<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>અનુભવ &#8211; Gujjulogy.com</title>
	<atom:link href="https://gujjulogy.com/tag/%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%AD%E0%AA%B5/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://gujjulogy.com</link>
	<description></description>
	<lastBuildDate>Fri, 03 Sep 2021 14:12:20 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.8.7</generator>

<image>
	<url>https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png</url>
	<title>અનુભવ &#8211; Gujjulogy.com</title>
	<link>https://gujjulogy.com</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>દસ વર્ષનો વૃદ્ધ &#124; દરેકે આ જવાબ વાંચવા જેવો છે &#124; Motivational</title>
		<link>https://gujjulogy.com/motivational/</link>
					<comments>https://gujjulogy.com/motivational/?noamp=mobile#respond</comments>
		
		<dc:creator><![CDATA[Admin]]></dc:creator>
		<pubDate>Fri, 03 Sep 2021 14:12:20 +0000</pubDate>
				<category><![CDATA[Life Mantra]]></category>
		<category><![CDATA[Motivational]]></category>
		<category><![CDATA[અનુભવ]]></category>
		<guid isPermaLink="false">https://gujjulogy.com/?p=1271</guid>

					<description><![CDATA[&#160; Motivational &#124; આ શેઠે રાજાના દરબારમાં સાચી ઉમર કોને કહેવાય એનો દાખદો આપ્યો અને બધા ચોંકી ગયા &#160; એક વખત એક રાજા દરબાર ભરીને બેઠા હતા. એ વખતે એક&#8230; ]]></description>
										<content:encoded><![CDATA[<p>&nbsp;</p>
<p>Motivational | આ શેઠે રાજાના દરબારમાં સાચી ઉમર કોને કહેવાય એનો દાખદો આપ્યો અને બધા ચોંકી ગયા</p>
<p>&nbsp;</p>
<p><img fetchpriority="high" decoding="async" class="alignnone  wp-image-1272" src="https://gujjulogy.com/wp-content/uploads/2021/09/sachiumar-300x158.jpg" alt="Motivational gujarati " width="801" height="422" srcset="https://gujjulogy.com/wp-content/uploads/2021/09/sachiumar-300x158.jpg 300w, https://gujjulogy.com/wp-content/uploads/2021/09/sachiumar-1024x538.jpg 1024w, https://gujjulogy.com/wp-content/uploads/2021/09/sachiumar.jpg 1200w" sizes="(max-width: 801px) 100vw, 801px" /></p>
<p>એક વખત એક રાજા દરબાર ભરીને બેઠા હતા. એ વખતે એક શેઠ એમના દરબારમાં આવ્યા. રાજાએ એમનું સ્વાગત કર્યુ. માનપાન આપ્યા અને બેસાડ્યા.</p>
<p>એ પછી રાજાએ એમનો પરિચય પૂછ્યો, ‘શેઠજી આપનું નામ શું? આપની ઉંમર કેટલી થઈ? દીકરા કેટલાં અને તમારી સંપતિ કેટલી છે?’<br />
શેઠે જવાબ આપ્યો, ‘મારુ નામ દામોદર છે. મારી ઉંમર દસ વર્ષથી થઈ છે, મારે ત્રણ દીકરા છે. અને મારી સંપતિ ચાલીસ હજારની છે.’<br />
શેઠનો જવાબ સાંભળીને દરબારીઓ હસવા લાગ્યા. પણ રાજને લાગ્યુ કે શેઠની વાતમાં કંઈક સંદેશ છુપાયેલો લાગે છે એટલે એ હસ્યા નહીં.</p>
<p>રાજાએ બધાને શાંત રહેવા આદેશ કર્યો અને શેઠને બીજો પ્રશ્ન પૂછ્યો, ‘શેઠજી, આપ તો વૃદ્ધ લાગો છો. કમસે કમ સાઈઠ વર્ષની આપની ઉંમર દેખાય છે. તો પછી આપ દસ વર્ષની ઉંમર એમ શા માટે કહો છો?’</p>
<p>શેઠ બોલ્યા, ‘રાજાજી આપની વાત સાચી છે. મારો જનમ થયાને બાસઠ વર્ષ થઈ ગયા છે. પણ હું દેહની ઉંમરને માનવીની ઉંમર નથી ગણતો. માનવીની સાચી ઉંમર એ છે જેટલાંમાં એ જિંદગીના અનુભવો કરે. એને જિંદગીની ખરી વ્યાખ્યાની ખબર પડે. જિંદગીના બેતાલીસ વર્ષ મેં માત્ર પૈસા કમાવામાં, ખાવા-પીવામાં અને ભોગ &#8211; વિલાસમાં જ વિતાવી દીધા છે. પણ છેલ્લાં દસ વર્ષથી મને ભાન થયુ છે કે જીવનમાં માત્ર મોજ-મજા કરવી એ જ સાચી વાત નથી. જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો, તપ કરવું અને અનુભવ મેળવવો એ જ સાચી વાત છે. અને આપણા એ અનુભવથી આપણે કોઈને સમૃદ્ધ કરીએ, બીજાને મુશ્કેલીમાંગી ઉગારીએ એટલું જ આપણે જીવ્યા કહેવાઈએ. બેતાલીસ વર્ષ હું એટલું બધું બેફામ જીવ્યો કે સારા કોઈ અનુભવો મેં કર્યા. મુસીબત વખતે કાં તો મે પૈસાના અને જોર જુલમના જોરેએને દૂર કરી કાં તો મોં છુપાવીને ભાગી ગયો. આથી હું મારા જુના જીવનમાંથી સારા અનુભવો કોઈને આપી શકતો નથી. પણ એના બદલે છેલ્લાં દસ વર્ષથી હું સારા અનુભવો મેળવું પણ છું અને મારી આસપાસના લોકોને મારા જુના અનુભવો પરથી શીખવું છું કે, જીવનમાં સારા અનુભવો પ્રાપ્ત કરજો. માત્ર ખાઈ-પીને સૂઈ ના રહેતા. અનુભવ જ તમને ઉગારશે. તમારો અનુભવ જ તમને ઈજ્જત આપશે અને બીજાના હિતના કાર્યો કરાવશે. માટે રાજને મેં મારી ઉંમર દસ જ વર્ષથી કહી. આજે પણ મારા સારા અને ખરાબ અનુભવ તમારા બધા સમક્ષ વાગોળી, તમને કહીને હું મારા અનુભવનો સદ્‌ઉપયોગ કરવા જ અહીં આવ્યો છું. આપ સૌ મારા અનુભવોમાંથી કંઈ શીખો અને કોઈ મુશ્કેલીમાંથી ઉગરો તો મારો જન્મારો સાર્થક થશે.’</p>
<p>વૃદ્ધે નોંખી અને અનોખીવાત કરી. સૌ દરબારીઓએ એમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. રાજાએ એમનું સન્માન કર્યુ. એ સન્માન એ દામોદર શેઠનું નહોતું પણ એમના અનુભવોનું હતું.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://gujjulogy.com/motivational/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>અનુભવ નો એક વાંચવા જેવો પ્રસંગ&#8230;ઘી ભરેલું તળાવ</title>
		<link>https://gujjulogy.com/%e0%aa%85%e0%aa%a8%e0%ab%81%e0%aa%ad%e0%aa%b5/</link>
					<comments>https://gujjulogy.com/%e0%aa%85%e0%aa%a8%e0%ab%81%e0%aa%ad%e0%aa%b5/?noamp=mobile#respond</comments>
		
		<dc:creator><![CDATA[Admin]]></dc:creator>
		<pubDate>Fri, 11 Jun 2021 17:04:34 +0000</pubDate>
				<category><![CDATA[Life Mantra]]></category>
		<category><![CDATA[અનુભવ]]></category>
		<guid isPermaLink="false">https://gujjulogy.com/?p=1212</guid>

					<description><![CDATA[અનુભવ &#124; સાર એ છે કે ઘરડાં એટલે કે અનુભવી. અનુભવીઓને કદી અપમાનિત ન કરવા. અનુભવી જ તમારી મુશ્કેલીમાંથી સાચો ઉપાય શોધી આપી શકે છે. આપણે ત્યાં એક કહેવત કથા&#8230; ]]></description>
										<content:encoded><![CDATA[<p><strong>અનુભવ | સાર એ છે કે ઘરડાં એટલે કે અનુભવી. અનુભવીઓને કદી અપમાનિત ન કરવા. અનુભવી જ તમારી મુશ્કેલીમાંથી સાચો ઉપાય શોધી આપી શકે છે.</strong></p>
<p><img decoding="async" class="wp-image-1213 aligncenter" src="https://gujjulogy.com/wp-content/uploads/2021/06/gharadasss-300x157.jpg" alt="" width="774" height="405" srcset="https://gujjulogy.com/wp-content/uploads/2021/06/gharadasss-300x157.jpg 300w, https://gujjulogy.com/wp-content/uploads/2021/06/gharadasss-768x402.jpg 768w, https://gujjulogy.com/wp-content/uploads/2021/06/gharadasss.jpg 960w" sizes="(max-width: 774px) 100vw, 774px" /></p>
<p>આપણે ત્યાં એક કહેવત કથા છે. ‘ઘૈડા ગાડા પાછાં વાળે!’ એ કહેવત પાછળ એક અનુભવની કથા છુપાયેલી પડી છે.<br />
એક વખત એક ગામમાં એક યુવાની જાન જોડવામાં આવી હતી. એ ગામમાં ઘરડાં માણસો થોડાં વધારે હતા. યુવાન અને એના બાપાને ઘરડાં ડોસલાંઓ બહું ગમતા નહીં.</p>
<p>એમણે નક્કી કર્યુ કે, આપણે એકેય ઘરડાંને જાનમાં લઈ જવો નથી. જાનમાં તો જુવાનિયાઓ શોભે. ઘરડાં આવીને બીડીઓ ફૂંક્યા કરે અને વાહિયાત વાતોના વડાં કર્યા કરે એ કરતા ના લઈ જવા સારા.</p>
<p>આમ નક્કી કરી એ લોકોએ તો એક પણ ઘરડાં વિના જાન કાઢી. ઘરડાં ડોસલાંઓને પણ જાનનો બહું શોખ. પાંચ ઘરડાંઓએ નક્કી કર્યુ કે, એ લોકો નથી લઈ ગયા તો શું થયું. આપણે આપણી રીતે જઈશું. ત્યાં જઈએ પછી જે થાય એ જાેયુ જશે.</p>
<p>જુવાનીયાઓને લઈને જાન તો નીકળી અને ઘરડાંઓ પોતાની રીતે પાછળ ગયા. જાનનો મંડપ હતો ત્યાં પાછળ એક મોટુ મકાન હતું. એ મકાન પાછળના ભાગે ઘરડાંઓ છુપાઈ ગયા અને શું થાય એ ખેલ જોવા લાગ્યા. એમનો ઈરાદો હતો હમણા જમણવાર શરૂ થશે પછી જઈને બેસી જઈશું.</p>
<p>જાન માંડવે પહોંચી. ગોર મહારાજે છડી પોકારી, કન્યા પધરાવો સાવધાન!</p>
<p>ત્યાંજ કન્યાને બદલે કન્યાનો બાપો આવીને માંડવે ઉભો રહ્યો અને તરત વરના બાપા સામે શરત મૂકી કે, ‘અમારા ગામનું તળાવ ઘીથી ભરી દો તો જ તમને મારી કન્યા આપું.’</p>
<p>વરના બાપા મુંઝાઈ ગયા. હવે શું કરવું? છોકરાની જાન માંડવેથી પાછી આવે તો બીરાદરીમાં પોતાનું નાક કપાઈ જાય. એમણે ખૂબ આજીજી કરી પણ વેવાઈ માન્યા નહીં. એમની એક જ જીદ હતી, અમારુ તળવા જો ઘીથી નહીં ભરાય તો લગ્ન નહીં.<br />
જાનના ગાડા પાછા વળવાની તૈયારીમાં હતા. જાનૈયાઓમાં ઉદાસી છવાઈ ગઈ. આ બધો તમાશો પેલી દિવાલ ઓથે છૂપાઈને બેસેલાં ઘરડાંઓ જાેઈ રહ્યાં હતા.</p>
<p>હવે એમનાથી રહેવાયું નહીં. આખરે એમના ગામની ઈજ્જતનો સવાલ હતો. ગાડા પાછા વળી જ રહ્યાં હતા ત્યાંજ પાંચે પાંચ ઘરડાંઓ બહાર આવ્યા અને મંડપ વચ્ચે આવીને ઉભા રહ્યાં. એમણે કહ્યુ, ‘અલ્યા, ગાડાં પાછા વાળો. ક્યાંય નથી જવાનું. લગ્ન થઈને જ રહેશે.’<br />
વરનો બાપ એમને જાેઈ અચંબામાં પડી ગયો અને પછી એમના પગમાં, ‘ભાભા, આમને કંઈક સમજાવો. મારી ઈજ્જત લેવા બેઠા છે. કહે છે કે તળાવ ઘીથી ભરી દો!’</p>
<p>એક ઘરડાં બાપાએ કહ્યુ, ‘હા, તેં ભરી દઈએ એમાં શું!’</p>
<p>બાપાની વાત સાંભળી બધા જ ચોંકી ગયા. કન્યાનો બાપ પણ આંખો ફાડી જાેઈ રહ્યો.</p>
<p>એ જાેતો હતો એટલે એક ઘરડાં ભાભા એની પાસે ગયા અને બોલ્યા, ‘વેવાઈ, અમે તમારા ગામનું આખું તળાવ ઘીથી ભરવા તૈયાર છીએ. પણ પહેલાં જઈને એ તળવા ખાલી કરાવી દો. એમાં પાણી ભર્યુ છે એ બધું જ કાઢી આવો એટલે અમે ઘીથી ભરી દઈએ.’<br />
જાનૈયાઓમાં ઉત્સાહ ફરી વળ્યો.</p>
<p>બધાએ ઘરડાં બાપાને ઉંચકી લીધા. આખરે કન્યાના બાપાએ માફી માંગી અને લગ્ન લેવાયા. ત્યારથી કહેવત પડી ગઈ છે કે, ‘ઘૈડા ગાડા પાછાં વાળે!’</p>
<p>સાર એ છે કે ઘરડાં એટલે કે અનુભવી. અનુભવીઓને કદી અપમાનિત ન કરવા. અનુભવી જ તમારી મુશ્કેલીમાંથી સાચો ઉપાય શોધી આપી શકે છે.</p>
<blockquote>
<p style="text-align: center;">
મારી પાસે એક દીવો છે, તે મને રાહ બતાવે છે. અને તે છે મારો અનુભવ! &#8211; પેટ્રિક હેન્ની</p>
</blockquote>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://gujjulogy.com/%e0%aa%85%e0%aa%a8%e0%ab%81%e0%aa%ad%e0%aa%b5/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
	</channel>
</rss>

<!--
Performance optimized by W3 Total Cache. Learn more: https://www.boldgrid.com/w3-total-cache/?utm_source=w3tc&utm_medium=footer_comment&utm_campaign=free_plugin

Page Caching using Disk: Enhanced 
Minified using Disk

Served from: gujjulogy.com @ 2026-08-12 09:26:30 by W3 Total Cache
-->