<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>astrology &#8211; Gujjulogy.com</title>
	<atom:link href="https://gujjulogy.com/tag/astrology/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://gujjulogy.com</link>
	<description></description>
	<lastBuildDate>Mon, 08 Feb 2021 17:18:09 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.8.5</generator>

<image>
	<url>https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png</url>
	<title>astrology &#8211; Gujjulogy.com</title>
	<link>https://gujjulogy.com</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>Monday Prayer સોમવારના દિવસે કરેલા આ કાર્યો તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે&#8230;</title>
		<link>https://gujjulogy.com/astrology-tips-for-shiv-puja-on-monday-prayer/</link>
					<comments>https://gujjulogy.com/astrology-tips-for-shiv-puja-on-monday-prayer/?noamp=mobile#respond</comments>
		
		<dc:creator><![CDATA[Admin]]></dc:creator>
		<pubDate>Mon, 02 Nov 2020 12:33:45 +0000</pubDate>
				<category><![CDATA[Religious]]></category>
		<category><![CDATA[astrology]]></category>
		<category><![CDATA[jyotishi]]></category>
		<category><![CDATA[Monday]]></category>
		<category><![CDATA[shiva]]></category>
		<category><![CDATA[shivpooja]]></category>
		<guid isPermaLink="false">https://gujjulogy.com/?p=635</guid>

					<description><![CDATA[Monday Prayer સંતાન નથી થતાં? બાળકો ભણવામાં ધ્યાન નથી આપતા? મહેનતનું યોગ્ય ફળ નથી મળતું? તો આ ઉપાયો જરૂર કરો. &#160; Monday Prayer સોમવાર એટલે ભગવાન શંકરનો વાર. શિવજીને અત્યંત&#8230; ]]></description>
										<content:encoded><![CDATA[<blockquote><p><strong>Monday Prayer સંતાન નથી થતાં? બાળકો ભણવામાં ધ્યાન નથી આપતા? મહેનતનું યોગ્ય ફળ નથી મળતું? તો આ ઉપાયો જરૂર કરો.</strong></p></blockquote>
<p>&nbsp;</p>
<p>Monday Prayer સોમવાર એટલે ભગવાન શંકરનો વાર. શિવજીને અત્યંત પ્રિય આ દિવસ છે એટલે જ આ દિવસે લોકો શિવ આરાધના અને ઉપવાસ કરતાં હોય છે. સાથે સાથે જ્યોતિષ શાસ્ત્રો અનુસાર સોમવાર ચંદ્ર ગ્રહનો પણ દિવસ છે. આ દિવસે શિવજી સાથે સાથે ચંદ્રને પણ પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપવાસ અને પૂજા અર્ચના કરવાનું શાસ્ત્રોમાં દર્શાવામાં આવ્યું છે. અહીં એવા ઉપાયો બતાવવામાં આવ્યા છે જે કરવાથી આપને ભગવાન શિવ અને ચંદ્રમાના આશિર્વાદ પ્રાપ્ત થશે અને આપની બધી જ સમસ્યાઓ દૂર થશે અને મનોકામનાઓ પૂર્ણ થશે.</p>
<p><img fetchpriority="high" decoding="async" class="alignnone wp-image-636" src="https://gujjulogy.com/wp-content/uploads/2020/11/monday-300x156.jpg" alt="" width="804" height="418" srcset="https://gujjulogy.com/wp-content/uploads/2020/11/monday-300x156.jpg 300w, https://gujjulogy.com/wp-content/uploads/2020/11/monday-1024x533.jpg 1024w, https://gujjulogy.com/wp-content/uploads/2020/11/monday-768x400.jpg 768w, https://gujjulogy.com/wp-content/uploads/2020/11/monday-1536x799.jpg 1536w, https://gujjulogy.com/wp-content/uploads/2020/11/monday.jpg 1703w" sizes="(max-width: 804px) 100vw, 804px" /></p>
<h2>શિવલીંગ પર દૂધ અને મધનો અભિષેક</h2>
<p>સોમવારના દિવસે સવારે વહેલાં ઉઠીને સ્નાન કરીને સફેદ વસ્ત્રો ધારણ કરીને શિવજીની આરાધના કરો. મંદીરે અથવા આપના ઘરમાં હોય તે શિવલિંગ પર પ્રથમ જળનો અભિષેક કરો. ત્યારબાદ તાંબાના એક કળશમાં દૂધ અને મધને મિશ્રિત કરીને તેનો અભિષેક કરો. આ ઉપરાંત ૧૧ બિલિપત્રો શિવલીંગ પર ચડાવો અને શિવજીની મૂર્તિ સામે લવિંગ અને કપૂરની ગોટી મુકી ઘીનો દીવો કરીને શિવલીંગની અને શિવજીની પૂજા કરો.</p>
<h2>લવીંગ અને કપૂરની ગોટીનો ઉપાય</h2>
<p>શિવલીંગ પર અભિષેક થઈ ગયા બાદ શિવજીની મૂર્તિ સમક્ષ મુકેલા લવીંગ અને કપુરીની ગોટીઓ લઈને તમારી જમણા હાથની હથેળીમાં મુકીને મુઠ્ઠી બંદ કરી દો. મુઠ્ઠી બંદ કર્યા બાદ તમારી આંખો પણ બંદ કરી દો અને ભગવાન શિવ સમક્ષ તમારી બધી જ સમસ્યાઓ મનોમન રજુ કરી દો અને તેમાંથી ઉગારવા માટે તેમને પ્રાર્થના કરો.</p>
<h2>સમસ્યાઓ પણ સળગી જશે..</h2>
<p>લવીંગ અને કપુરની ગોટીઓ મુઠ્ઠીમાં બંદ રાખીને પ્રાર્થના કરી લીધા બાદ જાે તમે ઘરે જ પૂજા કરતાં હોય તો કોઈ પણ શિવ મંદિરે તમારે જવાનું છે. ત્યાં શિવલીંગ પર જે અભિષેક થતો હોય તેમાં એ લવીંગ અને કપુરની ગોટીને ભીંજવો અને થોડીવાર પછી બંનેને આગ સળગાવીને પ્રગટાવી દો. આમ કરવાથી તમારી બધી જ સમસ્યાઓ સળગીને રાખ થઈ જશે.</p>
<h2>માત્ર સફેદ પદાર્થોનું જ સેવન</h2>
<p>સોમવારનો દિવસ ચંદ્રમાનો દિવસ પણ છે તેથી ચંદ્રમાની પૂજા પણ કરવી જરૂરી છે. ચંદ્રમાની કૃપા પ્રાપ્ત કરવા માટે સોમવારના દિવસે ભોજનમાં માત્ર અને માત્ર સફેદ પદાર્થો જ ગ્રહણ કરો. દાખલા તરીકે દૂધ, ભાત, સફેદ તલ, અખરોટ જેવી ચીજાે કે તેની બનાવટની વાનગીઓ જ ખાવ. યાદ રહે કે જે વાનગીઓ બનાવો તે પણ સફેદ જ હોવી જાેઈએ. તેમાં કોઈ મરી, મસાલા, તેલ નાંખીને તેને બદલો નહીં. આમ આખો દિવસ સફેદ વસ્તુઓનું સેવન કરવાથી ચંદ્રમા ખૂબ જ પ્રસન્ન થાય છે.</p>
<h2>દાન અને ભોજન</h2>
<p>જે રીતે સોમવારના દિવસે સફેદ વસ્તુઓનું ભોજન કરવાનો મહિમા છે એ જ રીતે સોમવારના દિવસે ખીરનો પ્રસાદ ચડાવીને પછી તેનું દાન કરવાનો પણ મહિમા છે. બને તો દર સોમવારે ખીર બનાવીને પાંચ કે વધારે સાધુ, સંતો, કુંવારીકાઓ અથવા અન્ય બાળકો કે ગરીબ અને ભુખ્યાને જમાડો. શિવજી અને ચંદ્રમાં બંને તમારા પર પ્રસન્ન થશે.</p>
<h2>ગાય માતાની પૂજા</h2>
<p>હિન્દુ સંસ્કૃતિ અનુસાર ગાય માતામાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે. ગાય માતા જ્યાં હોય ત્યાં સદા સર્વદા સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. સોમવારના દિવસે સફેદ ગાયને રોટલી અને ગોળ ખવરાવવો. ગાય માતાના માથે ચાંદલો કરો અને તેના મસ્તકને હાથ લગાડીને તેને પંપાળો. તેની પૂજા કરો. આવું કરવાથી તમને શુભ ફળ પ્રાપ્ત થશે.</p>
<h2>માછલીઓને લોટ ખવરવો</h2>
<p>જે વ્યક્તિઓને ધનની અતિશય કમી રહેતી હોય. ખૂબ મહેનત છતાં પણ પૈસા બચતા ના હોય અથવા તો ઘર ચાલી શકે તેટલું કમાઈ જ ના શકાતું હોય તેમના માટે સોમવારે એક અફર કાર્ય કરવા જેવું છે. સોમવારના દિવસે સવારે કે સાંજે જળશયમાં માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવરાવો. બસ આટલું જ કરવાથી તમારા ઘરમાં રહેલી ધનની કમી દૂર થઈ જશે.</p>
<h2>સંતાન પ્રાપ્તી અચૂક થશે</h2>
<p>જે લોકોને સંતાન નથી થતા તેમના માટે તો શિવજીની પૂજા અક્સિર ઈલાજ છે. શિવજીની પૂજા કરવાથી અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે. જો તમે સંતાન સુખથી વંચિત હો તો દર સોમવારે શિવજીના મંદીરે જઈને શિવલીંગ પર દૂધ અને ખાંડના મિશ્રણનો અભિષેક કરો. આપની સંતાન પ્રાપ્તિની ઈચ્છા જલ્દી પૂર્ણ થશે.</p>
<h2>બાળકો ભણતા નથી એનો ઉપાય</h2>
<p>જો તમારા બાળકોનું મન અભ્યાસમાં ના લાગતું હોય, તે ભણવામાં ધ્યાન ના આપતા હોય તો સોમવારના દિવસે દર સોમવારે શિવજીના મંદીરે જઈને જવ ચડાવો. આ રીતે નિયમિત કરવાથી થોડા જ સમયમાં તમારા બાળકની બુદ્ધિશક્તિમાં વધારો થશે. તેની સ્મરણશક્તિ ખીલશે. તે આપો આપ ભણવા માંડશે અને સારા ગુણો પ્રાપ્ત કરશે.</p>
<p>મિત્રો, આ કાર્યો કરવાથી તમારા પર ચંદ્ર દેવ અને શિવ બંનેની અપાર કૃપા વરસે છે. અને તમને ધન, વૈભવ, યશ અને કીર્તિ મળે છે.</p>
<p style="text-align: center;">***</p>
<p><strong>ગુજ્જુલોજી Gujjulogy તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.</strong></p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://gujjulogy.com/astrology-tips-for-shiv-puja-on-monday-prayer/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>રવિવારના Sunday દિવસે આ કામ અચૂક કરો.. મળશે શોહરત અને ઈજ્જત</title>
		<link>https://gujjulogy.com/indian-astrology-tips-to-make-your-sunday-lucky/</link>
					<comments>https://gujjulogy.com/indian-astrology-tips-to-make-your-sunday-lucky/?noamp=mobile#respond</comments>
		
		<dc:creator><![CDATA[Admin]]></dc:creator>
		<pubDate>Sat, 31 Oct 2020 17:27:42 +0000</pubDate>
				<category><![CDATA[Religious]]></category>
		<category><![CDATA[astrology]]></category>
		<category><![CDATA[Sunday]]></category>
		<guid isPermaLink="false">https://gujjulogy.com/?p=631</guid>

					<description><![CDATA[બીમારીથી પીડાવ છો? ધનનો વ્યય થાય છે?  દેવું થઈ ગયું છે? તો રવિવાર Sunday ના દિવસે આ ઉપાયો જરૂર કરો. &#160; સૂર્યને બ્રહ્માંડની આત્મા કહેવામાં આવે છે. સૂર્યદેવ જીવનદાતા છે.&#8230; ]]></description>
										<content:encoded><![CDATA[<h2>બીમારીથી પીડાવ છો? ધનનો વ્યય થાય છે?  દેવું થઈ ગયું છે? તો રવિવાર Sunday ના દિવસે આ ઉપાયો જરૂર કરો.</h2>
<p><img decoding="async" class="alignnone  wp-image-632" src="https://gujjulogy.com/wp-content/uploads/2020/10/racvicjedr-300x156.jpg" alt="" width="825" height="429" srcset="https://gujjulogy.com/wp-content/uploads/2020/10/racvicjedr-300x156.jpg 300w, https://gujjulogy.com/wp-content/uploads/2020/10/racvicjedr-1024x533.jpg 1024w, https://gujjulogy.com/wp-content/uploads/2020/10/racvicjedr-768x400.jpg 768w, https://gujjulogy.com/wp-content/uploads/2020/10/racvicjedr-1536x799.jpg 1536w, https://gujjulogy.com/wp-content/uploads/2020/10/racvicjedr.jpg 1703w" sizes="(max-width: 825px) 100vw, 825px" /></p>
<p>&nbsp;</p>
<p>સૂર્યને બ્રહ્માંડની આત્મા કહેવામાં આવે છે. સૂર્યદેવ જીવનદાતા છે. એમનો પ્રકાશ માત્ર ધરતીને અજવાળતો જ નથી પણ માનવીને જીવાડે પણ છે. આપણા શાસ્ત્રોમાં સૂર્યદેવની પૂજા વિશે ખૂબ જ ઉંડાણ પૂર્વક વાતો લખવામાં આવી છે. એમાંની કેટલીક વાતો અહીં પ્રસ્તુત કરીએ છીએ. રવિવારના સ્વામી સૂર્યદેવ છે. અર્થાત રવિવાર સ્વયં સૂર્યદેવનો જ વાર છે. રવિવારના દિવસે સૂર્યદેવની ઉપાસના કરવાથી સૂર્યદેવ અત્યંત પ્રસન્ન થાય છે અને અન્ય દિવસો કરતાં વ્યક્તિને તેનો દસ ગણો વધારે લાભ પ્રાપ્ત થાય છે.</p>
<blockquote><p><strong>શાસ્ત્રો કહે છે કે સૂર્યદેવ તો તમામ પ્રકારના કાર્યોને સિદ્ધ કરનારા દેવ છે. સૂર્ય, રવિ, ભાસ્કર જેવા અનેક નામે જેમનું સ્મરણ કરવામાં આવે છે તેવા સૂર્ય દેવના કિરણો પાસે તમે જે પણ શુભ ફળ માંગો તે તમને મળી જાય છે. </strong></p></blockquote>
<p>રવિવારના દિવસે પૂર્વ દિશામાં તમે યાત્રા કરો તો તેનું અત્યંત શુભ ફળ તમને મળે છે અને એ યાત્રા શુભ પરિણામકારક તથા મંગલમયી બની રહે છે. એમાંય જે લોકો નિયમિત રીતે દર રવિવારે સૂર્યદેવની નિશ્ચિત પૂજા &#8211; અર્ચના અને તેમના મંત્રોના જાપ કરે છે તે લોકો અપાર શહોરત અને ઈજ્જત પ્રાપ્ત કરે છે. આવો જાણીએ રવિવારે સૂર્યદેવની કઈ રીતે પૂજા અને મંત્રજાપ કરવાથી શોહરત &#8211; ઈજ્જત મળે છે.</p>
<h2>લાલ વસ્ત્રોમાં સૂર્યદેવને અર્ધ્ય</h2>
<p>દર રવિવારે સવારે વહેલાં ઉઠીને સ્નાન કર્યા બાદ લાલ વસ્ત્રો ધારણ કરો અને મસ્તક પર લાલ ચંદનનું તિલક કરો. ત્યારબાદ એક સ્વચ્છ અને ધોયેલા તાંબાના કળશમાં સ્વચ્છ જળ ભરીને તેમાં કંકુ, ચોખા અને લાલ ફૂલ નાંખીને અત્યંત શ્રદ્ધા પૂર્વક સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અર્પણ કરો. સૂર્યં દેવને જળ પ્રદાન કરતી વખતે, ‘ઓમ હ્રાં હ્રીં હ્રૌં સઃ સૂર્યાય નમઃ’ આ બીજમંત્રનો જાપ કરો.</p>
<h2>તુલસીમાતાની પૂજા</h2>
<p>સૂર્યદેવને જળ ચડાવ્યા બાદ તુલસીમાતાને પણ સ્વચ્છ તાંબાના કળશ વડે જળ ચડાવો અને તેમની પરિક્રમા કરો. તુલસીમાતાની સમક્ષ એક ચોખ્ખા ઘીનો દીવો પણ કરો અને એ દિવસે તુલસીને તોડો નહીં. ઉપરાંત યથાશક્તિ ‘ઓમ ભગવતે વાસુદેવાય નમઃ’ ના જાપ કરો.</p>
<h2>વડના પાંદડા પર મનોકામનાનું આલેખન</h2>
