Thursday Prayer ગુરુવારે શ્રદ્ધા પૂર્વક કરેલા આ કાર્યોથી તમે સફળતાના ગુરુશિખરે પહોંચી જશો

Thursday Prayer  – શું આપના લગ્ન નથી થતાં? લઘુતાગ્રંથી અનુભવો છો? નોકરી ધંધામાં પ્રગતિ નથી થતી? તો આ રહ્યાં ઉપાય

Thursday Prayer – ગુરુવાર એટલે સાચા અર્થમાં એક મોટો વાર. આ દિવસે ભગવાન બૃહસ્પતિ દેવની પૂજા-આરાધના કરવાનું મહાત્મ્ય છે. જ્યોતિષિઓ અને ધર્મગ્રંથો કહે છે કે ગુરુવારે બૃહસ્પતિ દેવની સેવા-પૂજા કરવાથી જીવનમાં ભૌતિક સુખ – સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. એવું પણ કહેવાય છે કે ઉચ્ચ શિક્ષણ, કલેશમુક્ત પરિવાર, શાંતિપૂર્ણ જીવન માટે બુહસ્પતિ દેવની પૂજા બહું જરૂરી છે. જીવનમાં સફળતા મેળવવી હોય તો દરેક વ્યક્તિએ બૃહસ્પતિ દેવની પૂજા કરવી જોઈએ. આવો જાણીએ કે ગુરુવારના દિવસે કયા કાર્યો કરવાથી આપણું જીવન સર્વથા સુખમય બને છે.

બે અદ્‌ભૂત મંત્રો

તમને માનવમાંથી મહામાનવ બનાવવાની શક્તિ ગુરુવારમાં છે. તમારે શિખરે પહોંચવું હોય તો ગુરુવાર જ તમને પહોંચાડી શકશે. ગુરુવારે ભગવાન બૃહસ્પતિના પૂજનથી વિશેષ લાભ મળે છે. આ દિવસે વહેલી સવારે ઉઠીને કરવા માટેના બે અગત્યના આ મુજબ છે. (૧)‘ઓમ ગ્રાં ગ્રીં ગ્રોં સઃ ગુરુવે નમઃ’ (૨)‘ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ’. આ બંને મંત્રોનો ગુરુવારે જાપ કરો. દર ગુરુવારે એક મંત્રની ઓછામાં ઓછી એક માળા અવશ્ય કરો. સવારે ઉઠીને આ મંત્રો બોલ્યા પછી પીળી ચીજ જ ખાવ. પીળી ચીજનું દાન કરો તથા ભગવાનને પણ પીળી વસ્તુ ચઢાવો. બસ આટલું શ્રદ્ધાપૂર્વક કરો એટલે ગુરુ તમને સફળતાના ગુરુશિખરે પહોંચાડી દેશે. તમામ સફળતાઓ તમારા કદમ ચૂમશે.

જીવનસાથીની શોધ માટેનો ઉપાય

ઘણા યુવક – યુવતીઓના લગ્ન ઉંમર વટાવી ગયા છતાં થતાં હોતા નથી. તે લોકો વિવાહ સંબંધિત અનેક પ્રકારની મુશ્કેલીઓથી પરેશાન હોય છે. જાે તમારે પણ આવી કોઈ મુશ્કેલી હોય, અનેક પ્રયત્નો છતાં પણ તમારા લગ્ન ના થતાં હોય તો ગુરુવારે કરેલું એક કાર્ય તમારી એ સમસ્યાને દૂર કરી દેશે. ૨૧ ગુરુવાર સુધી અવિરત કેળાના વૃક્ષ નીચે ચોખ્ખા ઘીનો દીવો કરો. ત્યાં ઉભા રહીને ગુરુના નામની એક માળા કરો. એટલે કે ૧૦૮ મંત્રો બોલો. આ ૨૧ ગુરુવાર દરમિયાન ઉપવાસ પણ કરો અને પીળા વસ્ત્રો ધારણ કરો. આવું શ્રદ્ધા પૂર્વક કરવાથી તમને ખૂબ જ જલ્દીથી સારા જીવનસાથી મળી જશે.

બેરોજગારી દૂર કરવા માટે

રોજગારી ખુબ જ જરૂરી છે. કામ કરીશું તો જ આપણું જીવન ચાલશે. પણ કેટલાંક લોકો લાખ્ખો પ્રયત્ન કરે છતાં પણ એને કોઈ રોજગારી મળતી હોતી નથી. જાે તમે ભણેલા ગણેલા હો છતાં પણ તમને નોકરી ના મળતી હોય, તમે જેટલો અભ્યાસ કર્યો હોય કે, જે તમારામાં હુનર હોય એ પ્રકારનું કામ ના મળતું હોય અથવા તો તમે કોઈ ધંધો કે વ્યવસાય પણ સેટ ના કરી શકતા હો તો ગુરુવાર તમારા માટે રોજગારીના દ્વાર ખોલી દેશે. ગુરુવારના દિવસે કોઈ પણ દેવી – દેવતાના કે તમારા કુળદેવીના મંદિરમાં પીળી વસ્તુઓ ચડાવો. દાખલા તરીકે પીળા બુંદીના લાડુ, પીળા ફુલ, પીળા વસ્ત્રો વગેરે. આ પ્રયોગ કરવાથી ભગવાન તમારા પર રાજી થશે અને તમારી બેરોજગારી જલ્દીથી દૂર થઈ જશે.

