shivpooja – Gujjulogy.com https://gujjulogy.com Wed, 10 Mar 2021 12:53:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png shivpooja – Gujjulogy.com https://gujjulogy.com 32 32 મહાશિવ રાત્રી Maha Shivaratri એ કરો આ ઉપાયો, દૂર થશે જીવનની ૭ મોટી સમસ્યાઓ https://gujjulogy.com/maha-shivaratri-puja-vidhi-in-gujarati/ https://gujjulogy.com/maha-shivaratri-puja-vidhi-in-gujarati/#respond Wed, 10 Mar 2021 12:53:54 +0000 https://gujjulogy.com/?p=897  

 

Maha Shivaratri | એકાગ્રતા, બીમારી, બેરોજગારી, ધન, સંતાન, લગ્ન, દામ્પત્યની તમામ સમસ્યાનો ઉપાય મહાશિવરાત્રી ( Maha Shivaratri ) ની આ પૂજામાં છે.

 

ભણવામાં કે અન્ય કામમાં એકાગ્ર નહીં થઈ શકવાની સમસ્યાનો ઉપાય…

જીવનમાં શિક્ષણ અને અન્ય બાબતોમાં એકાગ્રતા ( Concentration ) નું મહત્વ ખૂબ જ ઘણું છે. ઘણીવાર એવી સમસ્યા આવી જતી હોય છે કે અત્યંત ઈચ્છા હોવા છતાં ભણવામાં કે કામમાં કોન્સન્ટ્રેશન થતું નથી. આ માટે વિદ્યાર્થીઓ સહિત સૌએ મહાશિવરાત્રી ( Maha Shivaratri ) ના દિવસે આ વિશેષ પ્રયોગો કરવા જેવા છે. મહાશિવરાત્રી ( Maha Shivaratri ) ના દિવસે પ્રાતઃ કાળે ઘરે અથવા મંદીરે કોઈ પણ શિવલીંગ પર દૂધ, સાકર અને જળ સાથે મિલાવીને એનો અભિષેક કરો. અભિષેક કરતી વખતે ‘શિવ… શિવ…’ ના જાપ કરો. એ પછી એક પંચમુખી રૂદ્રાક્ષને શિવલિંગ પર મુકો. એના પર પુષ્પો ચડાવી ‘ઓમ નમઃ શિવાય’ની એક માળા કરો. એ પછી એ રૂદ્રાક્ષને લાલ દોરામાં પરોવીને ગળામાં ધારણ કરી રાખો. બસ આટલો પ્રયોગ તમને ભણવામાં અને અન્ય કામમાં એટલાં એકાગ્ર કરશે કે તમે સફળતાના શિખરો સર કરી શકશો.

 

અસાધ્યના બિમારી અને બગડેલા આરોગ્યની સમસ્યાનો ઉપાય….

જો તમે અતિશય બિમાર રહેતા હો, કોઈ દવા અસર ના કરતી હો. અસાધ્ય બિમારીનો ભોગ બન્યા હો તો એ સમસ્યામાંથી મહાદેવ ઉગારશે. એ માટે મહાશિવરાત્રી ( Maha Shivaratri ) ના દિવસે ભગવા શિવ ( Shiva ) સક્ષમ માટીના કોડીયામાં ગાયનું ઘી અને કપૂર મુકીને એક દીપ પ્રગટાવો અને ઓમ નમઃ શિવાયની અગિયાર માળાઓ કરો.(ઓછામાં ઓછી અગિયાર- વધારે કરો તો સારુ). એ માળાઓ કરી લીધા પછી શિવલિંગ ( Shivlinga ) પર ખીરનો અભિષેક કરો. આ પૂજાથી આરોગ્યને લગતી તમામ સમસ્યાઓનો નિકાલ આવી જશે.

 

નોકરી – ધંધા અને બેરોજગારીની સમસ્યાનો ઉપાય…..

તમને નોકરી ના મળતી હોય, ધંધો ચાલતો ના હોય, તમે બેકાર હો તો તમારે મહાશિવરાત્રી ( Maha Shivaratri ) ના દિવસે એક ચાંદીનો લોટો લઈને એમા સ્વચ્છ જળ ભરીને અગિયાર વખત શિવલીંગ પર એનો અભિષેક કરવાનો છે. એ દરમિયાન ‘ઓમ નમઃ શિવાય’ ( Om Namah Shivaya ) ના જાપ ચાલું રાખો. અભિષેક બાદ અગિયાર સફેદ ફુલો બંને હાથે ભગવાનના ચરણોમાં અર્પિત કરો. યાદ રહે કે એક પણ ફુલ તૂટેલું ના હોવું જોઈએ અને બંને હાથે જ અર્પણ કરવાનું છે. ભુલથી પણ એક હાથે અર્પણ કરશો તો ફળ નહીં મળે. આ વિધિ શ્રદ્ધા પૂર્વક કરવાથી રોજગારી સંબંધિત સમસ્યા ઉકેલાઈ જશે.

 

ધન પ્રાપ્તી અને પૈસા અટવાઈ પડ્યા હોય તો એ સમસ્યાનો ઉપાય.

ધન પ્રાપ્તિ માટે શિવજી ( Shiv ) ને રિઝવવા માટે સવારે સુર્યોદય થયાના એક કલાક પહેલાં પંચામૃત વડે શિવલિંગ (Shivlinga) પર અભિષેક કરો.( પંચામૃત એટલે દૂધ, દહી, મધ, સાકર અને ઘીનું મિશ્રણ). એ પછી ‘ઓમ પાર્વતીપતયે નમઃ’ ( Om Parvati pataye Namah )ના એકસોને આઠ જાપ કરો અને માળા કરી લીધા પછી ધન પ્રાપ્તી અને અટવાયેલા નાણા પાછા મેળવવા માટે શિવજીને પ્રાર્થના કરો. આ વિધીથી તમારી સમસ્યા દૂર થશે.

 

સંતાન ન થવાની સમસ્યાનો ઉપાય…

જીવનમાં સંતાન સુખ પ્રાપ્ત ના થયું હોય તો પતિ – પત્નીએ મળીને શિવરાત્રી ( Shivaratri ) ના દિવસે ગાયના શુદ્ધ ઘીનો શિવલીંગ પર અભિષેક કરવો. ઘીના અભિષેક પછી શુદ્ધ જળથી શિવલિંગને પતિ-પત્નીએ બંને હાથ વડે સ્નાન કરાવવુ. ત્યારબાદ અગિયાર આખા બિલિપત્ર લઈને તેના પર સફેદ ચંદન વડે ‘શ્રી રામ…’ લખીને એ શિવજીને અર્પણ કરવા. આ વિધી શ્રદ્ધાપૂર્વક કરવી અને વિધિ વખતે ભગવાનને સંતાન આપવા માટે પ્રાર્થના કરવી. ખાસ યાદ રહે આ પ્રયોગ પતિ-પત્નીએ સાથે જ કરવાનો છે, અલગ-અલગ કરવાથી ફળ મળતું નથી.

 

લગ્નમાં રુકાવટની સમસ્યાનો ઉપાય…

જો તમારા લગ્ન ન થતાં હોય તો શિવજીની કૃપા મેળવવા માટે તમારે શિવરાત્રીએ આ પ્રયોગ કરવો જ રહ્યો. યુવક- યુવતી બંને આ પ્રયોગ કરી શકે છે. શિવરાત્રી ( Shivaratri ) ના દિવસે સાંજે પાંચ વાગ્યાથી છ વાગ્યાની વચ્ચે પીળા વસ્ત્રો ધારણ કરીને શિવમંદીરે જાવ. તમારી ઉંમરના જેટલાં વર્ષ પૂર્ણ થઈ ગયા હોય એટલાં બિલિપત્રો લો, એના પર ચંદન વડે તિલક કરો અને પછી ભગવાન શિવને અર્પણ કરો. બિલિપત્ર એક એક કરીને જ શિવલીંગ પર મુકવું અને ઉંધુ કરીને મુકવું તથા ઓમ નમઃ શિવાયનો જાપ પણ કરવો. આ વિધી પૂર્ણ થયા પછી ગુગળનો ધૂપ કરીને શિવલિંગને અર્પણ કરો.

 

દામ્પત્ય જીવનમાં અણબનાવ, ખટરાગની સમસ્યાનો ઉપાય…

જો તમારા દામ્પત્ય જીવનમાં ખટરાગ રહેતો હોય. વાતે વાતે ઝઘડા અને અણબનાવ થતો હોય તો ભગવાન શિવ આપના દામ્પત્ય જીવનને મુધુર બનાવશે. એ માટે શિવરાત્રીના દિવસે બ્રાહ્મ મૂહુર્તમાં પતિ-પત્નીએ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને શિવ મંદિરે ( Shiv Mandir ) જવું. ચાંદી અથવા તો તાંબાના લોટામાં કાચુ દૂધ લઈને શિવલીંગ પર અભિષેક કરો. એ પછી લોટામાં ગંગાજળ લઈને અભિષેક કરો. આ અભિષેક દંપતિએ સાથે જ કરવો અને ‘ઓમ નમઃ શિવાય’ (Om Namah Shivaya ) ના યશાશક્તિ જાપ કરવા. એ પછી શિવજી સમક્ષ ગાયના ઘીનો દીપ પ્રગટાવવો અને સુખ દામ્પત્ય જીવન માટે પ્રાર્થના કરવી. શિવરાત્રીના દિવસે નકોરડો ઉપવાસ કરવો અને સાંજ ઢળે એ પહેલાં સાત્વિક ભોજન કરી લેવું. મંદીરેથી પરત આવતી વખતે ગરીબોને ફળનું દાન પણ કરવું. આ પ્રયોગ કરવાથી તમારું દામ્પત્ય જીવન સુખરૂપ બની જશે.

 

મિત્રો, બસ આ મહાશિવરાત્રી ( Maha Shivaratri ) એ આટલા ઉપાયો કરશો તો આ સાત મોટી સમસ્યાઓથી અચૂક છૂટકારો પ્રાપ્ત કરી શકશો.

***
ગુજ્જુલોજી (Gujjulogy) તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

]]>
https://gujjulogy.com/maha-shivaratri-puja-vidhi-in-gujarati/feed/ 0
Monday Prayer સોમવારના દિવસે કરેલા આ કાર્યો તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે… https://gujjulogy.com/astrology-tips-for-shiv-puja-on-monday-prayer/ https://gujjulogy.com/astrology-tips-for-shiv-puja-on-monday-prayer/#respond Mon, 02 Nov 2020 12:33:45 +0000 https://gujjulogy.com/?p=635

Monday Prayer સંતાન નથી થતાં? બાળકો ભણવામાં ધ્યાન નથી આપતા? મહેનતનું યોગ્ય ફળ નથી મળતું? તો આ ઉપાયો જરૂર કરો.

 

Monday Prayer સોમવાર એટલે ભગવાન શંકરનો વાર. શિવજીને અત્યંત પ્રિય આ દિવસ છે એટલે જ આ દિવસે લોકો શિવ આરાધના અને ઉપવાસ કરતાં હોય છે. સાથે સાથે જ્યોતિષ શાસ્ત્રો અનુસાર સોમવાર ચંદ્ર ગ્રહનો પણ દિવસ છે. આ દિવસે શિવજી સાથે સાથે ચંદ્રને પણ પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપવાસ અને પૂજા અર્ચના કરવાનું શાસ્ત્રોમાં દર્શાવામાં આવ્યું છે. અહીં એવા ઉપાયો બતાવવામાં આવ્યા છે જે કરવાથી આપને ભગવાન શિવ અને ચંદ્રમાના આશિર્વાદ પ્રાપ્ત થશે અને આપની બધી જ સમસ્યાઓ દૂર થશે અને મનોકામનાઓ પૂર્ણ થશે.

શિવલીંગ પર દૂધ અને મધનો અભિષેક

સોમવારના દિવસે સવારે વહેલાં ઉઠીને સ્નાન કરીને સફેદ વસ્ત્રો ધારણ કરીને શિવજીની આરાધના કરો. મંદીરે અથવા આપના ઘરમાં હોય તે શિવલિંગ પર પ્રથમ જળનો અભિષેક કરો. ત્યારબાદ તાંબાના એક કળશમાં દૂધ અને મધને મિશ્રિત કરીને તેનો અભિષેક કરો. આ ઉપરાંત ૧૧ બિલિપત્રો શિવલીંગ પર ચડાવો અને શિવજીની મૂર્તિ સામે લવિંગ અને કપૂરની ગોટી મુકી ઘીનો દીવો કરીને શિવલીંગની અને શિવજીની પૂજા કરો.

લવીંગ અને કપૂરની ગોટીનો ઉપાય

શિવલીંગ પર અભિષેક થઈ ગયા બાદ શિવજીની મૂર્તિ સમક્ષ મુકેલા લવીંગ અને કપુરીની ગોટીઓ લઈને તમારી જમણા હાથની હથેળીમાં મુકીને મુઠ્ઠી બંદ કરી દો. મુઠ્ઠી બંદ કર્યા બાદ તમારી આંખો પણ બંદ કરી દો અને ભગવાન શિવ સમક્ષ તમારી બધી જ સમસ્યાઓ મનોમન રજુ કરી દો અને તેમાંથી ઉગારવા માટે તેમને પ્રાર્થના કરો.

સમસ્યાઓ પણ સળગી જશે..

લવીંગ અને કપુરની ગોટીઓ મુઠ્ઠીમાં બંદ રાખીને પ્રાર્થના કરી લીધા બાદ જાે તમે ઘરે જ પૂજા કરતાં હોય તો કોઈ પણ શિવ મંદિરે તમારે જવાનું છે. ત્યાં શિવલીંગ પર જે અભિષેક થતો હોય તેમાં એ લવીંગ અને કપુરની ગોટીને ભીંજવો અને થોડીવાર પછી બંનેને આગ સળગાવીને પ્રગટાવી દો. આમ કરવાથી તમારી બધી જ સમસ્યાઓ સળગીને રાખ થઈ જશે.

માત્ર સફેદ પદાર્થોનું જ સેવન

સોમવારનો દિવસ ચંદ્રમાનો દિવસ પણ છે તેથી ચંદ્રમાની પૂજા પણ કરવી જરૂરી છે. ચંદ્રમાની કૃપા પ્રાપ્ત કરવા માટે સોમવારના દિવસે ભોજનમાં માત્ર અને માત્ર સફેદ પદાર્થો જ ગ્રહણ કરો. દાખલા તરીકે દૂધ, ભાત, સફેદ તલ, અખરોટ જેવી ચીજાે કે તેની બનાવટની વાનગીઓ જ ખાવ. યાદ રહે કે જે વાનગીઓ બનાવો તે પણ સફેદ જ હોવી જાેઈએ. તેમાં કોઈ મરી, મસાલા, તેલ નાંખીને તેને બદલો નહીં. આમ આખો દિવસ સફેદ વસ્તુઓનું સેવન કરવાથી ચંદ્રમા ખૂબ જ પ્રસન્ન થાય છે.

દાન અને ભોજન

જે રીતે સોમવારના દિવસે સફેદ વસ્તુઓનું ભોજન કરવાનો મહિમા છે એ જ રીતે સોમવારના દિવસે ખીરનો પ્રસાદ ચડાવીને પછી તેનું દાન કરવાનો પણ મહિમા છે. બને તો દર સોમવારે ખીર બનાવીને પાંચ કે વધારે સાધુ, સંતો, કુંવારીકાઓ અથવા અન્ય બાળકો કે ગરીબ અને ભુખ્યાને જમાડો. શિવજી અને ચંદ્રમાં બંને તમારા પર પ્રસન્ન થશે.

ગાય માતાની પૂજા

હિન્દુ સંસ્કૃતિ અનુસાર ગાય માતામાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે. ગાય માતા જ્યાં હોય ત્યાં સદા સર્વદા સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. સોમવારના દિવસે સફેદ ગાયને રોટલી અને ગોળ ખવરાવવો. ગાય માતાના માથે ચાંદલો કરો અને તેના મસ્તકને હાથ લગાડીને તેને પંપાળો. તેની પૂજા કરો. આવું કરવાથી તમને શુભ ફળ પ્રાપ્ત થશે.

માછલીઓને લોટ ખવરવો

જે વ્યક્તિઓને ધનની અતિશય કમી રહેતી હોય. ખૂબ મહેનત છતાં પણ પૈસા બચતા ના હોય અથવા તો ઘર ચાલી શકે તેટલું કમાઈ જ ના શકાતું હોય તેમના માટે સોમવારે એક અફર કાર્ય કરવા જેવું છે. સોમવારના દિવસે સવારે કે સાંજે જળશયમાં માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવરાવો. બસ આટલું જ કરવાથી તમારા ઘરમાં રહેલી ધનની કમી દૂર થઈ જશે.

સંતાન પ્રાપ્તી અચૂક થશે

જે લોકોને સંતાન નથી થતા તેમના માટે તો શિવજીની પૂજા અક્સિર ઈલાજ છે. શિવજીની પૂજા કરવાથી અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે. જો તમે સંતાન સુખથી વંચિત હો તો દર સોમવારે શિવજીના મંદીરે જઈને શિવલીંગ પર દૂધ અને ખાંડના મિશ્રણનો અભિષેક કરો. આપની સંતાન પ્રાપ્તિની ઈચ્છા જલ્દી પૂર્ણ થશે.

બાળકો ભણતા નથી એનો ઉપાય

જો તમારા બાળકોનું મન અભ્યાસમાં ના લાગતું હોય, તે ભણવામાં ધ્યાન ના આપતા હોય તો સોમવારના દિવસે દર સોમવારે શિવજીના મંદીરે જઈને જવ ચડાવો. આ રીતે નિયમિત કરવાથી થોડા જ સમયમાં તમારા બાળકની બુદ્ધિશક્તિમાં વધારો થશે. તેની સ્મરણશક્તિ ખીલશે. તે આપો આપ ભણવા માંડશે અને સારા ગુણો પ્રાપ્ત કરશે.

મિત્રો, આ કાર્યો કરવાથી તમારા પર ચંદ્ર દેવ અને શિવ બંનેની અપાર કૃપા વરસે છે. અને તમને ધન, વૈભવ, યશ અને કીર્તિ મળે છે.

***

ગુજ્જુલોજી Gujjulogy તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

]]>
https://gujjulogy.com/astrology-tips-for-shiv-puja-on-monday-prayer/feed/ 0