<p>રવિવારે વહેલી સવારે પૂજા અર્ચના બાદ વડના ઝાડનું એક મોટુ પાંદડું લઈ આવો અને એના પર તમારી જે કોઈ પણ ઈચ્છા, આકાંક્ષા કે મનોકામના હોય એ પાંદડા પર લખી દો. ત્યારબાદ એને કોઈ સ્વચ્છ લાલ રૂમાલ કે કાપડામાં લપેટીને કોઈ વહેતી નદીમાં પધરાવી આવો. પાંદડું પધરાવતી વખતે સૂર્યદેવને વિનંતી કરો કે, હે સૂર્યદેવ મારી મનોકામના અવશ્ય પૂર્ણ કરજાે. આમ સૂર્યદેવના સ્મરણ અને મનન સાથે એ પાંદડું વહેતી નદી કે અન્ય કોઈ વહેતા સ્વચ્છ જળમાં વહાવી દો. યાદ રહે લાલ વસ્ત્ર કે રૂમાલ પાંદડા સાથે વહાવવાનો નથી. માત્ર પાંદડું જ વહાવવાનું છે.</p>
<h2>તાંબા અને ગોળનું દાન</h2>
<p>જાે તમે કોઈ બીમારીથી પીડાતા હોય, ધનહાની થતી હોય, દેવું થઈ ગયું હોય તો રવિવારના દિવસે તાંબાના કોઈ પણ વાસણો અને સાથે સાથે ગોળનું દાન કરો. તમે બીમારી અને દેવામાંથી મુક્ત થઈ જશો અને તમારી શોહરત ચારે તરફ ફેલાશે.</p>
<h2>ત્રણ જાડુઓનું રહસ્ય</h2>
<p>રવિવારના દિવસે બજારમાંથી ત્રણ જાડુઓ ખરીદી લાવો અને બીજા દિવસે સવારે બ્રાહ્મ મૂહુર્તમાં ઉઠીને આ ત્રણેય જાડુઓને ઘરની નજીક આવેલા કોઈ પણ મંદિરે મુકી આવો. પરંતું એક ખાસ વાતનું ધ્યાન રાખો કે આ કાર્ય કરતી વખતે આપને કોઈ જાેઈ ના જાય. અથવા તો આપ જ્યારે જાડુ લઈને મંદીરે જતાં હોય ત્યારે આપને કોઈ રોકે કે ટોકે નહીં. આ ક્રિયા એકલાં અને કંઈ પણ બોલ્યા વિના કરવાની છે. આનો પ્રભાવ શું પડે છે એ તમને આ ક્રિયા કર્યા પછી જ ખબર પડશે.</p>
<h2>ચાર દીવાઓ પ્રગટાવો</h2>
<p>રવિવારે સાંજના સમયે પીપળાના ઝાડ નીચે માટીના કોડીયામાં ચાર દિવેટો મુકીને ચોખ્ખા ઘીનો દીવો પ્રગટાવો. અને યથા શક્તિ ‘ઓમ સૂર્યાય નમઃ’ ના જાપ કરો.</p>
<h2>ઉપવાસ કરો</h2>
<p>રવિવારના દિવસે બની શકે તો ઉપવાસ કરો અને સૂર્યદેવને કહો કે આ ઉપવાસ તેમને અર્પણ છે. સાંજે સૂર્ય અસ્ત થાય એ પહેલાં સૂર્યદેવના દર્શન કરો અને ફરીવાર સવારે જે બીજ મંત્રના જાપ કર્યા હતા એ જાપ કરો.</p>
<h2>માત્ર ઘઉંની વાનગીનો જ પ્રસાદ</h2>
<p>રવિવારના દિવસે ઉપવાસ કર્યો હોય તો ખાસ કરીને ભોજનમાં ઘઉંની રોટલી અથવા ઘઉંની ફાડા લાપસી બનાવો. ભોજન કર્યા પહેલાં તેનો પ્રસાદ સૂર્યનારાયણના મંદિરે અથવા તો આપની નજીકના કોઈ પણ અન્ય દેવી દેવતાના મંદીરે ચડાવો. ઉપરાંત નાના બાળકને પણ એ પ્રસાદનો ભોજન કરાવો.</p>
<h2>ભુલથી પણ પકવાન ન આરોગો</h2>
<p>રવિવારનો ઉપવાસ સૂર્યાસ્ત પહેલાં છોડી નાંખો. એટલે કે સૂર્યાસ્ત થયા પહેલાં ભોજન કરી લો. અને એક ખાસ વાતનું ધ્યાન રાખો કે એ દિવસે ઘઉંના ફાડાની લાપસી સિવાય બીજાે કોઈ જ મીઠો પ્રસાદ, બીજા કોઈ જ પ્રકારના મિષ્ઠાન કે પકવાન ના આરોગો. એ લાપસી સિવાય બીજુ તમામ ભોજન સાત્વિક અને સાદુ જ જમો.</p>
<h2>દૂધ ભરેલો ગ્લાસ અને બાવળનું ઝાડ</h2>
<p>રવિવારના આપ ઉંઘો એ પહેલાં એક ગ્લાસ દૂધને નવસેકુ ગરમ કરીને ઢાંકીને મુકી દો. બીજા દિવસે સવારે વહેલાં ઉઠીને આસપાસમાં કોઈ પણ બાવળનું ઝાડ હોય ત્યાં એ દૂધ ચડાવી દો. એક ખાસ વાત ધ્યાન રાખો કે રવિવારના દિવસે મોડે સુધી જાગો નહીં. બને એટલાં વહેલા જ ઉંઘી જાવ.</p>
<p>મિત્રો, જાે તમે રવિવારના દિવસે આ ઉપાયો કરશો તો સૂર્યદેવ તમારા પર અત્યંત પ્રસન્ન થશે અને આપના પર આશિર્વાદોનો વરસાદ કરશે. તમારા જીવનના બધા જ દુઃખો દૂર કરશે. આ ઉપાયોથી સૂર્યદેવ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે.</p>
<blockquote><p>***<br />
<strong>ગુજ્જુલોજી તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જાેડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.</strong></p></blockquote>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://gujjulogy.com/indian-astrology-tips-to-make-your-sunday-lucky/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>અમાસના દિવસે ભુલથી પણ ના કરશો આ ૧૦ કામ, નહીંતર થઈ જશો બરબાદ….</title>
		<link>https://gujjulogy.com/amas-shu-dhyan-rakhavu-joie/</link>
		
		<dc:creator><![CDATA[Admin]]></dc:creator>
		<pubDate>Thu, 22 Oct 2020 10:47:24 +0000</pubDate>
				<category><![CDATA[Religious]]></category>
		<category><![CDATA[amas]]></category>
		<category><![CDATA[astrology]]></category>
		<category><![CDATA[indian religion]]></category>
		<guid isPermaLink="false">https://gujjulogy.com/?p=329</guid>

					<description><![CDATA[અમાસ અંધારાનું પ્રતિક છે. આપણા ધર્મ શાસ્ત્રોમાં દરેક દિવસ, દરેક તિથીનું એક અનોખું મહત્વ હોય છે. જે તે દિવસે સારી અને ખરાબ બંને પ્રકારની ઉર્જાઓ ઉત્પન્ન થતી હોય છે અને&#8230; ]]></description>
										<content:encoded><![CDATA[
<p><br>અમાસ અંધારાનું પ્રતિક છે. આપણા ધર્મ શાસ્ત્રોમાં દરેક દિવસ, દરેક તિથીનું એક અનોખું મહત્વ હોય છે. જે તે દિવસે સારી અને ખરાબ બંને પ્રકારની ઉર્જાઓ ઉત્પન્ન થતી હોય છે અને માનવીના જીવન પર તેની સૌથી વધારે ગાઢ અસર થતી હોય છે. એટલે જ સારા કામો આપણે મૂહુર્ત જોઈને કરતાં હોઈએ છીએ.</p>



<figure class="wp-block-image size-large"><img decoding="async" width="1024" height="533" src="https://gujjulogy.com/wp-content/uploads/2020/10/amas-1024x533.jpg" alt="" class="wp-image-330" srcset="https://gujjulogy.com/wp-content/uploads/2020/10/amas-1024x533.jpg 1024w, https://gujjulogy.com/wp-content/uploads/2020/10/amas-300x156.jpg 300w, https://gujjulogy.com/wp-content/uploads/2020/10/amas-768x400.jpg 768w, https://gujjulogy.com/wp-content/uploads/2020/10/amas-1536x799.jpg 1536w, https://gujjulogy.com/wp-content/uploads/2020/10/amas.jpg 1703w" sizes="(max-width: 1024px) 100vw, 1024px" /><figcaption>પ્રતિકાત્મક તસવીર</figcaption></figure>



<ul class="wp-block-list"><li>અમાસ અંધારાનું પ્રતિક છે. દિવસ હોય કે રાત મુળ તો એ અંધારુ જ કહેવાય.</li><li>અમાસના દિવસે નેગેટીવ એનર્જી સૌથી વધારે પાવરફુલ હોય છે.</li><li>અમાસના દિવસે નકારાત્મક આચાર- વિચારથી દૂર રહેવું જોઈએ.</li></ul>



<p></p>



<p>જે રીતે શુભ, લાભ, અમૃત, રોગ, ઉદ્વેગ જેવા ચોઘડિયા હોય છે તે જ રીતે અમુક સંપૂર્ણ દિવસો જ શુભ કે અશુભ હોય છે. જેમકે વિજ્યા દશમી, વસંત પંચમી, લાભ પાંચમ આ બધા વગર જોયા શુભ મહૂર્તો છે તે જ રીતે અમાસ અને ચૌદસ અશુભ હોય છે. આજે આપણે એમાંથી અમાસની વાત કરીશું. અમાસના દિવસે અમુક પ્રકારના કાર્યો કરવાથી માનવીનું જીવન ધનોત-પનોત થઈ થતું હોય છે, માનવી બરબાદ થઈ શકે છે. કારણ કે અમાસના દિવસે જે બુરી આત્માઓ હોય છે એ ખૂબ જ સક્રિય હોય છે. એમાંય અંધાકાર તો બુરાનો પોષક છે. અમાસ અંધારાનું પ્રતિક છે. દિવસ હોય કે રાત મુળ તો એ અંધારુ જ કહેવાય. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે પ્રેતાત્માઓ વાતાવરણમાં ઘુમતી હોય છે અને તે અમુક પ્રકારના કામ કરનારા માનવીઓને શોધીને તેના પર હાવી થઈ જતી હોય છે. અમાસના દિવસે નેગેટીવ એનર્જી સૌથી વધારે પાવરફુલ હોય છે. આપણે જાણીએ જ છીએ કે બુરી વસ્તુ, બુરી વસ્તુ કે કાર્ય પર જલ્દી હાવી થતી હોય છે. માટે અમાસના દિવસે નકારાત્મક આચાર- વિચારથી દૂર રહેવું જોઈએ. અહીં એવી કેટલીક બાબતો રજુ કરીએ છીએ જેનાથી અમાસના દિવસે દૂર રહેવું જોઈએ. તો આવો જોઈએ કે એવા કયા કામો છે જે ભુલથી પણ અમાસના દિવસે માનવીએ ન કરવા જોઈએ.</p>



<p><br>(૧) સૌથી પ્રથમ સામાન્ય વાત એ યાદ રાખવી કે અમાસના દિવસે કોઈ પણ પ્રકારનો તામસિક ખોરાક ના ખાવો જોઈએ. માસ, મચ્છી, લસણ, ડુંગળી ઉપરાંત તમામ પ્રકારની તીખી, મસાલેદાર અને તળેલી કોઈ પણ વસ્તુના ખાવી જોઈએ. એવી વસ્તુઓ ખાવાથી માનવીના શરીરમાં ગરમ ઉર્જા ઉત્પન્ન થાય છે અને મગજમાં બુરા વિચારો આવે છે. આ બુરા વિચારો નકારાત્મક વસ્તુઓને આકર્ષતા હોય છે અને આ દિવસે વાતાવરણમાં નેગેટીવ ઉર્જા પાવરફુલ હોવાથી તે આપણા પર હાવી થઈને બરબાદ કરી શકે છે. આપણી પાસે ખોટુ કાર્ય કરાવી શકે છે.</p>



<p><br>(૨) આ દિવસે નશીલા પદાર્થોનું સેવન ના કરવું જોઈએ. આના કારણે માનવીના શરીર અને મન બંને પર તેની બુરી અસર થયા છે અને બુરી આત્માઓનો વાસ થાય છે. આપણે નશો કરેલો હોવાથી આપણને બુરી આત્માઓ પકડી લે છે આપણને સારા &#8211; નરસાનું ભાન નથી રહેતું અને આપણે ન કરવાના કાર્યો કરી બેસીએ છીએ.</p>



<p><br>(૩) અમાસના દિવસે ભુલીને પણ કોઈનું અપમાન ના કરો. કારણ કે અપમાન કરવાથી સામેવાળાનું દિલ દુભાય છે. આ દિવસ નેગેટિવ એનર્જીને જલ્દીથી ગ્રહણ કરતો હોવાથી તમારા શરીર પર સામેવાળાના દુઃખની આડ અસર થાય છે. જેથી તમે શારીરીક અને માનસિક વ્યાધિનો ભોગ બની શકો છો.<br></p>



<p>(૪) આ દિવસે કોઈ ગરીબ, લાચાર કે અન્ય કોઈને ભુલથી પણ અન્યાય ના કરો. કારણ કે અમાસના દિવસે કોઈને અન્યાય કરવાથી ન્યાયના દેવતા શનીદેવ તમારા પર કોપાયમાન થાય છે અને તેમનો કોપ તેમારા પર ઉતરતા તમારી બધી જ પોઝિટીવ એનર્જી ખતમ થઈ જાય છે.</p>



<p><br>(પ) અમાસના દિવસે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ દિવસે પીપળા, આંબલી, વડ કે મહેંદીના ઝાડ નીચે ભુલથી પણ ના બેસશો. કારણ કે આ બધા વૃક્ષોમાં ભૂતો અને પ્રતાત્માઓનો વસતા હોય છે. અમાસના દિવસે આ બધી બુરી આત્માઓ વધારે સક્રિય હોય છે અને જલ્દીથી તમારા શરીરમાં વાસ કરીને તમને વશ કરી લે છે. આવી આત્માઓ અમાસના દિવસે તમારા શરીરમાં પ્રવેશીને તમારી પાસે ખરાબ કામો કરાવે છે. તમારા જીવનને ધનોત-પનોત કરી નાંખે છે.</p>



<p><br>(૬) અમાસના દિવસે ભુલીને પણ સ્મશાનમાં ના જાઓ. જો જવું જ પડે તો લાશની સામે ના જુઓ. અને અગ્નિસંસ્કાર બાદ પાછળ ફરીને જોયા વિના બહાર નીકળી જાઓ. જાે તમે આ દિવસે લાશને જાેશો કે વધારે વખત સ્મશાનમાં રહેશો તો અમાસને કારણે સક્રિય થયેલી આત્મામાંથી કોઈ આત્મા તમારા પર હાવી થઈને તમને બરબાદ કરી શકે છે.</p>



<p><br>(૭) અમાસના દિવસે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ના કરો. પૈસાની લેતી &#8211; દેતી ના કરો. કોઈ નવો ધંધો શરૂ ના કરો. કોઈ નવો ધંધો શરૂ કરશો તો નુકસાન જશે. આ બધાનું કારણ એ જ કે આ દિવસે નેગેટીવ એનર્જી ખૂબ જ પાવરફુલ હોય છે અને એ બધી જ બાબતો ને કેચઅપ કરીને તેમને બરબાદ કરી શકે છે.</p>



<p><br>(૮) આ દિવસે કોઈ સગાઈ કે લગ્ન કદી ના કરવા. જે લોકો આ દિવસે વિવાહ સંબંધથી બંધાય છે તેમને સંતાનો થવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે અને આજીવન તે દંપતિનો મનમેળ થતો નથી. તે બંધે વચ્ચે આજીવન કંકાસજ ચાલ્યા કરે છે. કારણ કે નેગેટીવ એનર્જીવાળા દિવસે આ સંબંધ થયો હોવાથી તે એ એનર્જીઓ જીવનમાં શાંતિ સ્થાપિત થવા દેતી નથી.</p>



<p><br>(૯) અમાસના દિવસે અન્ય કોઈના ઘરનું ભોજન ના કરશો. કે હોટેલમાં પણ ના ખાશો. પોતાના ઘરમાં બનાવેલું તાજુ અને ગરમ ભોજન જ જમવું. ઠંડુ ભોજન પણ ના જમશો. કારણે અન્યના ઘરે કે હોટેલમાં ખાવાથી જેણે ભોજન બનાવ્યુ છે તેની અથવા જેનું ભોજન છે તેની નકારાત્મ ઉર્જા તેમા સામેલ હોય છે અને એ ભોજન તમારા પેટમાં પડવાથી તમારામાં પણ નકારાત્મકતા આવી જાય છે. ઠંડુ ભોજન જમવા થી પણ પડ્યા રહેલાં ભોજનમાં બેક્ટેરિયા રૂપે જામી ગયેલ નેગેટીવ એનર્જી તમારામાં પ્રવેશીને તમને શારિરીક અને માનસિક રીતે હેરાન કરી શકે છે.</p>



<p></p>



<p><br>(૧૦) છેલ્લી વાત કે આ દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરો. કારણ કે શારિરીક સંબંધ એ ઉન્માદી હોય છે. ભૂત-પ્રેત વગેરે આવી ઉન્માદી બાબતોની તરફ વધારે આકર્ષાય છે. તેઓ શારિરીક સંબંધ બાંધનારના શરીરમાં ખૂબ જ ઝડપથી પ્રવેશી શકે છે. એમાં પણ શારિરીક સુખ માણ્યા વિના અકાળે અવસાન પામ્યા હોય, એવા અનેક સ્ત્રી કે પુરુષોનો આત્મા સંભોગ માટે તડપતો હોય છે અને અમાસના દિવસે શારિરીક સંબંધો બાંધનારાઓને શોધતો જ હોય છે. જો તમે આ દિવસે શારીરિક સંબંધ બાંધશો તો એ તમારામાં પ્રવેશી શકે છે. માટે અમાસના દિવસે સંભોગથી દૂર રહો.</p>



<p><br>બસ…. અમાસના દિવસે આવી બાબતોનું ધ્યાન રાખશો તો ઈશ્વર તમારી સદાય સહાય કરશે. આપણા શાસ્ત્રોમાં લખેલી આ સાવચેતીઓનું પાલન કરો અને સુખી જીવન જીવો.</p>



<p>ગુજ્જુલોજી તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.</p>



<p></p>



<hr class="wp-block-separator"/>
]]></content:encoded>
					
		
		
			</item>
	</channel>
</rss>

<!--
Performance optimized by W3 Total Cache. Learn more: https://www.boldgrid.com/w3-total-cache/?utm_source=w3tc&utm_medium=footer_comment&utm_campaign=free_plugin

Page Caching using Disk: Enhanced 
Minified using Disk

Served from: gujjulogy.com @ 2026-07-02 13:20:42 by W3 Total Cache
-->