આમ કરવાથી નોકરી – ધંધામાં પ્રગતિ થશે

જો તમને ધંધા કે નોકરીમાં તકલીફ હોય. તમારો ધંધો સરખો ના ચાલતો હોય, તમને નોકરીમાં યોગ્ય વળતર કે પ્રમોશન ના મળતું હોય તો ગુરુવારના દિવસે વહેલી સવારે ઉઠી આખી હળદરના ટૂકડાઓની એક માળા જાતે બનાવો અને તમારા ઘરના મંદીરે એને ચડાવો. એ જ રીતે તમારી નોકરી કે ધંધાના સ્થાને પીળા રંગની વસ્તુઓનો ઉપયોગ કરો અને દર ગુરુવારે ભગવાન લક્ષ્મી-નારાયણના મંદીરમાં લાડુનો પ્રસાદ ચડાવો. શ્રદ્ધા પૂર્વક આ કાર્ય કરવાથી તમારો ધંધો પણ ધમધોકાર ચાલવા માંડશે અને નોકરીમાં પણ તમારી પ્રગતિ અચૂક થશે.

દરિદ્રતાને દુર કરવાનો રસ્તો

માનવીના જીવનમાં ઘણીવાર એવું બનતું હોય છે કે તે ગમે તેટલી મહેનત કરે છતાં પણ એના ઘરમાંથી દરિદ્રતા દુર નથી થતી હોતી. જો તમારા ઘરમાં પણ દરિદ્રતાએ વાસ કરી લીધો હોય તો એક વાત ખાસ ધ્યાન રાખો કે પરીવારની કોઈ મહિલાએ ગુરુવારના દિવસે વાળ ના ધોવા તથા ઘરના કોઈ જ સદસ્યએ ગુરુવારના દિવસે નખ ન કાપવા. આ કાર્ય કરવાથી તમારા ઘરની દરિદ્રતા ટૂંક સમયમાં જ ચાલી જશે.

લઘુતાગ્રંથી દૂર કરવાનો ઉપાય

જાે તમે લઘુતાગ્રંથીથી પીડાતા હોય. તમને એમ લાગતું હોય કે તમારા કરતાં બીજા બધા જ સુપિરિયર છે. આના લીધે તમને ટેન્શન રહેતું હોય તો દર ગુરુવારે પાણીમાં હળદર નાંખીને સ્નાન કરવાનો એક વિશિષ્ટ પ્રયોગ બહું જ કારગત નીવડશે. વહેલી સવારે બ્રાહ્મ મૂહુર્તમાં પાણીમાં હળદર નાંખી સ્નાન કરવું અને સ્નાન કર્યા પછી ‘ઓમ બૃહસ્પતયે નમઃ’ના જાપ કરવા. ૧૦૮ મણકાની ૧૧ માળાઓ કરવાની. આવું શ્રદ્ધા પૂર્વક કરવાથી તમારા જીવનમાંથી લઘુતાગ્રંથી દૂર થઈ જશે, તમારા જીવનમાંથી તમામ પ્રકારના તણાવ દૂર થશે અને જીવનમાં ગુરુ પદ પ્રાપ્ત થશે.

બુરી શક્તિઓ દૂર રહેશે

પીળો રંગે એટલે ગુરુનો સૌથી પ્રીય રંગ. માનવી ગુરુવારના દિવસે પીળા રંગનો દોરો ધારણ કરે તો બુરી શક્તિઓ એની પાસે આવતી નથી. ગુરુવારે સવારે વહેલા ઉઠી તમારા ઘર-મંદિરમાં બેસીને કુળદેવી અને બૃહસ્પતિ દેવનું સ્મરણ કરો. એક પીળા રંગનો દોરો સાત વડો કરીને તમારા મંદીરમાં મુકો. તેને સાત અગરબતીનો ધૂપ આપો અને તેલના બે દીવા કરીને ગુરુનું સ્મરણ કરીને એ દોરો ધારણ કરો. યાદ રહે કે પુરુષોએ પોતાના જમણા હાથમાં આ દોરો ધારણ કરવાનો છે અને મહિલાઓએ પોતાના ડાબા હાથમાં. આમ કરવાથી કોઈ આસુરીશક્તિઓ, ખરાબ શક્તિઓ કે મેલી વિદ્યા તમારી નજીક પણ નહીં આવે અને જો અગાઉથી આવી ગઈ હશે તો એ દુર થઈ જશે.

મિત્રો, ગુરુવારે કરવાના આ કાર્યો શ્રદ્ધાપૂર્વક કરવાથી મનચાહી સફળતા મળે છે. આપ આ કાર્યો અચૂક કરો અને શાંતિમય જીવન પ્રાપ્ત કરો.

***

ગુજ્જુલોજી Gujjulogy તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *