Secret to becoming Rich | બસ આટલું કરો, તમને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે! આ ઉપાય કામ કરે છે

 

Secret to becoming Rich | શું તમે સખત પરિશ્રમ કે અન્ય ઉપાયો કરો છો છતાં પણ ધન નથી મળતું? તમારી આવક નથી વધતી? તો આ વાંચો અને એનું પાલન કરો.

 

 

અગમ-અગોચર વિશ્વના સિદ્ધાંતો

દુનિયાનો કોઈ વ્યક્તિ એવો નથી જે ધનવાન બનવા ના ઈચ્છતો હોય. વ્યક્તિ ધનવાન બને છે પોતાના ભાગ્યના બળે અથવા તો કર્મના બળે. પરંતું ક્યારેક ક્યારેક આ બંને સિદ્ધાંતો વ્યર્થ સિદ્ધ થતાં હોય છે. આવા સમયે અગમ – અગોચર વિશ્વના કેટલાંક સિદ્ધાંતો મુજબ અમુક કાર્યો કરવાથી તમારુ ભાગ્ય જાગ્રત થતું હોય છે અને તમે ધનવાન બની શકો છો. અહીં એવા કેટલાંક ઉપાયો વર્ણવવામાં આવ્યા છે જે કરવાથી તમને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે.

વિચારો બદલો અને ધનવાન બનો

માનવી જેવું વિચારે છે તેનો પડઘો તેના જીવનમાં પણ પડતો હોય છે. ‘સોચો, બોલો, પાઓ’નો પણ એક સિદ્ધાંત છે. જાે તમે ધનવાન બનવા ઈચ્છતા હો તો તમારે પણ એક ધનપતિ જેવી સોચ રાખવી પડશે. તને ધનવાન બનવાના છો જ એવું સતત વિચાર્યા કરો. તમારે એ માટે તમારી રહેણી-કરણી પણ બદલવી પડશે. પોતાાની જાતને ધનવાન સમજવી પડશે. વિશ્વાસની અને વિચારની શક્તિ પણ અપાર હોય છે એ તમારે માનવું જ પડશે. તમે જાેશો કે તમે વિચાર બદશો તરત જ તમારુ ભવિષ્ય પણ બદલાઈ જશે. જે લોકો પોતાની જાતને ગરીબ સમજે છે એ લોકો હંમેશાં ગરીબ જ રહે છે. માટે ધનવાન બનવા માટે સૌથી પહેલાં તો તમારા વિચારો બદલો.

લક્ષ્મીજીનો આભાર માનવાનું ના ચુકો

દરેક માણસ ઈશ્વર પાસે હંમેશાં કંઈકને કંઈક માંગતો રહેતો હોય છે. પણ ધન્યવાદ ભાગ્યે જ કોઈક લોકો કરતાં હોય છે. લક્ષ્મીજીને તમારે પ્રસન્ન કરવા હોય તો નાનામાં નાની પણ આવક થાય, ઓછામાં ઓછો પણ નફો થાય તો પહેલાં એ રકમ લક્ષ્મીજીના ચરણોમાં ચડાવો પછી જ એને અન્ય ખર્ચમાં લો. દાખલા તરીકે તમને દર મહિને પગાર મળતો હોય તો પગાર બેંકમાંથી ઉપાડીને પહેલાં એ પૈસામાંથી શ્રીફળ ખરીદીને લક્ષ્મીજીને વધેરો પછી જ એ પગાર વાપરો. ધંધામાં નફો થાય ત્યારે દર મહિને એક વાર નિશ્ચિત કરો અને એ દિવસે તમારી આવકમાંથી પહેલા લક્ષ્મીજીનું શ્રીફળ ખરીદીને એમના ચરણોમાં ચડાવો. આ રીતે લક્ષ્મીજીને શ્રીફળ ધરાવીને એમનો આભાર માનો કે, આપની કૃપાથી મને આ ધન મળ્યુ છે એના માટે તમારો ખુબ ખૂબ આભાર. આવું કરવાથી લક્ષ્મીજી તમારા પર અત્યંત પ્રસન્ન થશે અને તમને વધારે ને વધારે ધન આપશે.

માટલું રંગીને વહાવી દો….

ધનવાન બનવા માટે એક જુનો પરંપરાગત ઉપાય પણ કરવા જેવો છે. પાકેલા લાલ રંગના માટલાને ફરીવાર ઘાટો લાલ રંગ લાવીને રંગી નાંખો. એ રંગ પાક્કો હોવો જાેઈએ એ વાતનું ધ્યાન રાખો. માટલાવાળા જે માટીનો રંગ લગાડે છે એ રંગ નહીં. એ માટલાના મુખ પર એટલે કે કાંઠા પર નાડાછડી બાંધીને એના પર એક નારિયેળ ઉમેરો. એ પછી કોઈ પણ મંગળવારના દિવસે જઈને વહેતા જળમાં એને છોડી દો. આ ઉપાય કરવાથી લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન થશે.

ઈશ્વર પાસે ધન માંગો અને વિશ્વાસ રાખો

ઈશ્વર સારા માનવીઓને હંમેશાં સુખી કરે છે એ વાત યાદ રાખો. તમારે ધન કમાવું હશે તો તમે સારા માણસો હો એ બહું જ જરૂરી છે. સારા માનવી તરીકે તમે ઈશ્વર પાસે ધનની માંગણી કરો. યાદ રાખો કે તમારી માંગણી સ્પષ્ટ હોવી જોઈએ અને ચોખ્ખી પણ હોવી જોઈએ. જ્યારે તમે ઈશ્વર પાસે ધન માંગો ત્યારે થોડી રાહ જુઓ. ભગવાન પર વિશ્વાસ રાખો કે એ તમારી માંગ અવશ્ય પુરી કરશે. એક વાત એ પણ યાદ રાખો કે આપની ઈચ્છા અને માંગ બદલાતી રહેશે તો ઈન્તજાર વધારે ને વધારે લાંબો થતો જશે.

રાત્રે સુતી વખતે નોટો ગણીને સુવો

ધનવાન બનવાનો એક ઉપાય એ પણ છે કે રાત્રે સુતી વખતે લક્ષ્મીજીના દર્શન કરીને સુઓ. લક્ષ્મીજીના દર્શન કર્યા પછી તમારે ધન ગણવાનું છે. ૧૦૦ અથવા આપને અનુકુળ આવે એ નોટનું એક બંડલ ઘરમાં રાખો. રોજ રાત્રે સુતા પહેલાં એને ગણો અને પછી વંદન કરીને ઘરમાં કોઈ ચોક્કસ અને ચોખ્ખી જગ્યાએ મુકી દો. આમ રાત્રે સુતી વખતે ધન ગણીને મુકવાથી તમારા ધનનો માર્ગ મોકળો બનશે.

ધનની આમન્યા જાળવો…

તમે જ્યાં પૈસા રાખતા હો ત્યાં નિયમિત પણે ચોખ્ખાઈ રાખો. ત્યાં રોજ અગરબતી કરશો તો તેના સારામાં સારા પરિણામો આપને પ્રાપ્ત જશે. જીવનમાં વ્યસન કરવું જ ના જાેઈએ. પણ ભુલે ચુકે વ્યસન કરી લીધું હોય તો જ્યાં તમે પૈસા રાખતા હો, જ્યાં રોજ અગરબતી કરતા હો એને સ્પર્શવાનું તો દુર રહ્યું એ રૂમમાં પણ ના જતાં. આ બધું ધનની આમન્યા માટે છે. તમે ધનની આમન્યા રાખશો તો એ પણ તમારી આમન્યા જરૂર જાળવશે. તમારા પર મહેરબાન રહેશે.

લાલ વસ્ત્ર અને કમળનો પ્રયોગ

તમે જ્યાં પૈસા રાખતા હો એ સ્થાને એક લાલ રંગનું રેશમી વસ્ત્ર અવશ્ય પાથરેલું રાખો. અને ત્યાં એક કમળ પણ રાખો. એકાદ મહિને કમળ બદલતા રહો અને વસ્ત્ર પણ નિયમિત રીતે ધુઓ. આ કાર્ય ધનલક્ષ્મીને આસન ગ્રહણ કરાવવા માટે છે. આમ કરવાથી લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન થાય છે અને તમે ધનવાન બની શકો છો.

લવિંગ અને સોપારી સાથે રાખો

ઘરની અંદર ગણેશજીની એવી મૂર્તિ રાખો જેની સુંઢ જમણી તરફ વળેલી હોય. કોઈ પણ માસની ગણેશચતુર્થીના દિવસે ગણેશજીની એ મૂર્તિ આગળ લવિંગ અને સોપારી ધરાવો તથા ગણેશજીની આરાધના કરો. પછી જ્યારે પણ આપ કોઈ આર્થિક વ્યવહાર માટે જાઓ ત્યારે એ લવીંગ અને સોપારીને એક લાલ વસ્ત્રમાં બાંધીને ખિસ્સામાં મુકીને લઈ જાઓ. દાખલા તરીકે તમે શેર બજારના કોઈ કામે જતાં હો, તમારા વ્યવસાય કે નોકરીના કોઈ આર્થિક કામે જતાં હો કે પછી અન્ય કોઈ કારણ સર. આવું કરવાથી આપને આર્થિક રીતે ખૂબ જ લાભ થશે.

સિક્કાઓ કરશે તમારા ભાગ્યને રણકતું

તમારે ધનવાન બનવું હોય તો ઘરની તિજાેરીમાં તાંબા, પિતળ અને ચાંદીના સિક્કાઓ હંમેશાં રાખો. અને ઘરની બહાર નીકળો ત્યારે પણ તમારા ખિસ્સામાં રણકતા સિક્કા અવશ્ય હોવા જાેઈએ. એ સિક્કાઓ જ તમારા ભાગ્યને રણકતું કરશે. ઘરના ઉંબરાની નિયમિત પૂજા કરો. રાત્રે ઘરમાંથી કદી જાડુ ના કાઢો અને જ્યાં પૈસા રાખતા હો એ સ્થાને કદી અંધકાર ના રાખો.

મિત્રો, બસ આટલા ઉપાયો કરશો તો તમને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે. તમે ટુંક સમયમાં જ માલામાલ થઈ જશો. Secret to becoming Rich 

***
ગુજ્જુલોજી ( Gujjulogy ) તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *