધો હતો. ૭૦ વર્ષ સાથે સંઘર્ષ કરી સામાન્યથી અસામાન્ય સુધીની સફર પૂરી કરી હતી. પણ અચાનક મહેશ કનુડિયાના અવસાન થવાથી લાગ્યું કે આ જોડી ખંડિત થઈ પણ મહેશ કનુડિયાના અવસાન પછી બે દિવસમાં જ એક દુઃખદ સમાચાર આવ્યા કે કોરોનાના કારણે નરેશ કનુડિયાનું પણ અવસાન થયુ છે…

સાચે જ આ અમર જોડીને કોઇ ખંડિત કરી શક્યું નહી. મૃત્યુ પણ નહી. આ ભાઇઓ પોતાના પ્રોગ્રામમાં હંમેશાં એક ગીત ગાતા કે “સાથે રહીશું , સાથે મરશુ” અને સાચે જ તેઓ સાથે જીવ્યા અને સ્વર્ગમાં પણ સાથે જ ગયા.

તેમના અવસાનથી ગુજરાતી ફિલ્મ જગતના એક યુગનો અંત આવ્યો છે. સુપરસ્ટાર હોવા છતાં આ મહાન વ્યક્તિઓની સાદગી આપણને પ્રેરણા આપે તેવી હતી. આજના ગુજરાતી કલાકારોએ, આપણી યુવા પેઢીએ આ ભાઇઓમાંથી પ્રેરણા લેવા જેવી છે.

તેમની આ વિદાઈ શરીરથી ભલે થઈ હોય પણ તેમણે જે કામ કર્યું છે તેનાથી, તેમની સાદગીથી, તેમના ફિલ્મો, સંગીતથી તેઓ સૌના દિલમાં હર હંમેશ રહેશે છે. ઈશ્વરને એમની સદ્દગતિ માટે પ્રાર્થના…

 

Exit mobile version